Home Blog Page 1219

કોંગ્રેસ ગુજરાતમાં કેમ હારી ? પ્રંચડ હારના કારણોનો રિપોર્ટ તૈયાર, જગદીશ ઠાકોર હાઈકમાન્ડને સોંપશે રિપોર્ટ

0

Why Congress lost in Gujarat?

  • હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election ) કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધી રાજ્યમાં આટલુ ખરાબ પ્રદર્શન ક્યારેય કર્યુ ન હતું. એક સમયે સૌથી વધુ વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ તોડનાર કોંગ્રેસ માત્ર 17 સીટમાં સમેટાઈ ગઈ છે.

ત્યારે હવે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની સમીક્ષા કરી છે. આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસે પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણોનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર (Jagdish Thakor) હાઈ કમાન્ડને આ રિપોર્ટ સોંપશે.

કોંગ્રેસની હાર પાછળનાં અનેકો કારણો :

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો કોંગ્રેસમાં ખેલ ચાલી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસે આખરે હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જગદીશ ઠાકોર આ હારનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપશે. તમને જણાવી કે વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે બેઠક થઇ હતી.

જેમાં કોંગ્રેસની હારના અનેક કારણો સામે આવ્યા છે. કોંગ્રેસના હારના કારણોમાં નબળુ સંગઠન અને બુથ સ્તરનું મીસમેનેજમેન્ટ, સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ, ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય જેવા પ્રાથમિક કારણોનો એક રિપોર્ટ બનાવ્યો છે.

2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દમ પર કોંગ્રેસે 77 બેઠકો હાંસિલ કરી હતી. જેમાંની 95 ટકા બેઠકો 2022 ની ચૂંટણીમાં ગુમાવવી પડી છે. આખરે આવુ કેવી રીતે થયું, મતદારોનો મિજાજ કેમ બદલાયો, આખરે કેમ કોંગ્રેસના મતદારો ભાજપ તરફ વળ્યા, તે વિશે કોંગ્રેસે મંથન કર્યું. સૌરાષ્ટ્રમાં થયેલ હાર અંગે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૌરાષ્ટ્રના હારેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. તેમજ હાર અંગે કોંગ્રેસના ઉમેદવારોએ કારણો રજુ કર્યા હતા.

હારેલા ઉમેદવારોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ વિધાનસભા બેઠકનો રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં કોંગ્રેસ સંગઠનની નિષ્ક્રિયતા, કોંગ્રેસ નેતાઓની જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ સહિતના કારણો રજુ કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની સમીક્ષા બેઠક પૂર્ણ થઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસનાં હાર પાછળનાં કારણો :

  • નબળુ સંગઠન અને બુથ સ્તરનુ મીસમેનેજમેન્ટ.
  • સરકારી મશીનરનો બેફામ દુર ઉપયોગ.
  • ત્રીજા પક્ષના કારણે કોગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન .
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા.
  • ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારનો ઓછો સમય.
  • પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ ઉમેદવારોને ઓછો સમય મળ્યો.
  • ભાજપ રૂપિયાના રેલમછેલથી ચૂંટણી લડયું..
  • વહીવટી તંત્ર પાર્ટીનાં વ્યક્તિ તરીકે લડી રહ્યું હતું.
  • ભાજપે જ્યાં મત ઓછા મળ્યાં તે વિસ્તારોને ટાર્ગેટ કર્યાં.

બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાએ જણાવ્યું કે, આ ચૂંટણીમાં અસામાજિક તત્વોનો ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કરાયો હતો. ઈવીએમમાં કયા વિસ્તારમાં કોને કેટલા મત મળ્યા એ ખબર પડી જાય છે. ઇવીએમની મર્યાદાના કારણે ભાજપ જ્યાં ઓછા મત મળે એમને ટાર્ગેટ કરે છે.

મતદારોએ ડરના માર્યા ભાજપને મત આપ્યો હતો. ત્યારે કોંગ્રેસ જનતા વચ્ચે જઇ લડાઈ લડશે. જ્યાં ભાજપને મત મળતા નથી, ત્યાં ભાજપના અસામાજિક તત્વો, વહીવટી તંત્ર, ભાજપના હોદેદ્દારો સામ-દામ દંડ ભેદથી વોટ લાવે છે. મતદાનની ગુપ્તતા જળવાતી નથી. ડરના માર્યે લોકોને ભાજપને વોટ આપવો પડે છે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

આ પણ વાંચો :-

ઉદ્યોગપતિ વસંત ગજેરાનો સેવાયજ્ઞ અનેક નિરાધાર ભુલકાંઓને શિક્ષિત અને સંસ્કારી નાગરિક બનાવશે.

Industrialist Vasant Gajera’s service will make many destitute

  • વસંત ગજેરા માટે દરેક માસૂમ બાળક એક સપનું છે અને પ્રત્યેક બાળક માટે વસંત ગજેરા એટલે કે ‘દાદા’ તેમનું ર્સ્વસ્વ છે આવું કુદરતે નિર્મિત કર્યું હોય તો જ શક્ય બની શકે.
  • ગરીબ, નિરાધાર, આદિવાસી બાળકમાં પણ ડોક્ટર્સ, ઈજનેર, સાયન્ટિસ, સનદી અધિકારી બનવાની ક્ષમતા હોય છે, ગજેરા પરિવારની હૂંફ આવા બાળકોને આકાશની ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરે છે.
  • ગરીબ, નિરાધાર, ગંદી વસાહતો, આદિવાસી વિસ્તારમાંથી લવાતા બાળકોને વાત્સલ્યધામમાં આશ્રય, પ્રેમ, હૂંફ આપવાનો ગજેરા પરિવારનો સેવાયજ્ઞ એળે નહીં જાય.
  • વાત્સલ્યની પ્રેરણામૂર્તિ સમાન ગજેરા પરિવારનાં સ્વ.ચંપાબેને એક બાળક ગુમાવ્યાની વેદનામાંથી ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું; ચંપાબેનની સમાધી પણ વાત્સલ્યધામમાં આપવામાં આવી હતી.

વસંત ગજેરા (Vasant Gajra) સુરતના એક એવા ઉદ્યોગપતિ છે કે જેઓ જીંદગીની તમામ કસોટીઓમાંથી પાર ઉતર્યા છે. સ્વભાવે કઠોર, હાજર જવાબી અને સ્પષ્ટ વકતા ઉપરાંત અન્યાય સામે તત્કાળ બાંયો ચઢાવવાનો સ્વભાવ ધરાવતા વસંત ગજેરાએ સ્વભાવની વિરૂદ્ધ જઇને ઘણા સમાધાન પણ કર્યા છે. પરંતુ સંજોગોને લઇને કરેલા સમાધાનનો રંજ હંમેશા તેમના જીવનમાં ખટકતો રહે છે. વસંત ગજેરાને ઝૂંકાવવા તેમની સામે અવરોધ ઉભા કરવાના અનેક પ્રયાસો થયા પરંતુ ‌ઈશ્વરીય શક્તિ અને દૃઢ મનોબળને કારણે આકરી કસોટીમાંથી તેઓ હંમેશા હેમખેમ પાર ઉતરતા આવ્યા છે.

IMG_0876PHOTO-2022-12-18-20-47-49

કોણ જાણે પરંતુ વડવાઓનું પૂણ્ય કે ગજેરા પરિવારની ભક્તિ ગણો કે ભાગ્ય તેમના વિકાસનો ગ્રાફ ક્યારેય પણ નીચે આવ્યો નથી. બજારમાં તેજી હોય કે મંદી, ગજેરા પરિવારનો સૂર્ય હંમેશા મધ્યાહન તરફ સરકતો રહ્યો છે. આમ તો સૌરાષ્ટ્રના પ્રત્યેક ઉદ્યોગપતિઓનો ઇતિહાસ અનેક સાહસોથી ભરેલો છે, પરંતુ વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઇતિહાસ બધા કરતા થોડો જુદો અને ‘એકલવીર’ જેવો રહ્યો છે. પાંડવ પરિવાર જેવા ભાઈઓનો પરિવાર આજના યુગમાં પણ ‘અકબંધ’ છે. સૌથી મોટા ધીરૂ ગજેરા પરંતુ બીજા ક્રમનાં વસંત ગજેરાના નામથી આખો પરિવાર ઓળખાય છે અને હર્યાભર્યા પરિવારમાં વસંત ગજેરા એટલે કે ‘દાદા’નો નિર્ણય એ આખરી નિર્ણય માનવામાં આવે છે. વસંત ગજેરા લગભગ સર્વગુણ સંપન્ન છે એવું કહી શકાય. પરિવારના નાના બાળકો માટે એ ‘હેતાળ દાદા’ છે જ્યારે પરિવાર માટે નિર્ણય કરવાનો હોય ત્યારે અડીખમ અને કઠોર નિર્ણયકર્તા પણ છે.

ખેર, વસંત ગજેરા અને ગજેરા પરિવારનો ઈતિહાસ ખૂબ લાંબો અને અનેક ઘટનાઓથી ભરેલો છે પરંતુ ગજેરા પરિવારમાં સમાજ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વહેતી કરૂણાએ અનેક મુરજાતા બાળકોના જીવનમાં નવા જીવનના પ્રકાશ પૂંજ પ્રગટાવ્યા છે. ગજેરા પરિવાર દ્વારા સંચાલિત વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ૫૦ હજાર કરતા વધુ બાળકો નર્સરીથી શરૂ કરીને કોલેજમાં સાયન્સ અને એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવી રહ્યા છે. ગજેરા ટ્રસ્ટની એક પણ શિક્ષણ સંસ્થામાં વાલીઓ પાસેથી ‘ડોનેશન’ નામનો શબ્દ પણ ઉઘરાવવામાં આવતો નથી.

સૌરાષ્ટ્રમાં અમરેલીની સરકારી હોસ્પિ.નું સંચાલન પણ ગજેરા ટ્રસ્ટને સોંપી દેવાયું છે. મતલબ ગજેરા ટ્રસ્ટ હવે ગરીબોની તબીબી સેવા કરવા ઉપરાંત મેડિકલ કોલેજ પણ ચલાવે છે !

IMG_0875

આ બધાથી આગળ વધીને ગજેરા પરિવાર દ્વારા નિરાધાર, ગરીબ, મજબૂર બાળકો માટે ચલાવાતુ ‘વાત્સલ્યધામ’ ખરેખર અદભૂત છે. કદાચ આ ‘વાત્સલ્યધામ’માં રહેતા ભુલકાઓના મૂક આશીર્વાદ જ ગજેરા પરિવારના ઉપર ચઢતા ગ્રાફ પાછળનું કારણ હોઇ શકે. અહિંયા રહેતા અને અભ્યાસ કરતા એક એક ભુલકાઓના ચહેરા ઉપર રેલાતો આનંદ, સંતોષ અને ઘડીભર માટે બાળકને ગળે વળગાડી લેવાનું મન થઈ આવે એવું હાસ્ય ખરેખર અદભૂત છે. આ માસુમ ભુલકાઓના ચહેરા જોઇને આખી જિંદગીનો થાક ઉતરી જાય અને ઘડીભર માટે એમ થઈ આવે કે ખરેખર આજ જિંદગી છે.

સુરતથી ખૂબ જ નજીકના અંતરે કામરેજ નજીક પવિત્ર તાપીના કિનારે ઉભુ કરવામાં આવેલા વાત્સલ્યધામમાં પગ મુકતાની સાથે ખરેખર ‘વાત્સલ્ય’ની અનુભૂતિ થવા માંડે છે. આધુનિક છતાં સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેતા બાળકોના જીવનમાં બદલાવ લાવવા માટે અહીંનું નિરવ અને શાંત વાતાવરણ તેમજ સંચાલકોની ‘પ્રેમાળ હુંફ’ સમાજમાં સુસંસ્કારી અને શિ‌ક્ષત પેઢીનું નિર્માણ કરી રહી છે.

વેપાર, ઉદ્યોગમાં સતત રત રહેતા પરિવારને વળી શેરીમાં, ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે અનુકંપા શા માટે જાગે? આ એક મહત્ત્વનો સવાલ છે. કરોડોનો કારોબાર કરતી સંસ્થા આશ્રમ શાળાઓમાં દાન આપીને પોતાની સામાજિક જવાબદારી અદા કરી શકે છે અને અનેક સંસ્થાઓ કરોડોનું દાન પણ આપતી આવી છે પરંતુ ગરીબ, લાચાર, નિરાધાર અને ગંદકીમાં સબડતા બાળકોને પોતાની ગોદમાં બેસાડીને હેત વરસાવે, તેમના ભવિષ્ય માટે આધુનિક વ્યવસ્થા ઉભી કરે, રોજેરોજ આવા બાળકોની કાળજી લેવામાં આવે એવું કદાચ ગજેરા પરિવારના ‘વાત્સલ્યધામ’માં જ બની શકે. અને બની રહ્યું છે. વસંત ગજેરા એટલે કે ‘દાદા’ને આપણે બાળકોને ગોદમાં લઇને બેઠેલા જોઇએ ત્યારે દુનિયાના ધનિક માણસને પણ વસંત ગજેરાના સુખની ઈર્ષા થઈ આવે !

IMG_0878

આમ તો ‘વાત્સલ્યધામ’ના નિર્માણ પાછળ એક વેદના ધરબાયેલી છે અને આ વેદનાએ જ ‘વાત્સલ્યધામ’ને જન્મ આપ્યો હતો. ઘણા ઓછા લોકોને બલ્કે ગજેરા પરિવાર સાથે રોજીંદો વહેવાર રાખતા લોકોને પણ ખબર નહીં હોય કે વાત્સલ્યધામનું નિર્માણ કઇ રીતે થયું ?

કોઈપણ પરિણિત મહિલા માટે માતા બનવાનું એક સપનું હોય છે. સ્ત્રી માતા બને ત્યારે દુનિયાના સર્વોચ્ચ આનંદની અનુભૂતિ કરે છે. કારણ તેણી એક નવજીવનને જન્મ આપે છે. આવું જ કંઈક ગજેરા પરિવારમાં બનવા પામ્યું હતું. ખરેખર તો કેટલીક વાતો જાહેર કરવી જોઈએ નહીં પરંતુ જ્યારે એક પ્રેમથી છલકાતા ‘વાત્સલ્યધામ’ની વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલીક દુઃખદ ઘટનાઓમાંથી થયેલા નવસર્જનની વાત દુખદ છતાં આનંદ પમાડનારી બની રહે છે. વસંત ગજેરાના ધર્મપત્ની ચંપાબેનની એક નવજાત બાળકને ગુમાવ્યાની વેદનામાંથી આખા ‘વાત્સલ્યધામ’નું નિર્માણ થયું હતું અને સ્વ. ચંપાબેનને વસંત ગજેરા આપેલું વચન આજે સેંકડો બાળકોને સુસંસ્કારી અને શિ‌ક્ષત બનાવવા સાથે પ્રેમાળ આશ્રય આપી રહ્યું છે.

સ્વ. ચંપાબેનનું સમગ્ર જીવન વાત્સલ્ય મૂર્તિ જેવું હતું. છ ભાઈઓના પરિવારનું ચંપાબેન એકલા હાથે સંચાલન કરતા હતા. સૌથી મોટા ધીરૂભાઈ અને ત્યાર પછી વસંત ગજેરા સિવાય બાકીના ભાઈઓ કુંવારા હતા અને આ બધાની કાળજી લેવાની વાત સાવ સામાન્ય નહોતી. પરંતુ જે લોકોએ ગજેરા પરિવારના પાંચ દાયકા પહેલાના જીવનને જોયું હશે તેમને આજે પણ ગજેરા પરિવારનું જીવન ‘માઇલ સ્ટોન’ જેવું લાગશે. દુનિયા બદલાઈ, રીત, રીવાજ બદલાયા પરંતુ ગજેરા પરિવારની એકતા અને સંસ્કારીતાને ઊની આંચ પણ આવી નથી.

IMG_0872

ખેર, વાત્સલ્યધામમાં આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. ગુજરાતના ખૂંણે ખૂંણાના બાળકો વાત્સલ્યધામમાં આશ્રય મેળવવા સાથે અભ્યાસ કરી રહ્યાં છે. અહિંયા નર્સરીથી હાઇસ્કૂલ એટલે કે ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ બોર્ડનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એકપણ બાળકને ‘વાત્સલ્યધામ’ છોડવું ગમતું નથી. ગુજરાતના છેવાડાના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, કપરાડા, ધરમપુર, વ્યારા, બારડોલી, સેલવાસ, સૌરાષ્ટ્રના ગીરકાંઠાના ઊના, અમરેલી, લાઠી સહિત રાજ્યભરના લગભગ દરેક પ્રાંતમાંથી નિઃસહાય ભુલકાઓ અહિંયા આશ્રય લેવા સાથે આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’માં હાલમાં લગભગ ૮૦૦ જેટલા માસુમ ભુલકાઓ નિવાસ કરી રહ્યા છે. આ એવા ભુલકાઓ છે કે જેમની સાથે કુદરતે ક્યાંકને ક્યાંક અન્યાય કર્યો છે પરંતુ કુદરતે બીજી તરફ વસંત ગજેરા જેવા ઉદ્યોગપતિમાં અનુકંપા પ્રગટ કરીને ‘વાત્સલ્યધામ’નું નિર્માણ પણ કરાવ્યું છે. અહિંયા રહેતા અને ભણતા પ્રત્યેક બાળકોમાં સંસ્કારીતા અને બુદ્ધિ કૌશલ્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે. માસુમ વયની બાળકી તમને જ્યારે બે હાથ જોડીને ‘નમસ્તે’ કરે ત્યારે તેમના ચહેરા ઉપરની માસુમિયત ખરેખર મુલાકાતીઓની આંખો અનુકંપાથી ભરી દે છે અને ઘડીભર માટે દુનિયાના બધા સુખ ભુલાઈ જાય છે. આવા અનેક બાળકો વસંત ગજેરા અને ગજેરા પરિવારના ખોળામાં નિરાંતના વિશ્વાસ સાથે ઉછરી રહ્યા છે. ‘વાત્સલ્યધામ’નું એક પણ બાળક એવું નથી માનતું કે તેઓ નિરાધાર છે. ‘વસંત દાદા’ આવા બાળકોની ‘માં’ પણ છે અને આધાર પણ છે.

વાત્સલ્યધામના પ્રેરણા બિંદુ સ્વ. ચંપાબેનની સમાધી પણ ‘વાત્સલ્યધામ’ના આંગણામાં આપવામાં આવી છે. જાણે ચંપાબેન સાક્ષાત બનીને માસુમ ભુલકાઓનું રક્ષણ કરી રહ્યા છે.

‘વાત્સલ્યધામ’ એક પવિત્ર ગંગા જેવું છે, અહિની મુલાકાત અને માસુમ ભુલકાઓ સાથેની કાલીઘેલી છતા સંસ્કારીતાથી ભરેલી વાતો સાંભળ્યા બાદ પ્રત્યેક મુલાકાતીને ‘વાત્સલ્યધામ’ છોડવાનું મન થતું નથી. સવારનો સુર્ય માસુમ ભુલકાઓના જીવનમાં રોજે રોજ નવો ઉજાસ પાથરે છે. જ્યારે રોજે રોજની સાંજ માસુમ ભુલકાઓને નિરાંતની ઊંઘ સાથે અનેક સપનાઓથી ભરી દે છે.

આ પણ વાંચો :-

વર્ષોથી હશે કબજિયાતની સમસ્યા તો પણ આ રીતે મળશે હંમેશા માટેનો છૂટકારો, દવાની પણ નહીં પડે જરૂર

Even if you have had the problem of constipation

  • કબજીયાત એક સામાન્ય સમસ્યા છે, જેમાં વ્યક્તિ મળ ત્યાગ કરી શકતો નથી એટલેકે તેનુ આખુ પેટ સંપૂર્ણપણે સાફ થતુ નથી. ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે વારંવાર લોકોને આ મુશ્કેલી થાય છે.

જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત મળ ત્યાગ કરી શકતો નથી તો તેનુ આખુ પેટ સાફ થતુ નથી. એટલેકે તે કબજીયાતની (Constipation) બિમારીથી પીડિત છે. કબજીયાત જેમ-જેમ જૂની થતી જાય છે, તેના કારણે વ્યક્તિને પેટમાં દુ:ખાવો (Abdominal pain), ગેસ અને પાચન તંત્રમાં ગડબડ જેવી અનેક પરેશાનીઓ થાય છે. આવી સ્થિતિમાં તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાતના ઘણા કારણો હોઇ શકે છે.

જેમાં ડિહાઈડ્રેશન, ફાઈબરવાળા ભોજનનું ઓછું સેવન, શારીરીક ગતિવિધિની કમી, અમુક પ્રકારની દવાઓ, પાચનમાં ગડબડ અને આંતરડાના બેક્ટેરિયામાં અસંતુલન વગેરેનો સમાવેશ થાય છે. તેથી અમે અહીં કબજીયાતને દૂર કરવા માટે કેટલાંક ખાદ્ય પદાર્થોનુ સુચન આપી રહ્યાં છે, જેનુ સેવન તમારા મળને નરમ કરવામાં મદદ કરી શકે છે અને તમને કબજીયાતમાંથી છૂટકારો અપાવી શકે છે.

સૂકી રાસબરી કરે છે પેટ સાફ :

જો તમે દરરોજ કબજીયાતથી ઝઝૂમી રહ્યાં છો તો તમારે સૂકી રાસબરીનુ સેવન કરવુ જોઈએ. જેના માટે બે થી ત્રણ સુકી રાસબરી આખી રાત પાણીમાં પલાળી દો અને સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરો. જેના સેવનથી તમને કબજીયાતમાં છૂટકારો મળી શકે છે, કારણકે તેમાં અઘુલનશીલ ફાઈબર, સોર્બિટોલ અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે જુલાબની જેમ પ્રભાવી થાય છે. તમે તેને જ્યુસરૂપે પણ લઇ શકો છો.

કબજીયાતમાંથી છૂટકારો મેળવવા આ શાકભાજીનુ કરો સેવન :

તમારા ભોજનમાં દરરોજ સારી અલગ-અલગ રંગબેરંગી શાકભાજીઓને એડ કરો. કારણકે તેમાં રહેલ ફાઈબર તમારા મળને બહાર નિકાળવામાં મદદ કરે છે. પાલક, ફૂલાવર, કોબીજ જેવી શાકભાજીઓ ઓવરઓલ હેલ્થ માટે ખૂબ સારી છે. આ સાથે પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. કારણકે આ વિટામિન અને ખનીજનો એક મોટો સ્ત્રોત છે. જો તમને બ્લોટીંગ જેમકે પેટ ફૂલવુ, ખાટ્ટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ છે. તો તમારે આ શાકભાજીને બાફીને ખાવી જોઈએ.

આ પણ વાંચો :-

નહાતી વખતે બ્લાસ્ટ થઈ શકે છે ગીઝર, તત્કાળ સુધારી લો આ આદત નહીંતર જીવનભર પસ્તાવું પડશે.

Geysers can explode while bathing

  • શિયાળામાં ગીઝર જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે.

શિયાળામાં ગીઝર (Geyser) જરૂરી બની ગયું છે. વહેલી સવારે ગરમ પાણીથી સ્નાન કરવાનો આનંદ જ અલગ હોય છે. આવી સ્થિતિમાં લોકો ઘરમાં ગીઝર લગાવે છે. ગીઝર જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે. કારણ કે ગીઝર સાથે આપણે ઘણી સાવચેતી રાખવી પડે છે. જો આ સાવચેતી ન રાખવામાં આવે તો મૃત્યુનો ખતરો બની શકે છે. તે કેવી રીતે છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ.

ઘરનો એક એવો સદસ્ય ચોક્કસપણે છે જે હંમેશા ગીઝર ચાલુ કરીને ભૂલી જાય છે. જો ગીઝર લાંબા સમય સુધી ચાલુ રહે તો ગીઝરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની શકે છે. અમે તમને જાગૃત કરી રહ્યા છીએ કે આવું કોઈની સાથે ન થવું જોઈએ.

1.
જ્યારે પણ તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ ગીઝર ચાલુ કરો ત્યારે અગાઉથી ગીઝરને બંધ કરવાનો સમય નક્કી કરો જેથી તમે ગીઝરને બંધ કરવાનું ભૂલશો નહીં. આજકાલ જે ગીઝર આવે છે તે આપોઆપ બંધ થઈ જાય છે. પરંતુ જેમની પાસે જૂના ગીઝર છે તેમની પાસે ઓટોમેટિક સ્વીચ ઓફ સિસ્ટમ નથી. આવી સ્થિતિમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ગીઝર ક્યારે બંધ કરવું.

2.
જ્યારે પણ તમે ગીઝર ખરીદો ત્યારે તેને ક્યારેય જાતે ફિટ કરવાનો પ્રયાસ ન કરો. કારણ કે જો તમે જાતે પ્રયાસ કરો અને વાયર અહીં અને ત્યાં હશે. તો આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. આ ઉપરાંત હંમેશા ISI ચિન્હનાં ગીઝર ખરીદો. લોકલ ગીઝર ભૂલી જાવ.

3.
ગેસ સિલિન્ડરનો ટ્રેન્ડ ઘણો આગળ વધી ગયો છે. તેમાં બ્યુટેન અને પ્રોપેન નામના વાયુઓ છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જો તમે તેને તમારા બાથરૂમમાં લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ત્યાં એક્ઝોસ્ટ ફેન હોવો જોઈએ. જેથી તેમાંથી જે પણ ગેસ નીકળે છે તે બાથરૂમમાં જમા ન થાય. કારણ કે તે શરીર માટે સારું નથી.

4.
ગીઝરને બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ. જેથી બાળકો ગીઝરને સ્પર્શ ન કરે. તેનાથી તેમને કરંટ પણ લાગી શકે છે.

આ પણ વાંચો :-

WhatsApp પર આજે જ બંધ કરી દો આ ઓપ્શન, નહીં તો લીક થઈ શકે છે આ જરૂરી માહિતી

Turn off this option on WhatsApp today

  • WhatsApp લાઈવ લોકેશનને બંધ કરવું ખૂબ જ સરળ બની જાય છે. તમારે તેને કેવી રીતે ચાલુ અને બંધ કરવું તે જાણવું જોઈએ.

WhatsAppના વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ છે. જરૂરી ફિચર્સના સંદર્ભમાં સામાજિક મેસેજિંગ એપ્લિકેશન (Social messaging app) લાઈવ લોકેશન સ્થાન પ્રદાન કરે છે જે યુઝર્સને એક ખાસ સમય માટે અન્ય યુઝર્સની સાથે પોતાના તેમના રીયલ-ટાઈમ લોકેશન શેર કરવાની સુવિધા આપે છે.

વોટ્સએપ લાઈવ લોકેશન ફીચર એ કંટ્રોલ કરવાની સુવિધા આપે છે કે તેમનું લાઈવ લોકેશન ક્યારે અને ક્યાં સુધી શેર કરવામાં આવે છે. તેઓ કોઈપણ સમયે અન્ય કોન્ટેક્ટ સાથે લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરી શકે છે.

લોકેશન ફિચર કઈ રીતે કરે છે કામ? 

WhatsApp મેસેજની જેમ લાઈવ લોકેશન ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે, જેનો અર્થ છે કે તમે જે લોકેશન શેર કરો છો તે તમારા સિવાય કોઈ જોઈ શકતું નથી. WhatsApp પર તમારું લોકેશન શેર કરતા પહેલા તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગમાં WhatsApp માટે લોકેશન ફીચરને એક્ટિવ કરવું પડશે.

અહીં જાણો સ્ટેપ ટૂ સ્પેટ પ્રોસેસ  :

  • સૌથી પહેલા તમારે તમારા ફોનના સેટિંગમાં જવું પડશે.
  • અહીં એપ્લિકેશન્સ અને નોટિફિકેશન પર નેવિગેટ કરવાનું રહેશે.
  • એડવાન્સ ઓપ્શન્સ પર જાઓ અને પછી એપ પરમિશન પર જાઓ.
  • હવે લોકેશન પર ટેપ કરો અને વોટ્સએપ ઓન કરો.

WhatsApp પર બીજાની સાથે પોતાના લાઈવ લોકેશનને શેર કરવાની યોગ્ય રીત :

  • તમારા ફોન પર WhatsApp ખોલો.
  • યુઝર અથવા ગ્રુપ ચેટ પર જાઓ જ્યાં તમે લાઈવ લોકેશન શેર કરવા માંગો છો.
  • ચેટ વિન્ડોમાં, એટેચ > લોકેશન > લાઈવ લોકેશન શેર કરો પર ટેપ કરો.
  • અહીં તમે તે સમય પસંદ કરી શકો છો કે તમે કેટલા સમય સુધી તમારું લાઇવ લોકેશન શેર કરવા માંગો છો. પસંદ કરેલ સમય પછી તમારું લાઈવ લોકેશન શેર થવાનું બંધ થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે તમારું લોકેશન શેર કરતી વખતે કંઈક લખી પણ શકો છો.
  • હવે તમારે સેન્ડ પર ક્લિક કરવાનું રહેશે.

વોટ્સએપ પરથી પોતાનું લાઈવ લોકેશન શેર કરવાનું બંધ કઈ રીતે કરવું?

પર્સનલ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ પર જઈ અને વ્યક્તિગત અથવા ગ્રુપ ચેટ ખોલો. પછી અહીં શેરિંગ બંધ કરો પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

ગ્રુપ ચેટ માટે :

સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરીને ગ્રુપ ચેટમાં જવું પડશે. હવે તમારે મોર ઓપ્શન > સેટિંગ્સ > પ્રાઈવસી > લાઇવ લોકેશન પર ટેપ કરવાનું રહેશે. તે પછી સ્ટોપ શેરિંગ પર ટેપ કરો અને પછી સ્ટોપ પર ટેપ કરો.

તમને જણાવી દઈએ કે યૂઝર્સ તેમના ફોનના સેટિંગમાં જઈને કોઈપણ સમયે WhatsApp માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરી શકે છે. આ માટે યુઝર્સે એપ્લીકેશન્સ અને નોટિફિકેશન પર જવું પડશે, પછી એડવાન્સ્ડ, એપ્લિકેશન પરમિશન્સ, લોકેશન પર નેવિગેટ કરવું પડશે અને પછી વોટ્સએપ માટે લોકેશન પરમિશનને ડિસેબલ કરવું પડશે.

આ પણ વાંચો :-

19 ડીસેમ્બર 2022 રાશિફળ : આ 4 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- મહાદેવની કૃપાથી મળશે મોક્ષનો માર્ગ

19 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આખો દિવસ ઉત્સાહસભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારું. કાર્યક્ષેત્રે પત્નીનો પૂર્ણ સહકાર મળે.ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્ત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકૂળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જમાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય.

સિંહઃ
આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા, કાર્યકુશળ બનશો. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઈ રહેશે.

તુલાઃ
દિવસ દરમિયાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબહતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાકીય બાબતોમાં અનુકૂળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકારની ભાવના પેદા થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજવસ્તુ ખોવાઈ જાય. ફુડ પોઈઝનિંગ કે દવાના રિએકનથી સાચવવું. ઝેરી-જંતુ, કુતરું કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

આ પણ વાંચો :-

શું જાન્યુઆરીમાં ફરી આવશે રૂ.1 હજારના નોટ ! જાણો વાયરલ થયેલા મેસેજ પર સરકારે શું કરી સ્પષ્ટતા

0

Will the notes of Rs. 1 thousand come again in January

  • સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝ એટલા આવે છે કે શું સાચું તે શોધવું મુશ્કેલ બન્યું છે. નોટબંધીને લઈને તમને પણ કોઈ મેસેજ આવ્યો હોય તો જાણી લો શું છે સચ્ચાઈ.

ભારતમાં નોટબંધી (Demonetisation) 6 વર્ષ વીતી ગયા તેની અસર એવી રહી કે આજે પણ નોટબંધીને લઈને ચર્ચા ગમે ત્યારે સોશ્યલ મીડિયામાં ઉઠી જતી હોય છે. એવામાં હાલમાં જ એક વીડિયો વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે ચલણી નોટોને લઈને.

શું છે સત્ય ? 

સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલી જાન્યુઆરીથી ભારત સરકાર ફરીથી 1000ની ચલણી નોટો શરૂ કરી દેશે. જોકે આ મેસેજ તદ્દન ખોટો છે. ખુદ સરકારના જ વિભાગ PIB દ્વારા ટ્વિટ કરીને સમગ્ર દાવા મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે અને અપીલ પણ કરી છે કે આવા મેસેજ ફોરવર્ડ ના કરશો.

ખોટા છે તમામ દાવા :

નોંધનીય છે કે વાયરલ વીડિયોમાં તો એવા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે 2000 ની નોટ હવે બંધ થઈ જવાની છે અને લોક માત્ર 50 હજાર રૂપિયા જ જમા કરવાની મંજૂરી મળશે. માત્ર 10 જ દિવસ સુધીના જ મહેમાન છે 2000ના નોટ. જોકે જો તમારામાં પણ આવા મેસેજ આવે તો તેને ફોરવર્ડ ન કરતાં કારણ કે સરકારે જ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી દીધી છે.

નોંધનીય છે કે પીએમ મોદીએ વર્ષ 2016માં દેશભરમાં નોટબંધી કરીને 500 અને 1000ના નોટ રદ્દ કરી નાંખ્યા હતા અને કારણ આપવામાં આવ્યું હતું કે બ્લેક મની સામે લડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ધ્યાન રાખજો ! OTP કે PIN વગર પણ ખાલી થઈ શકે છે તમારું બેંક ખાતું, છેતરપિંડીથી બચવા શું કરવું?

0

Your bank account can

  • હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં તેણે કેટલાક કોલ્સને અવગણ્યા હતા. પરંતુ જેમ જ તેણે કોલ ઉપાડયો બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

એક કહેવત છે કે લોભિયાઓ વસતા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે…જો તમે બેંકમાં વધુ પડતા પૈસા મુકી રાખ્યાં હોય તો ચેતતા રહેજો, તમારા પૈસા પર ગઠિયાઓ નજર રાખીને બેઠાં છે. ઓનલાઈન ટ્રાંજેક્શનના (Online Transactions) યુગમાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. જેને કારણે દરેક બેંક એકાઉન્ટ હોલ્ડરોએ સર્તક રહેવાની જરૂર છે. અત્યાર સુધી આપણે જાણતા અને સાંભળતા આવ્યા છીએ કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો (Debit and Credit Cards) ઉપયોગ કરતી વખતે તેનો પાસવર્ડ કે પિન કોઈની સાથે શેર ન કરવો જોઈએ. અને જો તમારા ફોનમાં OTP અથવા લિંક અજાણા લિંક આવે તો તેને બિલકુલ ક્લિક ન કરવી જોઈએ.

આમ કરવાથી તમારી બેંકમાંથી પૈસા ઉપડી શકે છે. જો તમારા ફોન પર અજાણ્યો કોલ આવે છે, તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. એવું કહેવામાં આવે છે કે આ સિમ સ્વાઇપ ફ્રોડ હેઠળ આવે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. પરંતુ જો તમે માત્ર એક મિસ્ડ કોલથી તમારી ડિપોઝિટ ગુમાવશો તો શું? હવે ચોરોએ કેટલીક નવી પદ્ધતિ શોધી કાઢી છે, જેમાં કોઈપણ OTP, PIN, પાસવર્ડ કે લિંક વગર લોકોના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે.

હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ, સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં તેણે કેટલાક કોલ્સને અવગણ્યા હતા. પરંતુ જેમ જ તેણે કોલ ઉપાડયો બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.

સિમ સ્વાઈપ ફ્રોડ-

કહેવામાં આવી રહ્યું છે કે છેતરપિંડી કરનારાઓ હવે બેંકમાંથી પૈસા ઉપાડવા માટે ‘સિમ સ્વાઇપ ફ્રોડ’નો ઉપયોગ કરી રહ્યા છે. આમાં, તમારા એકાઉન્ટને એક્સેસ કરવા માટે તમારા ફોન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે અને સિમ સ્વિચ કરી લેવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ તમારા મોબાઇલ ફોનના સિમ પ્રોવાઇડરનો સંપર્ક કરે છે અને તેમને તે જ નંબરથી સિમ કાર્ડ સક્રિય કરવા માટે કહે છે. એકવાર આ સિમ એક્ટિવેટ થઈ જાય પછી સ્કેમર્સનો પીડિતના ફોન નંબર પર નિયંત્રણ હોય છે. તેઓ પછી નિયંત્રણ કોલ્સ અથવા મેસેજ પ્રાપ્ત કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને નિયંત્રિત કરી શકે છે.

છેતરપિંડીથી બચવા શું કરવું?

  • અજાણી લિંક ખોલવાનું ટાળો.
  • જો પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને એકાઉન્ટ લોક કરાવો.
  • છેતરપિંડીની માહિતી સાયબર સેલને કરો.
  • તમારા સિમને હંમેશા અપડેટ રાખો સમય સમય પર તેનું KYC કરાવો.
  • કોઈપણ અજાણ્યા કોલ અથવા મેસેજનો જવાબ આપવાનું ટાળો.

આ પણ વાંચો :-

પઠાણના વિરોધમાં હવે ઈન્દ્રભારતી બાપુ પણ જોડાયા, સીધી મહારાષ્ટ્ર સરકાર જુઓ શું કહ્યું

0

Now Indrabharti Bapu also joined the protest

  • બોલિવૂડ ફિલ્મ પઠાણનો વિરોધ યથાવત. જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો, ફિલ્મમાંથી ખરાબ દ્રશ્યો હટાવવાની કરી માંગ..

બોલિવૂડ ફિલ્મ પઠાણનો (Bollywood movie Pathan) વિરોધ વિવિધ રાજ્યમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનો હંગામો એટલો બધો થયો છે દેશના વિવિધ રાજ્યમાં તે ફિલ્મના પોસ્ટરો પણ સળગાવવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં કેટલાક સંગઠનોએ તો ચીમકી પણ આપી દીધી છે કે અમે આ ફિલ્મ રિલીઝ થવા જ નહી દઈએ. જેના વિરોધના શૂર હવે ગુજરાતમાં પણ ઉઠી રહ્યાં છે. જૂનાગઢ (Junagadh) ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ (Indrabharti Bapu) મરાઠીમાં પઠાણનો વિરોધ કર્યો છે.

ઈન્દ્રભારતી બાપુએ વિરોધ કર્યો :

જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની  માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.

આ પણ વાંચો :-

જાહ્નવી કપૂરના બોલ્ડ ફોટા જોઈને થંભી જશે શ્વાસ ! હોટનેસનો કોઈ જવાબ નહી

Janhvi Kapoor’s bold photos will take

  • જાહ્નવી કપૂર બોલીવુડની જાણીતિ અભિનેત્રીઓમાંથી એક છે. સોશિયલ મીડિયા પર લોકો તેની તસવીરોને ખૂબ પસંદ કરે છે. પહેલાંની તુલના કરીએ તો અભિનેત્રીએ પોતાના ફેશન સેન્સમાં ખૂબ ઈમ્પ્રૂવમેન્ટ કર્યું છે. એ ક્યારેક પોતાના લુક તો ક્યારેક રિલેશનશિપની અફવાઓના લીધે ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પોતાના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ લુકમાં ફોટોઝ અપલોડ કરતી રહે છે. આજે અમે તમારી સાથે જાહ્નવી કપૂરના 5 સૌથી બોલ્ડ લુક્સ શેર કરવાના છીએ જેમાં અભિનેત્રીની હોટનેસનો (Hotness of the actress) કોઈ જવાબ નથી. આવો તે લુક્સ પર એક નજર કરીએ. આ લુકમાં જાહ્નવી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેમણે હાઈ સ્લિટ ગાઉન (High slit gown) પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ ડ્રેસમાં જાહ્નવી કપૂરે ફેન્સને ખૂબ પ્રેમ આપ્યો હતો. જાહ્નવી કપૂર આ નાનકડી સફેદ મિડીમાં કોઇ ડીવાથી કમ  લાગી રહી નથી. ફોટામાં જાહ્નવી કપૂરની અદાઓ ખૂબ જ કાતિલાના છે. આ ડેસમાં જાહ્નવી કપૂર કોઈ બાર્બી ડોલથી ઓછી લાગી રહી નથી. લાઈટ શિમરી ગાઉનમાં અભિનેત્રી જોરદાર પોઝ આપતી જોવા મળે છે. ફેન્સે તેના આ લુકને ખૂબ પસંદ કર્યો હતો.

સાડીમાં પણ જાહ્નવી કપૂર કોઈ અપ્સરાથી કમ લાગી રહી નથી. આ ફોતોમાં અભિનેત્રીએ સફેદ સાડી પહેરી છે. સાડી પર પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રી હેવી આઈ મેકઅપ કર્યો છે. જાહ્નવી કપૂર ટ્રેડિશનલ આઉટફિટમાં પણ ખૂબ સેક્સી લાગે છે. આ લુકમાં જાહ્નવી કપૂરે ગ્રીન લેંઘો પહેર્યો છે અને એકદમ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-