Home Blog Page 1204

રાજકોટમાં હાર્દિક પંડ્યાનો રૂમ આવો હશે, દોઢ મિનિટમાં ડાઉનલોડ થશે ફિલ્મ, જમશે આ વાનગી

0

Hardik Pandya’s room in Rajkot will be like this

  • આજે રાજકોટની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે કરાશે સ્વાગત, ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઈવ મેસુબ અને અડદિયાના લચકાનો માણશે સ્વાદ..

ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં અત્યરથી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં (Fortune Hotel) રોકાવાની છે.

આજે એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઈવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.

તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ  :

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેચના આગલા દિવસે એટલે કે આજે શુક્રવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે.

જ્યારે શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. જેમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઈ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

હોટલમાં ખેલાડીઓ માટે જીમની પણ સુવિધા :

તો સાથે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ડિનર અને 7 તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે.

જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઈન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

રિલાયન્સ યુપીમાં નવાજૂની કરવાની તૈયારીમાં ! CM યોગી મુંબઈની તાજ હોટલમાં મુકેશ અંબાણીને મળ્યાં

0

Reliance is preparing to upgrade in UP

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ’ને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ વેળાએ તેઓએ તાજ હોટેલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ગુરુવારે મુંબઈમાં યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ 2023ને (UP Global Investor Summit 2023) લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ ઈન્ડસ્ટ્રીના લોકોને યુપી રાજ્યમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરીને રોડ શો કરવા આવ્યા હતા. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી સાથેની તેમની મુલાકાતની હતી. જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) સાથેની મુલાકાત અંગે ખુદ યોગી આદિત્યનાથએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તસવીર શેર કરી છે.

યોગી અને મુકેશ અંબાણી વચ્ચે તાજ હોટલમાં મુલાકાત :

યોગી આદિત્યનાથ અને મુકેશ અંબાણી વચ્ચે તાજ હોટલમાં મુલાકાત થઈ હતી. જ્યાં મુખ્યમંત્રીએ મુકેશ અંબાણી તેમજ ઘણી મોટી કંપનીઓના સીઈઓ, મોટી બેંકોના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. જેમાં રાજ્યના જૂથના રોકાણ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન યોગી આદિત્યનાથે ઉદ્યોગપતિઓને રોકાણ મટે આમંત્રણ આપતાં કહ્યું કે ઉત્તર પ્રદેશ હવે ‘નવું ઉત્તર પ્રદેશ’ છે.

જે નવા ભારતનું ગ્રોથ એન્જિન બનશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ પાસે વિપુલ પ્રમાણમાં જળ સંસાધનો છે. સૌથી વધુ ફળદ્રુપ જમીન છે. વસ્તીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું રોકાણ વધારવા માટે યોગી આદિત્યનાથે મુકેશ અંબાણીને ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ‘માં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.

આ પણ વાંચો :-

સરકારના એક ફેંસલાથી હવે ફ્રી અનાજ બાદ ફ્રી ડીશ ટીવી જોઈ શકાશે, વાંચો કઈ રીતે બનશે શક્ય

0

With a decision of the government

  • મોદી સરકારની કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થિતિ સુધારવા માટે લગભગ 2,539 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. સરકારનું કહેવું છે કે દેશના અંતરિયાળ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને મફતની સુવિધા મળશે.

કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા સામાન્ય લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશભરમાં લોકો સરકાર દ્વારા આપવામાં આવતા ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે. પરંતુ હવે તમે ડિશ ટીવી પણ ફ્રીમાં જોઈ શકશો. કારણ કે સરકારે હવે ડિશ ટીવી ફ્રીમાં (Dish TV Free) આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની (All India Radio) હાલત સુધારવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી સરકારનો નિર્ણય :

મોદી સરકારની કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની સ્થિતિ સુધારવા માટે લગભગ 2,539 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.સરકારનું કહેવું છે કે દેશના અંતરિયાળ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને મફતની સુવિધા મળશે. વાનગી આપવામાં આવશે. આ વિસ્તારોમાં લગભગ 7 લાખ લોકોના ઘરોમાં ફ્રી ડીશ લગાવવામાં આવશે. કેન્દ્રની યોજના આ યોજના દ્વારા ડીટીએચનું વિસ્તરણ કરવાની છે.

રોજગારી વધારવાનો પ્લાન :

હાલમાં, દૂરદર્શન હેઠળ લગભગ 36 ટીવી ચેનલો છે આમાંથી 28 પ્રાદેશિક ચેનલો છે અને AIR પાસે હાલમાં લગભગ 500 પ્રસારણ કેન્દ્રો છે. સરકારે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું છે કે આનાથી દેશમાં રોજગારી પણ વધશે. આ સાથે, સામગ્રીની ગુણવત્તામાં પણ સુધારો થશે. દેશભરમાં ટીવી, રેડિયો સહિત અનેક ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થશે.

જેના કારણે યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળશે. દૂરદર્શનમાં મોટા ફેરફારોની સાથે સાથે સરકાર વીડિયોની ગુણવત્તામાં પણ સુધારો કરશે. આ સાથે જૂના ટ્રાન્સમિટરને પણ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે તે નવા એફએમ ટ્રાન્સમિટર્સ ઈન્સ્ટોલ કરશે અને જૂના ટ્રાન્સમિટર્સને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :-

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપી નેતાઓએ પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી, હવે ખુલી પોલ..

0

BJP leaders helped Congress through

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓનું હવે આવી બનશે. ભાજપે એક્શન લેવાનું નક્કી કરી લીધું છે. હવે એ ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું છે

ગુજરાતમાં હવે ધીમેધીમે ભાજપ (BJP) ફરી કડકકાઈથી કામગીરી કરવા લાગ્યું છે. ભાજપની શિસ્તબધ્ધ પક્ષ ભાજપની શિસ્ત સમિતિને ૬૦૦ ફરિયાદો મળી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળ્યું કે, ભાજપના ઉમેદવારને હરાવવા ખુદ પક્ષના નેતા અને કાર્યકરો મેદાને પડ્યા હતાં.

એટલુ જ નહીં પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી હતી. ભાજપ શિસ્તબધ્ધ પાર્ટી (Disciplined Party) તરીકે ઓળખ ધરાવે છે પણ ચૂંટણી દરમિયાન ભાજપના નેતા-કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી. આ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાં વિરુધ્ધ શિસ્ત સમિતિને 600 ફરિયાદો મળી છે. ભાજપમા જ કેટલાક નારાજ નેતાઓએ ભરપૂર પ્રયાસો કર્યા હતા પણ કોઈની કારી ફાવી નથી. આખરે ભાજપ વિજેતા થયું છે. પણ હવે ભાજપ પાર્ટી વિરોધી કામગીરી કરનારા તત્વો સામે કાયદેસરની કાયવાહી કરવાના મૂડમાં છે.

ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું :

આ ચૂંટણી પહેલાં પહેલીવાર ભાજપ સામે અવાજ ઉઠ્યો હતો. જેને પગલે ભાજપે 60થી વધારે કાર્યકર અને નેતાઓને સસ્પેન્ડ કરી દીધા હતા. મોદી અને અમિત શાહના નિર્ણય સામે અવાજ ઉઠતાં ભાજપે આ મામલો કડકાઈથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે ભાજપે ઐતિહાસિક જીત મેળવી લીધી છે.

ચૂંટણી પહેલાં ભાજપમાં જ આંતરિક વિખવાદ ભભૂક્યો હતો. જેના કારણે ચૂંટણી વખતે ભાજપના જ ઉમેદવારને હરાવવા માટે પક્ષના નેતા કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી હતી. કેટલાંક તો ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતાં. ખુદ ભાજપના જ ઉમેદવારોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા સામે પગલાં ભરવા ભલામણો કરી છે.

તે જોતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બધાય જિલ્લા ભાજપ પ્રમુખો પાસેથી વિગતો મંગાવવામાં આવી હતી. હવે એ ફરિયાદોનું લિસ્ટ 600 એ પહોંચ્યું છે. ભાજપ પ્રદેશ નેતાગીરીએ પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાના વડપણ હેઠળ એક શિસ્ત સમિતિની રચના કરી છે. આગામી 10 મી જાન્યુઆરીએ આ શિસ્ત સમિતીની બેઠક યોજાનાર છે. હવે સવાલ એ છે કે પક્ષવિરોધીઓ સામે કડક પગલાં લેવાશે કે પછી માત્ર ઠપકો આપીને રાજકીય ડ્રામા કરાશે ? કમલમમાં ચર્ચા છે કે બધાય પક્ષવિરોધીઓ સામે પગલાં ભરવાનું ભાજપને પોષાય તેમ નથી.

આ જોતા ફરિયાદી અને પક્ષવિરોધીને સાંભળીને શિસ્ત સમિતી પ્રદેશ પ્રમુખને અહેવાલ આપશે તે આધારે પક્ષ વિરોધીઓ સામે પગલાં ભરાશે. હવે તો આગામી સમય જ બતાવશે કે ભાજપમાં કોના માથે આ ઠીકરું ફૂટે છે પણ જેમને ફરિયાદો કરી છે એ રાજી છે કારણ કે હાશ હવે પાર્ટી પગલાં તો ભરશે.

આ પણ વાંચો :-

 

બેંક ગ્રાહકોને RBI દ્વારા મોટી રાહત : હવેથી નહીં ખાવા પડે બેંકના ધક્કા, જાણો વિગત

0

Big relief to bank customers by RBI

  • બેન્કિંગ સેક્ટરના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે.

બેન્કિંગ સેક્ટરના (Banking sector) નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) કેવાયસીના નિયમોને સરળ બનાવ્યા છે. હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. હવે ફ્રેશ KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે.

વિડીયો આધારિત KYC :

આરબીઆઈએ 5 જાન્યુઆરી, 2023ના રોજ એક પ્રેસ રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

ઓનલાઈન થશે વેરિફિકેશન :

વાસ્તવમાં આરબીઆઈને બેંકો સામે ફરિયાદો મળી રહી હતી કે ઘણી વખત ઓનલાઈન દસ્તાવેજો સબમિટ કરવા છતાં બેંકોની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ડિજિટલ રી-કેવાયસીની પ્રક્રિયા થઈ શકતી નથી. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહક તેના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, એટીએમ, ઓનલાઈન બેંકિંગ અથવા ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ એપ અથવા પત્ર દ્વારા ફરીથી KYC કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

આમાં બેંકની શાખામાં જવાની જરૂર નથી. જો એડ્રેસમાં માત્ર ફેરફાર હોય તો આ માધ્યમથી એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકાય છે અને બેંકે બે મહિનામાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, રાજ્યના 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી

0

Whether the cold will increase

  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પણ કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા. ગતરોજની સરખામણીએ ઠંડીમાં આંશિક રાહત. ગાંધીનગર 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 10 ડિગ્રીએ પહોંચ્યો પારો.

ગુજરાતમાં (Gujarat) શિતલહર છવાઈ છે. સુસવાટા મારતા પવનને કારણે મહત્તમ તાપમાનમાં 4.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરીજનો તો તીવ્ર ઠડીમાં ઠૂંઠવાઈ ગયા છે. કાતિલ ઠંડીને પગલે નલિયામાં (Nalia) 2 ડિગ્રી અને ડીસામાં પારો 6.9 ડિગ્રીએ પહોંચ્યો છે. કચ્છના નલિયામાં તો 24 કલાકમાં 6 ડિગ્રી પારો ગગડ્યો છે. આજનો પારો 2 ડિગ્રી જ રહેતાં આ આંક સિઝનનો સૌથી ઓછો આંક છે.

અમદાવાદ શહેર રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 1 જ દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરનો પારો 2થી 6 ડિગ્રી ઘટ્યો છે. આજથી ઠંડીનું જોર ઘટશે. તાપમાનનો પારો ઉંચકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. તાલાળા પંથકમાં ઊંચા પવનથી આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જૂનાગઢ-પાવાગઢમાં રોપ વે અને બેટ દ્રારકામાં ફેરી બોટ સતત બીજા દિવસે બંધ રખાયા છે.

 હવામાન વિભાગે રાજસ્થાનના અલવર, ભરતપુર, ધોલપુર, ઝુનઝુનુ અને કરોૈલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરી છે. દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.  અધિકારીઓના જણાવ્યા અનુસાર શ્રીનગરનું લઘુતમ તપામાન જાન્યુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું બીજું સૌથી ઓછું તાપમાન છે.

ભારે ઠંડીને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક જળાશયો થીજી ગયા છે. રાજસ્થાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફતેહપુર (સિકરપુર)માં માઇનસ ૧.૮ અને ચુરુમાં માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જયપુરમાં ૩.૮, અજમેરમાં ૩.૯, અલવરમાં ૧.૩, ચિત્તોડગઢમાં માઇનસ ૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ લોકોને ઠંડીથી કોઇ રાહત નથી. પંજાબમાં ગુરદાસપુર ૨.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર છે.

હવામાન અંગે ચોક્કસ આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. અંબાલાલ પ્રમાણે જાન્યુઆરીની શરૂઆતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

ડુંગળીની છાલનો આ રીતે કરો ઉપયોગ, થોડા જ સમયમાં સ્કિન પર ચમક આવી જશે

Use onion peel in this way

  • ડુંગળીનો ઉપયોગ તો ઘણા કામોમાં કરવામાં આવે છે. પરંતુ તેની છાલના ફાયદા વિશે તમે કદાચ જ જાણતા હશો. ડુંગળીની છાલ ઘણી સ્કિન પ્રોબ્લમ્સને દૂર કરી શકે છે.

ડુંગળી (Onion) છોલતી વખતે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છાલ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ડુંગળીના ફોતરામાં રહેલા પોષક તત્વ સ્કિનને ગ્લોઈંગ બનાવવાનુ કામ કરે છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટસ (Antioxidants) જેવા ન્યુટ્રીએન્ટસ હોય છે.

જે સ્કિનને સુંદર બનાવવાનુ કામ કરે છે. ડુંગળીની છાલને ઘરમાં રહેલી અમુક ચીજ વસ્તુઓ સાથે મિલાવીને ચહેરા પર લગાવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગુલાબજળ સાથે :  

ગુલાબજળની સાથે ડુંગળીની છાલનો ઉપયોગ કરવાથી ખીલ-ફોલ્લીની પરેશાની દૂર થાય છે. ડુંગળીની છાલને બારીક રીતે પીસીને તેમાં ગુલાબજળ મિક્સ કરો અને પેસ્ટ બનાવી નાખો. જેને 5-6 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો. ડુંગળીમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ખીલ-ધબ્બાને દૂર કરશે.

નાશપતી સાથે :

નાશપતીની સાથે ડુંગળીની છાલ મિલાવીને ફેસ માસ્ક બનાવી શકાય છે. આ નેચરલ ફેસ માસ્ક બનાવવા માટે ડુંગળીની છાલને ઉકાળો અને ફિલ્ટર કરો. આ પાણીમાં નાશપતીનો ગુદો અને થોડુ દૂધ મિક્સ કરો અને 3-4 મિનિટ માટે ઉકાળો. આ પેસ્ટને 5-7 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યાં બાદ ધોઈ નાખો.

આ પણ વાંચો :-

 

06 જાન્યુઆરી 2023, રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…

06 January 2023, Horoscop

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃષભઃ
મોજશોખમાં વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદ‌-વિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતી જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતાનો સાથ-સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ. ભાગ્ય બળવાન.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગારના ધંધામાં લાભ.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. આવક જળવાય. પરિવાર‌માં ઉગ્રતા ટાળવી નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડા પીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણંકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી. સફેદ વસ્તુના ધંધામાં લાભ.

નઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

મકરઃ
આધ્યાત્મિકતા વધે. સામાજીક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતી જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

ફોનની ડિલીવરી ન કરવી Flip kartને ભારે પડી ! 12 હજારના મોબાઈલના બદલામાં કોર્ટે ફટકાર્યો આટલાં હજારનો દંડ

0

Not delivering the phone has hit Flipkart hard

  • Flipkart ખૂબ જ પોપ્યુલર ઈ-કોમર્સ કંપની છે. પરંતુ હવે કંપનીને પોતાના એક કન્ઝ્યુમરને દંડ આપવો પડશે. હકીકતે એક મહિલાએ Flipkartમાંથી 12,499 રૂપિયાનો ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને ફોનની ડિલીવરી ન મળી. તેણે તેના વિશે ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો.

ઓનલાઈન શોપિંગનું (Online shopping) ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ઓનલાઈન શોપિંગ કરવી સરળ હોવાની સાથે સાથે રિસ્કી પણ હોઈ શકે છે. ઘણી વખત યુઝર્સને અલગ ઓર્ડર પણ મળી જાય છે. જ્યારે ઘણા કેસમાં ઓનલાઈન સામાન ઓર્ડર કર્યા બાદ પણ સામાન નથી મળતો.

પરંતુ ઘણી વખત આવું કરવું ઈ-કોમર્સ (E-commerce) કંપનીને મોંઘુ પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગ્લોરની રહેવાસી મહિલાને હવે ફ્લિપકાર્ટ દંડ આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાએ 12,499 રૂપિયા મોબાઈલ ફ્લોપકાર્ટથી ઓર્ડર કર્યું હતું.

કસ્ટમર કેરથી પણ ન મળી મદદ :

પરંતુ તેમને ફોનની ડિલીવરી ન મળી. તેમણે તેના વિશે ઘણી વખત ફ્લિપકાર્ટથી ઘણી વખત કોન્ટેક્ટ કર્યું પરંતુ કંપનીનો રિસ્પોન્સ યોગ્ય ન હતો. તેમને ઓર્ડર કરેલા ફોન પણ મળ્યા ન હતા. ત્યાર બાદ તેમણે તેના વિશે ફરિયાદ નોંધાવી.

તેના પર કન્ઝ્યુમર કોર્ટની તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટ મહિલાને મોબાઈલની કિંમત 12,499 રૂપિયા પરત કરે. તેના ઉપરાંત તેના પર 12 ટકા વાર્ષિક વ્યાજ પણ કંપની આપે. કોર્ટે એવું પણ કહ્યું છે કે કંપની 20 હજાર રૂપિયાનો ફાઈન અને 10 હજાર રૂપિયા લીગલ ખર્ચ માટે મહિલાને આપે.

કંપનીની બેદરકારી  :

બેંગ્લોર કન્ઝ્યુમર કોર્ટે કહ્યું છે કે ફ્લિપકાર્ટે ટર્મ્સ ઓફ સર્વિસમાં બેદરકારી બતાવી છે અને અનએથિકલ પ્રેક્ટિસેસને ફોલો કરી છે. ઓર્ડરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફોનને ટાઈમલાઈન પર ડિલિવરી ન હોવાના કારણે કસ્ટમરને ફાઈનાન્શિયલ લોસ અને મેન્ટલ ટ્રામાથી પસાર થવું પડ્યું.

ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વગર ફોન ડિલિવરીએ જ મહિલા ઈન્સ્ટોલમેન્ટ આપતી રહી. કસ્ટમર કેરમાં સંપર્ક કર્યા બાદ પણ તેને કોઈ જવાબ ન મળ્યો. એવું પહેલી વાર નથી થયું તેના પહેલા પણ ઘણા કેસ આપણે જોઈ ચુક્યા છે. આ કારણે ઓનલાઈન શોપિંગ વખતે તમને સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

ટેક ઈન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ, 18 હજાર કર્મચારીઓને નોકરીએથી કાઢી મૂકશે આ કંપની

The commotion in tech industries

  • Twitter-Meta બાદ હવે આ કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં..

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ (Microblogging platform) ટ્વિટર અને મેટા જેવી મોટી કંપનીઓ બાદ હવે ઈ-કોમર્સ કંપની એમેઝોન પણ હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ જાહેર થયેલા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે સૌથી મોટી છટણી એમેઝોનમાં (Amazon) જોવા મળી શકે છે. જેમાં કંપની 18 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે.

આ આંકડો છેલ્લી વખત જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ઘણો વધારે છે. તમને યાદ અપાવીએ કે થોડા સમય પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે.

અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે ? 

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રિપોર્ટમાંથી મળેલી માહિતી સાચી સાબિત થાય છે. તો તે કોઈપણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે.

એમેઝોન એ નવેમ્બરથી જ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે જ્યારે 10,000 કર્મચારીઓની નોકરી ગુમાવવાનો મામલો સામે આવ્યો હતો. નવેમ્બરમાં કંપનીએ તેના ઉપકરણ વિભાગમાંથી કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા. જે પછી એક સ્ત્રોતે રોઈટર્સને જણાવ્યું કે, કંપની 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો :-