Home Blog Page 1220

જલ્દી કરો ! નહીં તો રહી જશો સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક ! જાણો સરકારની આ સ્કીમ વિશે

0

Hurry up! Otherwise

  • ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે.

હાલના દિવસોમાં સોનાનું (Gold) બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ (Govt Market Rate) કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે. જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો.

તો મોદી સરકાર તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે. આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે એ મુજબ રોકાણની યોજના ડિસેમ્બર અને માર્ચમાં ખોલવામાં આવશે.

19 થી 23 ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક :

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) યોજના પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે. આજથી એટલે કે 19 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) 2022-23ની નવી શ્રેણી ખોલવામાં આવી છે. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.

આટલી હશે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત :

જણાવી દઈએ કે રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.

કોણ રોકાણ કરી શકે છે?

નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે. જણાવી દઈએ કે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન આર્જેન્ટિનાને મળી આટલી રકમ તો ફ્રાંસની ટીમ પણ માલામાલ, જાણો કઈ ટીમોને કેટલી રકમ મળી ?

The champion Argentina got so much money in FIFA World Cup

  • ફૂટબોલને વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે.
  • તેથી સમગ્ર વિશ્વની નજર FIFA વર્લ્ડ કપ 2022 પર હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ સાથે કરોડો રૂપિયા લઈ રહી છે. ફિફા વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે અને માત્ર વિજેતા ટીમ જ નહીં પરંતુ રનર અપ ટીમ પણ અમીર બની હતી.

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ રવિવારે એટલે કે 18 ડિસેમ્બરે રમાઈ હતી. લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ (Argentina) પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ જીત સાથે લિયોનેલ મેસીનું (Lionel Messi) વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું.

ફૂટબોલને વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. તેથી સમગ્ર વિશ્વની નજર FIFA વર્લ્ડ કપ 2022 પર હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ સાથે કરોડો રૂપિયા લઈ રહી છે. ફિફા વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે અને માત્ર વિજેતા ટીમ જ નહીં પરંતુ રનર અપ ટીમ પણ અમીર બની હતી.

આ ટીમોનાં ખાતાંમાં આવ્યાં આટલાં રૂપિયા :

  • વિજેતા આર્જેન્ટિના 347 કરોડ રૂપિયા.
  • ઉપવિજેતા ફ્રાંસ- 248 કરોડ રૂપિયા.
  • ત્રીજા નંબરની ટીમ 223 કરોડ રૂપિયા.
  • ચોથા નંબરની ટીમ 206 કરોડ રૂપિયા.

નોકઆઉટ મેચમાં પહોંચનારી ટીમો જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને પણ ફીફા દ્વારા અમુક રકમ આપવામાં આવે છે. કઈ ટીમોને મળી કેટલી રકમ, જાણો

  • વર્લ્ડકપમાં સામેલ થયેલી દરેક એક ટીમને 9-9 મિલિયન ડોલર.
  • પ્રી ક્વોટર ફાઈનલમાં પહોંચનાર ટીમોને 13 મિલિયન ડોલર.
  • ક્વાર્ટર ફાઈનલમાં હારનાર ટીમોના ખાતામાં 17 મિલિયન ડોલર.

વર્લ્ડ કપ દરમિયાન ફીફા દ્વારા કુલ 3641 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે અલગ-અલગ ટીમોને ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. આમાં દરેક ટીમની સહભાગિતા માટેની ફી, મેચ વિનિંગ્સ, ગોલ ફી અને વિજેતા, રનર્સ-અપ અને નોકઆઉટ મેચમાં પહોંચેલી ટીમોની રકમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ શકે છે ફરી નવાજુની ? હવે  આ નેતાને સીએમ બનાવવા માંગ ઉઠી 

0

Can there be a reshuffle in Maharashtra politics

  • મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના એધાણો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રીની (Chief Minister) ખુરશી ઉપર કોઈ ટકી શક્યું નથી તે એક હકીકત છે.

ભાજપ (BJP) સામે ચૂંટણી લડ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની લાલચમાં આવી જઈને આઘડી મહાગઠબંધનની સાથેની સરકાર રચી હતી. જો કે ઉદ્ધવ ઠાકરે વધુ સમય સુધી સીએમ પદ ઉપર ટકી શક્યા ન હતા. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે. હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી :

પરંતુ હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આનાથી રાજનીતિક ગલીયારાઓમાં ફરી એક વાર ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે.

હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

ભાજપના નેતાના આવા નિવેદન લઇ રાજકારણની હવા બદલાઈ :

ઉલ્લેખનીય છે કે નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં બીજેપી નેતા બાવનકુલેએ કહ્યું કે જ્યાં સુધી હું બીજેપીના રાજ્ય એકમનો અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસને મુખ્યમંત્રી બનવું જોઈએ. આ પછી તેણે … કહીને વાક્ય અધૂરું છોડી દીધું અને પછી થોડીવાર માટે અટકી ગયો. પ્રેક્ષકોમાંના ઘણા લોકોએ ‘મુખ્યમંત્રી’ શબ્દની બૂમો પાડ્યા પછી બાવનકુલેએ તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું, “આપણે બધાએ એવી રીતે કામ કરવાની જરૂર છે કે હવે ફડણવીસને મુખ્ય પ્રધાન પદ મળે.”

આ પણ વાંચો :-

 

સુરતની સિટી બસે રાહદારીને ટક્કર મારતાં મોત, રોષે ભરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ

Pedestrian dies after city bus hits Surat

  • સુરતમાં (Surat) અલગ અલગ વિસ્તારોમાં વારંવાર BRTS અને સિટી બસના અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત થતા હોય છે.

સુરતમાં (Surat) સિટી બસ વધુ એક વખત કાળમુખી સાબિત થઈ છે. ભેસ્તાનમાં (Bhestan) સિટી બસે ટક્કર મારતા યુવકનું મોત નિપજ્યું છે. રોડ ઓળંગી રહેલા યુવકને બસે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતુ. જે પછી લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. આ દુર્ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસમાં તોડફોડવર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર કરી હતી. જ્યારે પાંડેસરા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વારંવાર BRTS અને સિટી બસના અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખાસ કરીને સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માત થતા હોય છે. BRTS અને સિટી બસ વચ્ચે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો તેનો ભોગ બનતા હોય છે.

ત્યારે ગઈકાલે રાત્રે પણ પાંડેસરા મેઈન રોડ પર ભેસ્તાન નજીક એક સિટી બસે રસ્તો પસાર કરી રહેલા યુવકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રાહદારીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બાદ આસપાસના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. કેટલાક લોકોએ તો આ ઘટના બાદ જે બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો તે બસમાં તોડફોડ પણ કરી દીધી હતી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સિટી બસ અને BRTS બસના ચાલકો પૂર ઝડપે બસો ચલાવતા હોય છે. જેના કારણે આવા અકસ્માતો સર્જાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ આનો કોઈ ત્વરિત રસ્તો શોધવા અથવા આ બસોની ગતિ પર નિયંત્રણ લાવવા અંગે નિર્ણય લેવા પર વિચાર શરુ કરી દીધો છે.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ સાવધાન ! અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV, ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં

0

Attention Ahmedabadi

  • હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

અમદાવાદમાં (Ahmedabad) હવે ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે અમદાવાદમાં ટ્રાફિક જંક્શન પર નવા 2146 નવા CCTV કેમેરા લાગશે. જોકે હાલમાં શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે. જોકે હવે નવા 4 હજાર 497 કેમેરા થશે જેનાથી ઈ-મેમોની (E-Memo) સંખ્યા પણ બે ગણી વધી જશે.

ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં :

અમદાવાદીઓ હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો. કારણકે AMC દ્વારા હવે નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. જેને કારણે ઈ-મેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. નોંધનીય છે કે હાલ અમદાવાદ શહેરમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા છે. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના સરેરાશ 5 હજાર મેમો અપાય છે.

વધુ CCTV કેમેરાથી શું ફાયદો થશે ? 

AMC દ્વારા નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાયા બાદ હવે કુલ 4497 કેમેરા થશે. જેનાથી ઈમેમોની સંખ્યા પણ બે ગણી વધી જશે. આ સાથે વધુ CCTV કેમેરા હોવાથી સ્ટંટબાજ, ભાગેડુ આરોપી પણ પકડાશે.

આ પણ વાંચો :

“ગુજરાતમાં ૫ સીટો જીતવી એટલે બળદમાંથી દૂધ કાઢવા જેવું કામ હતું” કેજરીવાલ કેમ આવું બોલવું પડયું ?

0

“Winning 5 seats in Gujarat was like milking a bull”

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભલે હાર મળી હોય, પરંતુ સંગઠનની દ્રષ્ટીએ સીટો અને વોટિંગની ટકાવારી વધવી સંજીવની સમાન માનવામાં આવી રહ્યું છે.

હવે તેને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક (Aap Gujarat) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) મોટું નિવેદન આપ્યું છે અને અભૂતપૂર્વ સફળતા બતાવી છે. કેજરીવાલે રવિવારે સ્વીકાર્યું કે ગુજરાતમાં સંગઠન ઊભું કરવું અને 5 સીટો જીતવું કેટલું મુશ્કેલ કાર્ય હતું. કેજરીવાલે કહ્યું કે, ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને ત્યાં પાંચ સીટો જીતીને આવવું એ બળદમાંથી દૂધ કાઢવા જેટલું મુશ્કેલ કાર્ય છે.

ગુજરાતની જીતને કેમ મુશ્કેલ બતાવી ?

કેજરીવાલે દિલ્હીમાં AAPની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધિત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, AAPને વિશ્વાસ છે કે તે 2027માં ગુજરાતમાં ભાજપને સત્તાથી હટાવી દેશે અને ત્યાં પોતાની સરકાર બનાવશે. તેમણે કહ્યું કે હાલમાં જ ગુજરાતની ચૂંટણીના સંબંધમાં કોઈએ મને કહ્યું કે તમે તો બળદ પાસેથી પણ દૂધ કાઢી લાવ્યા. આટલું મુશ્કેલ હતું સીટો જીતવાનું. ગાયનું તો બધા દૂધ કાઢી શકે. પરંતુ અમે વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતીને અને 13 ટકા વોટશેર મેળવીને બળદનું દૂધ કાઢી લાવ્યા.

2017માં તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી :

નોંધનીય છે કે, 2017માં AAPએ ગુજરાતની ચૂંટણીમાં 182માંથી 29 સીટો પર અને પંજાબમાં 117માંથી 112 સીટો પર ચૂંટણી લડી હતી. ગુજરાતમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડયો હતો અને તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. જ્યારે પંજાબમાં 20 સીટો જીતીને મુખ્ય વિપક્ષ બની હતી.

આ પણ વાંચો :-

કોંગ્રેસ ગુજરાતમાં કેમ હારી ? પ્રંચડ હારના કારણોનો રિપોર્ટ તૈયાર, જગદીશ ઠાકોર હાઈકમાન્ડને સોંપશે રિપોર્ટ

0

Why Congress lost in Gujarat?

  • હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election ) કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે.

ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે. આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસે પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણોનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર (Jagdish Thakor) હાઈ કમાન્ડને આ રિપોર્ટ સોંપશે.

કોંગ્રેસની હાર પાછળનાં અનેકો કારણો :

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસમાં ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી.

જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોંગ્રેસના હારના કારણોમાં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મીસમેનેજમેન્ટ, સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસે મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા.

હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસનાં હાર પાછળનાં કારણો :

  • નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ.
  • સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ.
  • ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન .
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા.
  • ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય.
  • પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો.
  • ભાજપ રૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું..
  • વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું.
  • ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં.

બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઈવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે.

મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

આ પણ વાંચો :-

ઉદ્યોગપતિ વસંત ગજેરાનો સેવાયજ્ઞ અનેક નિરાધાર ભુલકાંઓને શિક્ષિત અને સંસ્કારી નાગરિક બનાવશે.

Industrialist Vasant Gajera’s service will make many destitute

  • વસંત ગજેરા માટે દરેક માસૂમ બાળક એક સપનું છે અને પ્રત્યેક બાળક માટે વસંત ગજેરા એટલે કે ‘દાદા’ તેમનું ર્સ્વસ્વ છે આવું કુદરતે નિર્મિત કર્યું હોય તો જ શક્ય બની શકે.
  • ગરીબ, નિરાધાર, આદિવાસી બાળકમાં પણ ડોક્ટર્સ, ઈજનેર, સાયન્ટિસ, સનદી અધિકારી બનવાની ક્ષમતા હોય છે, ગજેરા પરિવારની હૂંફ આવા બાળકોને આકાશની ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરે છે.
  • ગરીબ, નિરાધાર, ગંદી વસાહતો, આદિવાસી વિસ્તારમાંથી લવાતા બાળકોને વાત્સલ્યધામમાં આશ્રય, પ્રેમ, હૂંફ આપવાનો ગજેરા પરિવારનો સેવાયજ્ઞ એળે નહીં જાય.
  • વાત્સલ્યની પ્રેરણામૂર્તિ સમાન ગજેરા પરિવારનાં સ્વ.ચંપાબેને એક બાળક ગુમાવ્યાની વેદનામાંથી ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું; ચંપાબેનની સમાધી પણ વાત્સલ્યધામમાં આપવામાં આવી હતી.

વસંત ગજેરા (Vasant Gajra) સુરતના એક એવા ઉદ્યોગપતિ છે કે જેઓ જીંદગીની તમામ કસોટીઓમાંથી પાર ઉતર્યા છે. સ્વભાવે કઠોર, હાજર જવાબી અને સ્પષ્ટ વકતા ઉપરાંત અન્યાય સામે તત્કાળ બાંયો ચઢાવવાનો સ્વભાવ ધરાવતા વસંત ગજેરાએ સ્વભાવની વિરૂદ્ધ જઇને ઘણા સમાધાન પણ કર્યા છે. પરંતુ સંજોગોને લઇને કરેલા સમાધાનનો રંજ હંમેશા તેમના જીવનમાં ખટકતો રહે છે. વસંત ગજેરાને ઝૂંકાવવા તેમની સામે અવરોધ ઉભા કરવાના અનેક પ્રયાસો થયા પરંતુ ‌ઈશ્વરીય શક્તિ અને દૃઢ મનોબળને કારણે આકરી કસોટીમાંથી તેઓ હંમેશા હેમખેમ પાર ઉતરતા આવ્યા છે.

IMG_0876PHOTO-2022-12-18-20-47-49

કોણ જાણે પરંતુ વડવાઓનું પૂણ્ય કે ગજેરા પરિવારની ભક્તિ ગણો કે ભાગ્ય તેમના વિકાસનો ગ્રાફ ક્યારેય પણ નીચે આવ્યો નથી. બજારમાં તેજી હોય કે મંદી, ગજેરા પરિવારનો સૂર્ય હંમેશા મધ્યાહન તરફ સરકતો રહ્યો છે. આમ તો સૌરાષ્ટ્રના પ્રત્યેક ઉદ્યોગપતિઓનો ઇતિહાસ અનેક સાહસોથી ભરેલો છે, પરંતુ વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઇતિહાસ બધા કરતા થોડો જુદો અને ‘એકલવીર’ જેવો રહ્યો છે. પાંડવ પરિવાર જેવા ભાઈઓનો પરિવાર આજના યુગમાં પણ ‘અકબંધ’ છે. સૌથી મોટા ધીરૂ ગજેરા પરંતુ બીજા ક્રમનાં વસંત ગજેરાના નામથી આખો પરિવાર ઓળખાય છે અને હર્યાભર્યા પરિવારમાં વસંત ગજેરા એટલે કે ‘દાદા’નો નિર્ણય એ આખરી નિર્ણય માનવામાં આવે છે. વસંત ગજેરા લગભગ સર્વગુણ સંપન્ન છે એવું કહી શકાય. પરિવારના નાના બાળકો માટે એ ‘હેતાળ દાદા’ છે જ્યારે પરિવાર માટે નિર્ણય કરવાનો હોય ત્યારે અડીખમ અને કઠોર નિર્ણયકર્તા પણ છે.

ખેર, વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઈતિહાસ ખૂબ લાંબો અને અનેક ઘટનાઓથી ભરેલો છે પરંતુ ગજેરા પરિવારમાં સમાજ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વહેતી કરૂણાએ અનેક મુરજાતા બાળકોના જીવનમાં નવા જીવનના પ્રકાશ પૂંજ પ્રગટાવ્યા છે. ગજેરા પરિવાર દ્વારા સંચાલિત વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ૫૦ હજાર કરતા વધુ બાળકો નર્સરીથી શરૂ કરીને કોલેજમાં સાયન્સ અને એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવી રહ્યા છે. ગજેરા ટ્રસ્ટની એક પણ શિક્ષણ સંસ્થામાં વાલીઓ પાસેથી ‘ડોનેશન’ નામનો શબ્દ પણ ઉઘરાવવામાં આવતો નથી.

સૌરાષ્ટ્રમાં અમરેલીની સરકારી હોસ્પિ.નું સંચાલન પણ ગજેરા ટ્રસ્ટને સોંપી દેવાયું છે. મતલબ ગજેરા ટ્રસ્ટ હવે ગરીબોની તબીબી સેવા કરવા ઉપરાંત મેડિકલ કોલેજ પણ ચલાવે છે !

IMG_0875

આ બધાથી આગળ વધીને ગજેરા પરિવાર દ્વારા નિરાધાર, ગરીબ, મજબૂર બાળકો માટે ચલાવાતુ ‘વાત્સલ્યધામ’ ખરેખર અદભૂત છે. કદાચ આ ‘વાત્સલ્યધામ’માં રહેતા ભુલકાઓના મૂક આશીર્વાદ જ ગજેરા પરિવારના ઉપર ચઢતા ગ્રાફ પાછળનું કારણ હોઇ શકે. અહિંયા રહેતા અને અભ્યાસ કરતા એક એક ભુલકાઓના ચહેરા ઉપર રેલાતો આનંદ, સંતોષ અને ઘડીભર માટે બાળકને ગળે વળગાડી લેવાનું મન થઈ આવે એવું હાસ્ય ખરેખર અદભૂત છે. આ માસુમ ભુલકાઓના ચહેરા જોઇને આખી જિંદગીનો થાક ઉતરી જાય અને ઘડીભર માટે એમ થઈ આવે કે ખરેખર આજ જિંદગી છે.

સુરતથી ખૂબ જ નજીકના અંતરે કામરેજ નજીક પવિત્ર તાપીના કિનારે ઉભુ કરવામાં આવેલા વાત્સલ્યધામમાં પગ મુકતાની સાથે ખરેખર ‘વાત્સલ્ય’ની અનુભૂતિ થવા માંડે છે. આધુનિક છતાં સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેતા બાળકોના જીવનમાં બદલાવ લાવવા માટે અહીંનું નિરવ અને શાંત વાતાવરણ તેમજ સંચાલકોની ‘પ્રેમાળ હુંફ’ સમાજમાં સુસંસ્કારી અને શિ‌ક્ષત પેઢીનું નિર્માણ કરી રહી છે.

વેપાર, ઉદ્યોગમાં સતત રત રહેતા પરિવારને વળી શેરીમાં, ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે અનુકંપા શા માટે જાગે? આ એક મહત્ત્વનો સવાલ છે. કરોડોનો કારોબાર કરતી સંસ્થા આશ્રમ શાળાઓમાં દાન આપીને પોતાની સામાજિક જવાબદારી અદા કરી શકે છે અને અનેક સંસ્થાઓ કરોડોનું દાન પણ આપતી આવી છે પરંતુ ગરીબ, લાચાર, નિરાધાર અને ગંદકીમાં સબડતા બાળકોને પોતાની ગોદમાં બેસાડીને હેત વરસાવે, તેમના ભવિષ્ય માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરે, રોજેરોજ આવા બાળકોની કાળજી લેવામાં આવે એવું કદાચ ગજેરા પરિવારના ‘વાત્સલ્યધામ’માં જ બની શકે. અને બની રહ્યું છે. વસંત ગજેરા એટલે કે ‘દાદા’ને આપણે બાળકોને ગોદમાં લઇને બેઠેલા જોઇએ ત્યારે દુનિયાના ધનિક માણસને પણ વસંત ગજેરાના સુખની ઈર્ષા થઈ આવે !

IMG_0878

આમ તો ‘વાત્સલ્યધામ’ના નિર્માણ પાછળ એક વેદના ધરબાયેલી છે અને આ વેદનાએ જ ‘વાત્સલ્યધામ’ને જન્મ આપ્યો હતો. ઘણા ઓછા લોકોને બલ્કે ગજેરા પરિવાર સાથે રોજીંદો વહેવાર રાખતા લોકોને પણ ખબર નહીં હોય કે વાત્સલ્યધામનું નિર્માણ કઇ રીતે થયું ?

કોઈપણ પરિણિત મહિલા માટે માતા બનવાનું એક સપનું હોય છે. સ્ત્રી માતા બને ત્યારે દુનિયાના સર્વોચ્ચ આનંદની અનુભૂતિ કરે છે. કારણ તેણી એક નવજીવનને જન્મ આપે છે. આવું જ કંઈક ગજેરા પરિવારમાં બનવા પામ્યું હતું. ખરેખર તો કેટલીક વાતો જાહેર કરવી જોઈએ નહીં પરંતુ જ્યારે એક પ્રેમથી છલકાતા ‘વાત્સલ્યધામ’ની વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલીક દુઃખદ ઘટનાઓમાંથી થયેલા નવસર્જનની વાત દુખદ છતાં આનંદ પમાડનારી બની રહે છે. વસંત ગજેરાના ધર્મપત્ની ચંપાબેનની એક નવજાત બાળકને ગુમાવ્યાની વેદનામાંથી આખા ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું હતું અને સ્વ. ચંપાબેનને વસંત ગજેરા આપેલું વચન આજે સેંકડો બાળકોને સુસંસ્કારી અને શિ‌ક્ષત બનાવવા સાથે પ્રેમાળ આશ્રય આપી રહ્યું છે.

સ્વ. ચંપાબેનનું સમગ્ર જીવન વાત્સલ્ય મૂર્તિ જેવું હતું. છ ભાઈઓના પરિવારનું ચંપાબેન એકલા હાથે સંચાલન કરતા હતા. સૌથી મોટા ધીરૂભાઈ અને ત્યાર પછી વસંત ગજેરા સિવાય બાકીના ભાઈઓ કુંવારા હતા અને આ બધાની કાળજી લેવાની વાત સાવ સામાન્ય નહોતી. પરંતુ જે લોકોએ ગજેરા પરિવારના પાંચ દાયકા પહેલાના જીવનને જોયું હશે તેમને આજે પણ ગજેરા પરિવારનું જીવન ‘માઇલ સ્ટોન’ જેવું લાગશે. દુનિયા બદલાઈ, રીત, રીવાજ બદલાયા પરંતુ ગજેરા પરિવારની એકતા અને સંસ્કારીતાને ઊની આંચ પણ આવી નથી.

IMG_0872

ખેર, વાત્સલ્યધામમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. ગુજરાતના ખૂંણે ખૂંણાના બાળકો વાત્સલ્યધામમાં આશ્રય મેળવવા સાથે અભ્યાસ કરી રહ્યાં છે. અહિંયા નર્સરીથી હાઇસ્કૂલ એટલે કે ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ બોર્ડનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એકપણ બાળકને ‘વાત્સલ્યધામ’ છોડવું ગમતું નથી. ગુજરાતના છેવાડાના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, કપરાડા, ધરમપુર, વ્યારા, બારડોલી, સેલવાસ, સૌરાષ્ટ્રના ગીરકાંઠાના ઊના, અમરેલી, લાઠી સહિત રાજ્યભરના લગભગ દરેક પ્રાંતમાંથી નિઃસહાય ભુલકાઓ અહિંયા આશ્રય લેવા સાથે આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’માં હાલમાં લગભગ ૮૦૦ જેટલા માસુમ ભુલકાઓ નિવાસ કરી રહ્યા છે. આ એવા ભુલકાઓ છે કે જેમની સાથે કુદરતે ક્યાંકને ક્યાંક અન્યાય કર્યો છે પરંતુ કુદરતે બીજી તરફ વસંત ગજેરા જેવા ઉદ્યોગપતિમાં અનુકંપા પ્રગટ કરીને ‘વાત્સલ્યધામ’નું નિર્માણ પણ કરાવ્યું છે. અહિંયા રહેતા અને ભણતા પ્રત્યેક બાળકોમાં સંસ્કારીતા અને બુદ્ધિ કૌશલ્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે. માસુમ વયની બાળકી તમને જ્યારે બે હાથ જોડીને ‘નમસ્તે’ કરે ત્યારે તેમના ચહેરા ઉપરની માસુમિયત ખરેખર મુલાકાતીઓની આંખો અનુકંપાથી ભરી દે છે અને ઘડીભર માટે દુનિયાના બધા સુખ ભુલાઈ જાય છે. આવા અનેક બાળકો વસંત ગજેરા અને ગજેરા પરિવારના ખોળામાં નિરાંતના વિશ્વાસ સાથે ઉછરી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’નું એક પણ બાળક એવું નથી માનતું કે તેઓ નિરાધાર છે. ‘વસંત દાદા’ આવા બાળકોની ‘માં’ પણ છે અને આધાર પણ છે.

વાત્સલ્યધામના પ્રેરણા બિંદુ સ્વ. ચંપાબેનની સમાધી પણ ‘વાત્સલ્યધામ’ના આંગણામાં આપવામાં આવી છે. જાણે ચંપાબેન સાક્ષાત બનીને માસુમ ભુલકાઓનું રક્ષણ કરી રહ્યા છે.

‘વાત્સલ્યધામ’ એક પવિત્ર ગંગા જેવું છે, અહિની મુલાકાત અને માસુમ ભુલકાઓ સાથેની કાલીઘેલી છતા સંસ્કારીતાથી ભરેલી વાતો સાંભળ્યા બાદ પ્રત્યેક મુલાકાતીને ‘વાત્સલ્યધામ’ છોડવાનું મન થતું નથી. સવારનો સુર્ય માસુમ ભુલકાઓના જીવનમાં રોજે રોજ નવો ઉજાસ પાથરે છે. જ્યારે રોજે રોજની સાંજ માસુમ ભુલકાઓને નિરાંતની ઊંઘ સાથે અનેક સપનાઓથી ભરી દે છે.

આ પણ વાંચો :-

વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

Even if you have had the problem of constipation

  • કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ મળ ત્યાગ કરી શકતો નથી એટલેકે તેનુ આખુ પેટ સંપૂર્ણપણે સાફ થતુ નથી. ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે વારંવાર લોકોને આ મુશ્કેલી થાય છે.

જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત મળ ત્યાગ કરી શકતો નથી તો તેનુ આખુ પેટ સાફ થતુ નથી. એટલેકે તે કબજીયાતની (Constipation) બિમારીથી પીડિત છે. કબજીયાત જેમ-જેમ જૂની થતી જાય છે, તેના કારણે વ્યક્તિને પેટમાં દુ:ખાવો (Abdominal pain), ગેસ અને પાચન તંત્રમાં ગડબડ જેવી અનેક પરેશાનીઓ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાતના ઘણા કારણો હોઇ શકે છે.

જેમાં ડિહાઈડ્રેશન, ફાઈબરવાળા ભોજનનું ઓછું સેવન, શારીરીક ગતિવિધિની કમી, અમુક પ્રકારની દવાઓ, પાચનમાં ગડબડ અને આંતરડાના બેક્ટેરિયામાં અસંતુલન વગેરેનો સમાવેશ થાય છે. તેથી અમે અહીં કબજીયાતને દૂર કરવા માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનુ સુચન આપી રહ્યાં છે, જેનુ સેવન તમારા મળને નરમ કરવામાં મદદ કરી શકે છે અને તમને કબજીયાતમાંથી છૂટકારો અપાવી શકે છે.

સૂકી રાસબરી કરે છે પેટ સાફ :

જો તમે દરરોજ કબજીયાતથી ઝઝૂમી રહ્યાં છો તો તમારે સૂકી રાસબરીનુ સેવન કરવુ જોઈએ. જેના માટે બે થી ત્રણ સુકી રાસબરી આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો. જેના સેવનથી તમને કબજીયાતમાં છૂટકારો મળી શકે છે, કારણકે તેમાં અઘુલનશીલ ફાઈબર, સોર્બિટોલ અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે જુલાબની જેમ પ્રભાવી થાય છે. તમે તેને જ્યુસરૂપે પણ લઇ શકો છો.

કબજીયાતમાંથી છૂટકારો મેળવવા આ શાકભાજીનુ કરો સેવન :

તમારા ભોજનમાં દરરોજ સારી અલગ-અલગ રંગબેરંગી શાકભાજીઓને એડ કરો. કારણકે તેમાં રહેલ ફાઈબર તમારા મળને બહાર નિકાળવામાં મદદ કરે છે. પાલક, ફૂલાવર, કોબીજ જેવી શાકભાજીઓ ઓવરઓલ હેલ્થ માટે ખૂબ સારી છે. આ સાથે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. કારણકે આ વિટામિન અને ખનીજનો એક મોટો સ્ત્રોત છે. જો તમને બ્લોટીંગ જેમકે પેટ ફૂલવુ, ખાટ્ટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ છે. તો તમારે આ શાકભાજીને બાફીને ખાવી જોઈએ.

આ પણ વાંચો :-

નહાતી વખતે બ્લાસ્ટ થઈ શકે છે ગીઝર, તત્કાળ સુધારી લો આ આદત નહીંતર જીવનભર પસ્તાવું પડશે.

Geysers can explode while bathing

  • શિયાળામાં ગીઝર જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે.

શિયાળામાં ગીઝર (Geyser) જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. આવી સ્થિતિમાં લોકો ઘરમાં ગીઝર લગાવે છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે. કારણ કે ગીઝર સાથે આપણે ઘણી સાવચેતી રાખવી પડે છે. જો આ સાવચેતી ન રાખવામાં આવે તો મૃત્યુનો ખતરો બની શકે છે. તે કેવી રીતે છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

ઘરનો એક એવો સદસ્ય ચોક્કસપણે છે જે હંમેશા ગીઝર ચાલુ કરીને ભૂલી જાય છે. જો ગીઝર લાંબા સમય સુધી ચાલુ રહે તો ગીઝરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની શકે છે. અમે તમને જાગૃત કરી રહ્યા છીએ કે આવું કોઈની સાથે ન થવું જોઈએ.

1.
જ્યારે પણ તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ ગીઝર ચાલુ કરો ત્યારે અગાઉથી ગીઝરને બંધ કરવાનો સમય નક્કી કરો જેથી તમે ગીઝરને બંધ કરવાનું ભૂલશો નહીં. આજકાલ જે ગીઝર આવે છે તે આપોઆપ બંધ થઈ જાય છે. પરંતુ જેમની પાસે જૂના ગીઝર છે તેમની પાસે ઓટોમેટિક સ્વીચ ઓફ સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ગીઝર ક્યારે બંધ કરવું.

2.
જ્યારે પણ તમે ગીઝર ખરીદો ત્યારે તેને ક્યારેય જાતે ફિટ કરવાનો પ્રયાસ ન કરો. કારણ કે જો તમે જાતે પ્રયાસ કરો અને વાયર અહીં અને ત્યાં હશે. તો આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. આ ઉપરાંત હંમેશા ISI ચિન્હનાં ગીઝર ખરીદો. લોકલ ગીઝર ભૂલી જાવ.

3.
ગેસ સિલિન્ડરનો ટ્રેન્ડ ઘણો આગળ વધી ગયો છે. તેમાં બ્યુટેન અને પ્રોપેન નામના વાયુઓ છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જો તમે તેને તમારા બાથરૂમમાં લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ત્યાં એક્ઝોસ્ટ ફેન હોવો જોઈએ. જેથી તેમાંથી જે પણ ગેસ નીકળે છે તે બાથરૂમમાં જમા ન થાય. કારણ કે તે શરીર માટે સારું નથી.

4.
ગીઝરને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ. જેથી બાળકો ગીઝરને સ્પર્શ ન કરે. તેનાથી તેમને કરંટ પણ લાગી શકે છે.

આ પણ વાંચો :-