Home Blog Page 1209

જૈન તીર્થસ્થાન શેત્રુંજય અને સમ્મેત શિખર માટે સરકારનું ઉદાસીન વલણ શા માટે ?

Why the indifferent attitude

  • શેત્રુંજયમાં અસામાજિક પ્રવૃત્તિ સામે વારંવારની ફરિયાદો છતાં સરકારને પગલાં ભરતા કોણ રોકે છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકારે જ જીવ હિંસાની પ્રવૃત્તિ રોકવા શેત્રુંજયને પવિત્ર તીર્થધામ જાહેર કર્યું હતું.
  • ઝારખંડમાં આવેલા અતિપવિત્ર માનવામાં આવતાં સમ્મેત શિખરજીને પ્રવાસન સ્થળ જાહેર કરવાની ક્યાં જરૂર હતી? અહિંયા બિનજૈન શ્રદ્ધાળુઓ માટે પણ કોઈ પ્રતિબંધ નથી.
  • દેશભરમાં પથરાયેલા અને અર્થતંત્ર સાથે સંકળાયેલા જૈન સમુદાયની ઠંડી તાકાતની અવગણના સરકારને ભારે પડી શકે.

ખુબ જ શાંત અને સરળ ગણાતા જૈન (Jain) સમાજમાં એકાએક આક્રોશ કેમ ફાટી નીકળ્યો? આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. મુઠ્ઠીભર જૈનોને એકઠા કરવા હોય તો દમ નીકળી જાય એવા સમાજનાં સેંકડો પરિવારો અને સાધુ ભગવંતો રોડ ઉપર ઉતરી આવે ત્યારે ચોક્કસ કોઈ મોટો અન્યાય થયો હશે એવું માની શકાય. દેશભરમાં સેંકડો જૈન મંદિરો (Jain temples), ઉપાશ્રય આવેલા છે. સેંકડો સ્થળોએ જીવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લાખો, કરોડોનું દાન કરવામાં આવે છે. પરંતુ ક્યાંય પણ હોહા કે મોટી બુમરાણ મચાવાતી નથી. ચાર્તુમાસ દરમિયાન એક બે નહીં ચાર-ચાર માસ સુધી જૈનાચાર્યોનાં (Jainacharyas) આધ્યાત્મિક પ્રવચનો થાય છે. પરંતુ ક્યાંય પણ મોટો ઘોંઘાટ કે અડોશ-પડોશનાં લોકોને પરેશાની થતી હોય એવી ફરિયાદ ભાગ્યે જ સાંભળવા મળે છે.

તો અચાનક જૈનોમાં આક્રોશ કેવી રીતે ફાટી નીકળ્યો? આની પાછળ ચોક્કસ કારણ છે. એક વાત ચોક્કસ છે કે, જૈન ગમે તેટલો ભણેલો હોય કે શ્રીમંતાઈમાં આળોટતો હોય, પરંતુ લગભગ સો ટકા જૈનો ધર્મપરાયણ જોવા મળશે. વહેલી સવારે નાના-નાના જૈન ભુલકાઓને ધોતી પહેરીને દહેરાસરમાં દર્શને જતાં લોકોએ જોયા જ હશે. કારણ કે, જૈન પરિવારોમાં બાળપણથી જૈન તીર્થકરો વિશે આદર અને આસ્થાની ભાવના ભરવામાં આવે છે અને જૈન પરિવારનાં સંતાનોને બાળવયે જ મળેલા સંસ્કારોને કારણે માણસ ગમે તેટલો મોટો થાય તો પણ ધર્મનાં સંસ્કારો જળવાયેલા રહે છે. જૈન સમાજ જેટલો ધર્મ પ્રત્યે આદર ધરાવે છે.એટલો વહેવારમાં વિનમ્ર પણ છે, પરંતુ આ કદાચ પહેલી ઘટના હશે કે, સમગ્ર દેશભરમાં જૈન પરિવારો, જૈનાચાર્યો અને સાધુ ભગવંતો સહિત જૈન મંદિરો, જૈન તીર્થસ્થાનનાં રક્ષણ માટે જાહેર માર્ગો ઉપર ઉતરી આવ્યા છે.

ખેર, સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતનાં પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત અને બંગાળને અડીને આવેલા ઝારખંડ રાજ્યનું સમ્મેત શિખર પર્વત સમગ્ર જૈન સમાજ માટે ગાઢ આસ્થાનાં તીર્થસ્થાનો છે. જૈન સમાજ માટે આ તીર્થસ્થળો પોતાનાં જીવ કરતાં વિશેષ હોવાથી તીર્થસ્થળોનાં રક્ષણ માટે સમગ્ર દેશનો જૈન સમાજ એક થઈને મેદાનમાં ઉતરી આવ્યો છે. જૈનોનાં આક્રોશ પાછળ મૂળભૂત રીતે રાજકીય શાસકોની બેજવાબદારી કારણભૂત માનવામાં આવે છે.

1

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી પાલિતાણા શેત્રુંજય પર્વત અને શેત્રુંજય નદીને ઘણાં સમય પહેલાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકારે પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યાં હતાં. પરિણામે શેત્રુંજય ડેમ અને શેત્રુંજય નદીમાં માછીમારી સહિતની જીવ હિંસાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ આવી ગયો હતો અને બધુ રાબેતા મુજબ ચાલતુ હતું. પરંતુ શેત્રુંજય પર્વતની તળેટીમાં પાછલાં કેટલાંક સમયથી અસામાજિક પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો હતો. જૈન સાધુ ભગવંતોને અડચણરૂપ પ્રવૃત્તિ કરવા ઉપરાંત એવું કહેવાય છે કે, શેત્રુંજય પર્વતની તળેટીમાં માટીખનન એટલે કે, પથ્થર કાઢવાની અને શરાબ જેવા નશીલા પદાર્થોની પ્રવૃત્તિ વકરી રહી હોવાથી જૈન સમાજ પાછલાં ઘણાં સમયથી વિરોધ ઉઠાવતો આવ્યો છે. પરંતુ જૈનોનાં વિરોધને વાચા મળતી નહોતી અને સરકાર પણ જૈનોની લાગણીને સતત અવગણતી હતી એવા આક્ષેપો થઈ રહ્યાં છે.

અધુરામાં પુરું થોડા દિવસ પહેલાં શેત્રુંજય પર્વત ઉપર આવેલા એક શિવ મંદિરનાં વહિવટીને લઈને વિવાદ ઉભો થયો હતો. અલબત્ત શિવ મંદિરનાં પ્રશ્ને જૈનોની લાગણી સાનુકૂળ હતી. પરંતુ શેત્રુંજય પર્વતમાં અસામાજિક તત્ત્વોની વધી રહેલી પ્રવૃત્તિનાં મામલે જૈન સમાજ અકળાયો હતો અને સરકારમાં વારંવારની રજૂઆતો કરવા છતાં અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શન સાથે સામૂહિક અને અસરકારક રજૂઆતોનો દોર શરૂ કરાયો હતો. રાજ્ય સરકારે નિર્ણાયત્મક રીતે જૈનોની રજૂઆતને સાંભળી નથી. માત્ર સ્પેશ્યલ તપાસ સમિતિ એટલે ‘એસઆઈટી’ની રચના અને કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની જાહેરાત કરીને જૈનોનાં આક્રોશને થાળે પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતનાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જૈન હોવા ઉપરાંત પાલિતાણાની સમસ્યાથી વાકેફ હોવા છતાં તેમણે કોઈ નક્કર જાહેરાત નહીં કરતાં જૈન સમાજમાં હર્ષ સંઘવી માટે પણ છૂપી નારાજગી જોવા મળી હતી અને વિરોધ પ્રદર્શન, રજૂઆતો ચાલુ રાખવાની દિશામાં ખાનગીમાં સલાહ સુચનો કરાયા હતાં.

ખેર, પાલિતાણાનાં શેત્રુંજય પર્વતની સાથે સાથે ઝારખંડ સ્થિત જૈનોનાં અતિ પવિત્ર તીર્થધામ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરીને ઝારખંડ સરકારે બળતામાં ઘી રેડવા જેવો ઘાટ કર્યો હતો. હકીકતમાં સમ્મેત શિખર ઉપર માત્રને માત્ર જૈનોનો ઈજારો નથી. બિનજૈન સંપ્રદાયનાં લોકો પણ વર્ષોથી સમ્મેત શિખરની યાત્રાએ જતાં-આવતાં રહ્યાં છે. જૈનોની વાત એટલા માટે વ્યાજબી છે કે, સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવે તો સમ્મેત શિખરનું ધાર્મિક યાત્રાસ્થળ તરીકેનું મહત્ત્વ ઘટી જવા સાથે સમ્મેત શિખર પર્વત ઉપર શરાબ, માંસ, મટન સહિતની અન્ય પ્રવૃત્તિઓ શરૂ થવાનો ભય છે અને વળી જૈનોનો આ ભય પણ કેટલાંક અંશે વ્યાજબી પણ ગણી શકાય. આમ પણ ભારતમાં ધાર્મિક સ્થળોનું ક્રમશઃ મૂલ્ય ઘટી રહ્યું છે. તેવા સમયે સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું ધાર્મિકસ્થળોનાં હિતમાં પણ નથી. એક વાત ચોક્કસ છે કે, આજે પણ બિનજૈન લોકો સમ્મેત શિખર પર્વતનાં દર્શન અને મુસાફરીનો આનંદ લઈ રહ્યાં છે. તેવા સમયે કારણ વગર સમ્મેત શિખર તીર્થધામને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવું યથાયોગ્ય નથી. વળી દેશભરનાં કોઈ ખૂંણામાંથી પણ સમ્મેત શિખર પર્વતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગણી પણ ઊઠી નથી.

2

સમ્મેત શિખરનાં પ્રશ્ને ઘણાં લાંબા સમયથી જૈનોનાં વિરોધ પ્રદર્શનો ચાલુ જ હતા. તેમ છતાં સરકારે જૈનોની લાગણીને સતત અવગણતા આખરે દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા અને સમ્મેત શિખરને બચાવવા માટે ઘણાં લાંબા દિવસોથી સતત ઉપવાસ કરી રહેલાં મુનિ સુજ્ઞેયસાગરે સાંગાનેરનાં જૈન મંદિરમાં અંતિમ શ્વાસ લેતાં જૈન પરિવારોમાં વધુ આક્રોશ ઉગ્ર બન્યો હતો અને જૈન સમાજે મુનિ સુજ્ઞેયસાગરનાં અવસાનને પ્રાણનું બલિદાન ગણાવ્યું હતું. મુનિ સુજ્ઞેયસાગરજીએ ગત ૨૫મી ડિસેમ્બરથી અન્‍ન-જળનો ત્યાગ કર્યો હતો અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. તેમણે સાંગાનેરનાં સાંઈજી જૈન મંદિરમાં આચાર્યનાં સાનિધ્યમાં પરમેશ્વરનું ધ્યાન કરતાં કરતાં શરીર છોડી દીધું હતું.

મુનિ સુજ્ઞેયસાગરજીનાં બલિદાન બાદ દેશભરમાં પથરાયેલા જૈન સમાજમાં સરકાર સામેની નારાજગીમાં વધારો થયો હતો. વેપારી સમાજ ગણાતાં જૈનો તલવાર લઈને લડવા નહીં નીકળે. પરંતુ સરકાર જૈનોની ધાર્મિક લાગણીને નહીં સમજે તો આવનારા સમયમાં રાજકીય શાસકોએ ચોક્કસ કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો :-

રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ભયંકર આગાહી

0

Bone-chilling cold will fall in the state

  • ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને સતત ઠંડી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે ઠંડી પડવાની છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસર ગુજરાતમાં થશે અને રાજ્યમાં ઠંડી વધશે.

વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological department) આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની આગાહી કરી છે. એટલે કે હવે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. રાજ્યના લોકો આગામી પાંચ દિવસ સુધી ભારે ઠંડીનો અનુભવ કરશે.

ગુજરાતમાં ઠંડી વધશે :

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી રાજ્યમાં ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. કેમ કે હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અનેક શહેરોમાં ભારે ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયાનું તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જૂનાગઢ અને અમરેલીમાં 9 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય શહેરોમાં પણ તાપમાન ઘટડા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી :

હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

03 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

03 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભ :
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ.

મિથુન :
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્ક :
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન, પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે.

‌સિંહ :
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈ બહેન  પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યા :
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી રાખવી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલા :
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃ‌શ્ચિક :
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધન :
મન ઉપર ખોટા નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકર :
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભ :
નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ, આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઈ જાય.

મીન :
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે. નોકરીમાં ‌િદવસ શાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

5G Service : ગ્રાહકોની બલ્લે બલ્લે થઈ જશે, આટલી મળશે જબરદસ્ત સ્પીડ

5G Service

  • નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

જો તમે હજી સુધી તમારા સિમ કાર્ડમાં (sim card) 5G સેવા મેળવવાનું શરૂ કર્યું નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ક્યારે 5G સેવાનો સંપૂર્ણ લાભ ઉઠાવી શકો છો. જેમાં તમે હાઈ સ્પીડ (High speed) પર ઈન્ટરનેટ ચલાવો અને કોલિંગનો આનંદ માણો. આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે ઈન્ટરનેટ સ્પીડ વિશે વાત કરવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે હવે તમને પહેલાં કરતા ઘણી સારી ઈન્ટરનેટ સ્પીડ ઓફર કરવામાં આવશે અને આ સ્પીડના કારણે યુઝર્સ હાઈ સ્પીડ પર ઈન્ટરનેટ ડાઉનલોડ અને સર્ફિંગ કરી શકશે.

જ્યાં પહેલા તમને કોલિંગ દરમિયાન કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. હવે તમને આ સમસ્યાથી સંપૂર્ણપણે છુટકારો મળશે અને સાથે જ કોલ બ્રેકિંગની સમસ્યા પણ ખતમ થઈ જશે.

5G સેવાની સૌથી મોટી ભૂમિકા વીડિયો કોલિંગમાં પણ જોવા મળશે જ્યાં તમને નેક્સ્ટ લેવલનો વીડિયો કોલિંગ અનુભવ કરવાનો મોકો મળશે જે તમે પહેલાં નહોતા કરી શકતા પરંતુ હવે તમે 5G સેવા સાથે કરી શકશો.

નવું વર્ષ શરૂ થતાંની સાથે જ કંપનીઓ તેમના 5G સેટઅપને સંપૂર્ણપણે મજબૂત કરશે અને વપરાશકર્તાઓને શ્રેષ્ઠ 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. જે ફક્ત કોલિંગને જ નહીં પરંતુ ઈન્ટરનેટને પણ સુધારશે.

મોટાભાગની કંપનીઓએ તેમની 5G સેવા શરૂ કરી દીધી છે પરંતુ હજુ સુધી દરેક ક્ષેત્રમાં સેવા આપતી નથી. આવી સ્થિતિમાં કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓને સેવા મળી રહી નથી. પરંતુ વપરાશકર્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નવું વર્ષ 5G માટે સરસ રહેશે.

આ પણ વાંચો :-

મોંઘવારી કાપશે તહેવારનો પેચ ? ગુજરાતનાં પતંગ બજારના વેપારીઓએ વર્ણવી હૈયાવરાળ

0

Inflation will cut the patch of the festival

  • સુરતના પતંગ બજારમાં હજુ પણ મંદી. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા, કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો.

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે કામ કરી  રહ્યાં છે ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો (Uttarayana) તહેવાર પણ સામેલ છે. ઉત્તરાયણનો તહેવાર આવે તો મોઢામાં પ્રથમ શબ્દ ગુજરાત અને ગુજરાતીઓ જ આવે. ગુજરાતમાં સુરત (Surat) સૌથી મોટું પતંગ માર્કેટ ગણાય છે પંરતુ પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી છે.

સુરતના પતંગ બજારમાં હજુ મંદી :

સુરતના પતંગ બજારમાં હજુ મંદી જોવા મળી રહી છે. બીજી તરફ જથ્થાબંધ પતંગ બજારમાં ઓર્ડર મુજબ ઘરાકી છે. એક તરફ પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા છે અને બીજી તરફ પતંગની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ પંતગના વેપારીમાં ચિંતા ઘેરાઈ છે ગયા વર્ષે કોરોનાને લઈ માર્કેટ ઠંડુ જોવા મળ્યું હતું જ્યારે આ વર્ષે પણ હજુ સુધી મંદી જોવા મળી રહી છે.

પતંગના રો મટીરીયલના ભાવ વધ્યા :

પતંગના રો-મટીરીયલમાં ભાવ વધ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે કાગળ, વાંસની સળીના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. જથ્થાબંધ પતંગમાં ભાવવધારાથી છૂટક પતંગના ભાવ પણ વધ્યા છે. સુરતના રાંદેરમાં પાંચ પેઢીથી એક પરિવાર પતંગ બનાવે છે. હવે ઉત્તરાયણને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ વર્ષે પતંગ માર્કેટમાં અજી રોનક આવી નથી.

અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી :

ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ છે. અમદાવાદ બજારમાં પતંગોમાં અવનવી વેરાયટી જોવા મળી રહી છે. નાના બાળકોથી લઈને યુવાનો માટે અવનવી પતંગો અને ફિરકીઓ છે. માંજાને કલર કરનાર લોકો પણ યુપીથી ગુજરાત આવી ગયા છે. જો કે અત્યારે પતંગ અને દોરીના રીલના ભાવમાં વધારાથી થોડી મંદી જોવા મળી રહી છે. 5 હજાર વાર દોરી રંગવાના ભાવ 250થી 300 રૂપિયા ચાલી રહ્યાં છે તેવું વેપારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો :-

શું તમારી ટ્રેન મોડી પડી ? ભારતીય રેલ્વે આપે છે મફત ચા-નાસ્તો અને જમવાનું જાણો નિયમ

0

Is your train late? Indian Railways offers

  • જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે. તમને ચા નાસ્તો અથવા ભોજન પીરસવામાં આવે છે.

ભારતીય રેલ્વેનું (Indian Railways) સમય કરતા મોડું ચાલવું ઘણા લોકોને સામાન્ય લાગે છે. ઘણા લોકો મુસાફરી દરમિયાન ટ્રેન લેટ ચાલવાની ફરિયાદ કરતા હોય છે. ત્યારે હાલ શિયાળાની મોસમ પણ ચાલી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની (Flog) સમસ્યા પણ યથાવત છે. આવી સ્થિતિમાં ટ્રેનો પણ મોડી પડે છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણી વખત લોકો વિલંબના કારણે તેમની ફ્લાઈટ ચૂકી પણ જાય છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે તમને એક ખાસ સુવિધા આપે છે. જેનો તમારે લાભ લેવો જ જોઈએ. જ્યારે ટ્રેન મોડી પડે છે ત્યારે રેલવે મુસાફરોને મફત ભોજન, પાણી અને નાસ્તો આપે છે. તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો? ચાલો જાણીએ.

શું તમે આ સ્કીમ વિશે જાણો છો :

રેલવે દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ લેવો એ તમારો અધિકાર છે. મોટાભાગના લોકો આ સુવિધાઓથી વાકેફ નથી. આવી સ્થિતિમાં તમારે આ વાત જાણવી જ જોઈએ. જો તમારી ટ્રેન મોડી ચાલે છે અથવા કોઈ કારણસર મોડી પડે છે. તો ભારતીય રેલ્વે મુસાફરોને વિશેષ સુવિધા આપે છે.

આ મુસાફરોને લાભ મળે છે :

રેલ્વે નિયમો અનુસાર જો કોઈ ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી પડે છે, તો મુસાફરોને નાસ્તો અને ભોજન મફત આપવામાં આવે છે. આ સુવિધા અમુક પસંદગીની એક્સપ્રેસ ટ્રેનોમાં જ ઉપલબ્ધ છે. આ ટ્રેનોમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે. શિયાળાની ઋતુમાં ધુમ્મસને કારણે ઘણી વખત ટ્રેનો કલાકો મોડી દોડે છે.

આવી સ્થિતિમાં જો તમારી ટ્રેન પણ લેટ છે. તો તમારે આ સુવિધાનો લાભ લેવો જોઈએ. જો ટ્રેન લેટ થાય છે તો IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. પરંતુ જો ભોજન તમારા સુધી પહોચ્યું નથી તો તમે IRCTC પાસેથી આ સુવિધાની માંગ કરી શકો છો.

આ વસ્તુઓ ખાવામાં મળે છે :

રેલ્વે નાસ્તામાં ચા કે કોફી અને બિસ્કીટ આપે છે. સાથે જ સાંજના નાસ્તામાં ચા કે કોફી અને બટર બ્રેડ આપવામાં આવે છે. દાળ, રોટલી અને શાક બપોરે જમવાના સમયે આપવામાં આવે છે. કેટલીક વાર બપોરના ભોજનમાં પુરી પણ પીરસવામાં આવે છે.

આ પણ વાંચો :-

બોલીવુડમાં દુકાન ન ચાલી તો આ હસીનાએ બાજી બદલી, ધીરે રહીને ઘુસી ગઈ સલમાનના ઘરમાં !

If the shop did not work in Bollywood

  • ન જાણે કેટલા લોકો બોલિવૂડનો ચમકતો સ્ટાર બનવાનું સપનું લઈને મુંબઈ પહોંચે છે. પરંતુ આમાંથી અમુક જ લોકો સફળ થાય છે. બીજી તરફ કેટલાક લોકો પોતાના સપના પૂરા કરવા માટે અલગ-અલગ રીતે લોકપ્રિય થવાનો પ્રયાસ કરે છે.

ફોટામાં દેખાતી આ અભિનેત્રીનું નામ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andrea) છે. તેમના દ્વારા ભજવવામાં આવેલ કોઈ પાત્ર તમને ભાગ્યે જ યાદ હશે. જોકે મોટાભાગના લોકો તેનું નામ એટલા માટે પણ યાદ રાખે છે કારણ કે તે હસીના અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે. જ્યોર્જિયા સોશિયલ મીડિયા (Social media) પર ઘણી એક્ટિવ રહે છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કારકિર્દીમાં લોકોને બહુ રસ નથી. તેની સોશિયલ મીડિયા પોસ્ટસ જોઈને ઘણા લોકોને એવું પણ લાગે છે કે તે પોતે પણ પોતાના કરિયરની પરવા નથી કરતી. અભિનેત્રી લોકોનું ધ્યાન ખેંચવા માટે એક કરતા વધુ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

આ તસવીરો જોયા પછી તમે પણ સમજી ગયા હશો કે જ્યોર્જિયા બોલ્ડનેસની હદ પાર કરવામાં માહેર છે. તેના ક્લીવેજથી લઈને પીઠ સુધી, અભિનેત્રી કપડાં જાહેર કરવામાં લોકોને આકર્ષવાનું કામ કરે છે પરંતુ કદાચ અભિનેત્રીનું ધ્યાન તેના અભિનય પરથી હટી ગયું છે.

ઘણા લોકો એવું પણ માને છે કે જ્યોર્જિયાની સુંદરતા એ વાતનો પુરાવો છે કે માત્ર સારા દેખાવથી બોલિવૂડ સ્ટાર બની શકતો નથી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ પણ તેના કપડાના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘણી વખત ટ્રોલનો શિકાર બની છે.

ટૂંકા અને બોલ્ડ કપડાં પહેરવાથી લઈને અરબાઝ ખાન સાથે સ્થાન મેળવવા સુધી જ્યોર્જિયા હંમેશા આ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. ફિલ્મોના કારણે તેને ભાગ્યે જ આટલી લોકપ્રિયતા મળી હશે. તેની સુંદરતાનો જાદુ માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત હતો અને તે બોલિવૂડની ઊંચાઈ સુધી પહોંચવાનું ચૂકી ગઈ.

આ પણ વાંચો :-

તારક મહેતા..’ની બબીતાજી વિશે એવી વાત સામે આવી કે જેઠાલાલ તો ઠીક, ફેન્સને પણ લાગશે તગડો આઘાત

There was talk about Tarak Mehta’s Babitaji

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Tarak Mehta Ka Ulta Chashma) બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર  ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની (Munmun Dutta) અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે.

અભિનેત્રી મુનમુન દત્તાએ એકવાર આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના અનેક પરણિત મિત્રોને તેના પર ક્રશ છે. મુનમુને કહ્યું હતું કે કઈ મહિલાને આટલું અટેન્શન નથી મળતું? બેશક મને પણ મારા મિત્રો તરફથી પ્રશંસા મળે છે અને તેમાંથી કેટલાક પરણિત પણ છે.

મુનમુને કહ્યું હતું કે પરંતુ તેઓ હાર્મલેસ અને સારા વખાણ કરે છે. તેઓ ખુલ્લેઆમ કહેશે કે મને તારા પર ક્રશ છે અને હું કહું છું, ‘ઠીક છે ઠીક છે’. અત્રે જણાવવાનું કે અભિનેત્રી લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે. મુનમુન હજુ સિંગલ છે.

જો કે અભિનેત્રીનું નામ તેના કોસ્ટાર અને સિરીયલમાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા રાજ અનડકટ સાથે જોડાઈ ચૂક્યું છે. જેને લઈને અભિનેત્રીએ  કહ્યું હતું કે તેઓ બંને ફક્ત મિત્ર છે. રાજ શોમાં ટપુની ભૂમિકા ભજવતો હતો પરંતુ હવે તેણે સીરિયલને ટાટા બાયબાય કરી દીધુ છે.

મુનમુનની વાત કરીએ તો તે ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ છે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી તેના રિલ્સ અને વીડિયોઝ પણ પોસ્ટ કરતી રહે છે. જેના પર યૂઝર્સ પ્રશંસા પણ કરે છે.

આ પણ વાંચો :-

વર્લ્ડકપની તૈયારી શરૂ ! 20 નામો લગભગ ફાઈનલ, જાણો કોના કપાઈ શકે છે પત્તાં

0

Preparations for the World Cup begin

  • BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયા (Team India) પણ તેના નવા મિશનની રાહ જોઈ રહી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ (World Cup) જીતવાની તક ગુમાવી અને એ પછી તેની સાથે કેટલીક બીજી સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, રોડમેપ અને અન્ય ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ મેચો યોજાવાની છે.

20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે :

રવિવારે યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવામાં આવશે અને તેમને  વર્લ્ડ કપ પહેલા તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે 10મી જાન્યુઆરીથી ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે આ વર્ષની પહેલી વનડે સીરિઝ રમવાની છે અને એ ટીમમાં ટીમમાં કુલ 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

એ જોઈને એવું માનવામાં આવે છે કે આ ખેલાડીઓને આગળ પણ તક આપવામાં આવી શકે છે.  ટીમ ઈન્ડિયા 2011 થી વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી નથી અને આ સાથે જ 2013 પછી ટીમે એક પણ ICC ટ્રોફી પર કબજો કર્યો નથી.

રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન :

10 મી જાન્યુઆરીના યોજાયેલ શ્રીલંકા સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કકે આ બંનેનું ટીમમાં સ્થાન નિશ્ચિત છે. 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે જાડેજાની પસંદગી થઈ શકે છે. આ સાથે જ વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત હજુ પણ ઈજાગ્રસ્ત છે પણ વર્લ્ડ કપમાં હજુ 10 મહિના બાકી છે.

આ 20 ખેલાડીઓની વર્લ્ડ કપ માટે પસંદગી થઈ શકે છે :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ. , કેએલ રાહુલ, શુભમન ગિલ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, રિષભ પંત, સંજુ સેમસન/આર અશ્વિન/ભુવનેશ્વર કુમાર/ઋતુરાજ ગાયકવાડ/અન્ય.

આ પણ વાંચો :-

યુટ્યુબ પર પૈસા કમાઈ લાખો કમાઈને ચૂકવ્યું દેવું, તમે પણ જાણો કઈ રીતે થઈ શકે અધધધ..કમાણી ?

Earning money on YouTube

  • આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

આજકાલ સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું. ત્યારબાદ YouTube પર તેણે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

સોશિયલ મીડિયાનું આજે ખૂબ જ ચલણ છે. એવામાં YouTubeને એક વ્યવસાયના રૂપમાં અપનાવીને લોકો સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર એક શખ્સે YouTube માંથી કમાણી કરીને 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યૂ. બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.

અર્જુને પરિવાર પરના બોજને ઓછો કરવા માટે પહેલા નોકરી કરી. પરંતુ તેને YouTube વીડિયોઝ બનાવવામાં વધુ રૂચિ આવવા લાગી. તેણે સતત વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમાંથી આવક થવા લાગી તો તેણે આ કામને ફૂલ ટાઈમ કરવા માંડ્યું. તેણે આ રીતે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.

અર્જુનની જેમ તમે પણ YouTube વીડિયોઝ બનાવીને કમાણી કરી શકો છો. આ માટે તમારે યૂનિક કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. તમે તમારા શોખ અને ઈન્ટરનેટના ટ્રેન્ડ અનુસાર વીડિયોઝ બનાવી શકો છો. ચેનલ શરૂ કર્યા બાદ તમારે તેના રિવ્યૂને ધ્યાનમાં રાખીને આગળ વઘવાનું રહેશે. આ સાથે તમારે વીડિયોને મોનેટાઈઝ કરવા માટે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે.

જ્યારે તમે YouTube વીડિયોઝ જુઓ છો ત્યારે તેની વચ્ચે જે એડ આવે છે તેનાથી ક્રિએટર્સને પૈસા મળે છે. જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે તો તમને પણ પૈસા મળશે. એમાં કેટલાક નિયમો હોય છે. તેનું પાલન જો તમારી YouTube ચેનલ પર થાય તો પૈસા મળે છે. તમારા ચેનલ પર આવતા વ્યૂઝ અનુસાર તમને પૈસા આપવામાં આવે છે.

આ પણ વાંચો :-