Home Blog Page 1159

શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે ! જાણો શું છે આ વાતની હકીકત ?

0

Mohanthal prasad will not be available

  • હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના (Mohanthal) પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા કોઈ જ આદેશ કરાયો નથી તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજી મંદિર (Pilgrimage Ambaji Temple) પરિષરમાં 50 વર્ષ ઉપરાંતથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મુકવામાં આવેલો છે.

હાલમાં પણ આ મોહનથાળનો પ્રસાદ વિવિધ કેટેગરીના બોક્સ પેકીંગમાં યાત્રિકોને નિયત કરેલા ભાવે વેચાણ કરવામાં આવે છે. જે દૂરદરાજથી આવતા યાત્રિકો હોંશેહોંશે માં અંબાને ધરાયેલા મોહનથાળનો પ્રસાદ સાથે પોતાના વતને લઇ જતા હોય છે.

મોહનથાળની એક પરંપરા પણ એવી રહી છે કે આજદિન સુધી મોહનથાળની બનાવટમાં સ્વાદનો કોઈ ફેર પડ્યો નથી ને વર્ષોથી એક જ સ્વાદમાં શુદ્ધતાની ખરાઈ સાથે વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી આવતા યાત્રિકો એક નહીં પણ અનેક બોક્સ સાથે લઈ જતા હોય છે. આ મોહનથાળના પ્રસાદની વિતરણ વ્યવસ્થા બંધ કરી અન્યપ્રસાદ વહેંચવા બાબતે કેટલાક માધ્યમોના અહેવાલના પગલે યાત્રિકોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે.

અંબાજી મંદિરમાં વહેંચાતો મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની એક ઓળખ સમાન બની ગયું છે. જેને નાના બાળકોથી લઈ વૃદ્ધો સહીતના લોકો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.

જોકે હાલ તબક્કે આ પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બાબતે કોઈ પણ જાતનો આદેશ કરવામાં આવ્યો નથી. હમણાં યાત્રિકોનો ઘસારો પણ અંબાજી મંદિરમાં ઓછો હોવાથી પ્રસાદના હજારો પેકેટ સ્ટોકમાં પડ્યા છે. હાલ આ પ્રસાદનો સ્ટોક પૂરો કરવા સૂચન કરાયું છે. આ પ્રસાદના સ્ટોક પૂર્ણ થયા બાદ ઉપલા અધિકારીઓનો જે રીતે આદેશ મળશે તે રીતે આગળની કામગીરી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો :-

Allu Arjun : Instagram પર પબ્લિક ભેગી કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી ! કહ્યું, એ બિટ્ટા…યે મેરા અડ્ડા

Allu Arjun: ‘Pushpa’ made a noise by gathering the

  • Allu Arjun બન્યો ઈન્સ્ટાનો એક્કો ! 20 મિલિયન ફોલોઅર્સ ભેગા કરી ‘પુષ્પા’એ બૂમ પડાવી. સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ સાઉથ ઈન્ડિયન એક્ટર બન્યો.

અલ્લુ અર્જુન (Allu Arjun) એક ફેમસ ભારતીય અભિનેતા અને ડાન્સર છે. તે પોતાની અનોખી સ્ટાઇલ, અસાધારણ ડાન્સ મૂવ્સ અને અભિનયને કારણે જાણીતો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેનો વિશાળ ચાહક વર્ગ છે. ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા બાદ તેના ચાહક વર્ગમાં નોંધપાત્ર વધારો થયો છે.

અભિનેતાને તેના ફેન્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફોલો કરે છે. તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ સ્ટારે ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ વટાવીને એક નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તે આ માઇલસ્ટોન પૂર્ણ કરનાર દક્ષિણ ભારતનો પ્રથમ અભિનેતા બન્યો છે.

સોશિયલ મીડિયા અભિનેતાઓ માટે તેમના ફેન્સ સાથે જોડાવવાનું અને તેમના કામ વિશેની માહિતી આપવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની ફિલ્મો અને પર્સનલ લાઇફ વિશે વાતો શેર કરતો રહો છે.

મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવું અલ્લુ અર્જુનના ચાહકો માટે એક ગર્વની ક્ષણ છે.

આ પણ વાંચો :-

કારમાં સર્જાઈ છે આ 5 પ્રકારની સમસ્યાઓ, લોંગ ડ્રાઈવ પર જતાં પહેલાં કરી લો ચેક

These 5 types of problems that have

  • long drive tips : જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે.

Car driving: જો તમે એક કારના માલિક છો તો આ સમાચાર તમારા માટે અત્યંત કામમાં આવે તેવા છે. જેમ-જેમ કાર જૂની થાય છે તેમ તેમ કારમાં અલગ-અલગ સમસ્યા આવવા લાગે છે. જેના કારણે કારને મિકેનિક પાસે લઈ જવી પડે છે. આજે અમે તમને કારમાં થનારી મુશ્કેલીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે એક કારમાં સામાન્ય રીતે હોય છે. અને તેને દૂર કરવાનું અત્યંત જરૂરી હોય છે.

Engine Misfiring :

જેમ કે તમે જાણો છો કે કારમાં એન્જિન મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે તમે ગાડીનો સેલ મારો છો ત્યારે ગાડીનું  એન્જિન મિસફાયર થઈ જાય છે. તેના કારણે એન્જિન ખરાબ થઈ જાય છે. અને તેમાં મિસફાયરની સમસ્યા પણ આવી શકે છે.

Dead Battery :

આ તે સમસ્યમાંથી એક છે જે તમારી કારને ચાલવા દેતી નથી. જ્યારે પણ તમે કારને સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તે સ્ટાર્ટ થતી નથી. તેની પાછળ બેટરી ખરાબ હોવાનું લક્ષણ હોય છે.

Tight Clutch પેડલ :

વાહનમાં ક્લચની ભૂમિકા મહત્વની હોય છે. જ્યારે તમને લાગે કે ક્લચ પેડલને પુશ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો તમારે તે સમયે સમજી લેવું જોઈએ કે ક્લચમાં કોઈ મુશ્કેલી છે.

Shrieking Sound From એન્જિન :

જો તમે ગાડીને ચાલુ કરી છે અને તેના એન્જિનમાંથી અવાજ આવી રહ્યો છે તો તમારે સમજી લેવું જોઈએ કે એન્જિનમાં કોઈ સમસ્યા છે. તમારી કારમાં બેટરી ચાર્જિંગ, સ્ટીયરિંગ કંટ્રોલ અને ક્લાઈમેટ કંટ્રોલના કારણે પણ અવાજ આવી શકે છે. તેને તમારે ઝડપથી મિકેનિક પાસે જઈને બદલી શકો છો.

overheating engine :

એન્જિન ઓવરહિટીંગ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનેકાર એન્જિન સમયથી વધારે ચાલે છે તો તેન કારણે એન્જિન ઓવરહીટ થવા લાગે છે. વાહનમાં સામાન્ય રીતે એન્જિનનો ખ્યાલ રાખવો જોઈએ. નહીં તો અધવચ્ચે તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

Ambalal Patel Forecast : હોળી પહેલા અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢશે !

0

Ambalal Patel Forecast

  • Ambalal Patel Forecast : આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4,5,6 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. પવનોનો દિશા બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, નવસારી, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં કમોસમી વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી :

આંબાલાલ પટેલે હોળી પહેલા આગાહી કરી છે કે, બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે.

હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે.

સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે.

દેશભરમાં પડી શકે છે આકરી ગરમી  :

હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે.

ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 40ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે.

આ પણ વાંચો :-

હોળી પર શનિ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ 4 રાશિના લોકોના જીવનમાં વધશે મુસીબતો -જાણો બચવાના ઉપાય

Planet Saturn will change its course on Holi

મેષઃ આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારું રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્‍નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારું રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનોનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઈ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઈ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્ત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઈ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ શારીરિક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

પતિને પડતો મૂકી પરપુરૂષ સાથે ગુટરગૂ કરી રહી છે આ અભિનેત્રીઓ

These actresses are cheating

  • Relationship : આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

Extra Marital Affairs : બોલીવુડ હોય કે ટીવી સ્ટાર્સ, તેમની પર્સનલ લાઈપ અને ખાસ કરીને તેમને લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. વાત જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેરની આવે ત્યારે લોકોને ખૂબ જ મસાલો મળતો હોય છે. અનેક વાર અભિનેત્રીઓના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે પતિની સિવાય બીજા પુરુષથી એટલી આકર્ષાઈ જાય છે કે તે અભિનેત્રીનું (actress) ચક્કર ચાલુ થઈ જાય છે. આજે અમે તમને એવી હિરોઈનો (heroine) વિશે બતાવીશું જે પોતાના આવા અફેરને કારણે ચર્ચામાં રહી.

આજની આ સ્ટોરીમાં અમે એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેના પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો. લિસ્ટમાં અનેક પોપ્યુલર ચહેરાઓ છે જેમાં મલાઈકા અરોરાથી લઈને નિશા રાવલનું પણ નામ છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર મલાઈકા અરોરા વિશે એવું કહેવામાં આવે છે કે અરબાઝ ખાન સાથેના તેના છૂટાછેડાનું કારણ અર્જુન કપૂર સાથેની તેની નિકટતા હતું. જ્યાં મલાઈકા અત્યારે અર્જુન કપૂરની સાથે પોતાની પર્સનલ લાઈફને માણી રહી છે તો અરબાઝ પણ જૉર્જિયા એન્ડ્રિયાની સાથે સંબંધમાં છે.

આ લિસ્ટમાં કામ્યા પંજાબીનું નામ પણ સામે છે. એક્ટ્રેસના એક્સ હસબન્ડ બંટી નેગીએ કામ્યા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કામ્યાનું ચક્કર બોલીવુડ સ્ટાર સંજય દત્તના કઝિન નિમાઈ બાલી સાથે છે.

ટીવીના મશહૂર એક્ટર આમિર અલી અને સંજિદા શેખ પણ અલગ થઈ ચુક્યા છે. જો કે સંજિદા શેખ પર પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજિદા અને આમિરના છૂટાછેડાનું કારણ હર્ષવર્ધન રાણે છે.

ટીવી એક્ટર નિશા રાવલ અને કરણ મહેરાનું નામ ખૂબ જ ચર્ચામાં રહ્યું. કરણે નિશા પર આરોપ લગાવ્યો કે તેનું અફેર તેના માનેલા ભાઈ રિતેશ સાથે રહ્યું.

પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા બાદ ટીવીની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ પર પણ આવો આરોપ લાગી ચૂક્યો છે. પરિણીત હોવા છતાં વર્ષ 2011માં દીપિકા શોએબ ઈબ્રાહિમને મળી હતી. જેના પછીના વર્ષે દીપિકા રૌનકથી અલગ થઈ ગઈ હતી. શોએબ અને દીપિકાના લગ્ન થઈ ચુક્યા છે અને બંને ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :-

Gold Rate Today : આજે પણ સોનાના ભાવ તૂટ્યા, જો લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

Today the price of gold has

  • Today Gold Rate : 24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. ચેક કરો લેટેસ્ટ ગોલ્ડ રેટ..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 2 માર્ચ 2023ના રોજ સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 63 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 56066 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીનો ભાવ 63911 રૂપિયે કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 56140 રૂપિયા પ્રતિ ગ્રામ હતો જે આજે સવારે 56066 રૂપિયા પર આવી ગયો છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી સસ્તા થયા છે.

આજે શું છે ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 55842 રૂપિયા પર પહોંચી ગયા. જ્યારે 916 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 51356 રૂપિયા થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 42049 પર આવી ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે સસ્તું થઈને 32798 રૂપિયા થઈ ગયું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 64407 રૂપિયા થયો છે.

ગોલ્ડનો ભાવ :

999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 74 રૂપિયા સસ્તો થઈને 56066 રૂપિયા છે. જે ગઈ કાલે 56140 રૂપિયા હતો. જ્યારે 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 73 રૂપિયા સસ્તું થઈને 55842 રૂપિયાના સ્તરે છે. 916 ટચનું સોનું 68 રૂપિયા ઘટીને 51356 રૂપિયાના સ્તરે છે.

જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 56 રૂપિયા સસ્તું થઈને 42105 રૂપિયા છે. 585ની પ્યોરિટીવાળું સોનું 32842 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક કિલોએ 335 રૂપિયા સસ્તી થઈ અને 63911 પર પહોંચી.

આ પણ વાંચો :-

ડુંગળીના ખેડૂતનું વધુ એક બિલ સોશિયલ મીડિયામાં થયું વાયરલ, વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે થયા ચૂકવવાના

0

Another bill of an onion farmer went viral

  • Agriculture News : કાલાવડના ધુતારપુર ગામના ખેડૂતે રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા હતા.

રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી ભાવનગરના (Bhavnagar) ખેડૂતો ભારે નારાજ થયા છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો અઢીથી ત્રણ રૂપિયા ભાવ સતત બે મહિનાથી મળી રહ્યો છે. જેના કારણે ધરતી પુત્ર ખેડૂત (Farmer) દિવસેને દિવસે આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. આ દરમિયાન કાલાવાડના ખેડૂતે ડુંગળી વેચી તો વેપારી પાસેથી રૂપિયા લેવાના બદલે ચૂકવવાના થયા છે. જેનું બિલ સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયું છે.

અન્ય ખેડૂતને મળ્યાં માત્ર 10 રૂપિયા :

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડનું 25 ફેબ્રુઆરીનું એક બિલ આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. કાલાવડના બજરંગપુર ગામના સવજી મોહન દોમડીયા નામના ખેડૂતે યાર્ડમાં 8 મણ અને 6 કિલો ડુંગળી વેચી તો બિલમાં ખેડૂતના ભાગે માત્ર 10 રૂપિયા મળ્યા હતા. બજરંગપુર ગામથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે 100 કિલોમીટર દૂર ડુંગળી વેચવા આવેલા ખેડૂતને માત્ર 10 રૂપિયા મળ્યા હતા.

માર્કેટ યાર્ડના વેપારી મુજબ ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેનો ખર્ચ 247 રૂપિયા થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા. હાલમાં બજારનો ભાવ તળિયે છે જેથી ખેડૂતોને આ ભોગવવું પડી રહ્યું છે.

કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના તેમને 31 રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી. પરંતુ ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવ્યા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસોથી લસણ, ડુંગળી, ઘઉં, કપાસ,જીરું, ધાણા જેવી વિવિધ પાકોનો મબલખ ઉત્પાદન થતા યાર્ડમાં ભરાવો જોવા મળે છે. જેમાં ડુંગળીની આવક વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. હાલ તો ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમ ભાવ મળી રહ્યા નથી અને ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા રોવાનો વારો આવ્યો છે.

બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી ગોંડલની સાવલિયા એન્ટરપ્રાઈઝ નામની પેઢીને વેચી હતી. ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરેના રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા. હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Taarak Mehta ka Ooltah Chashmah : તારક મહેતા. શોમાં એપિસોડ દીઠ સૌથી વધુ કોને મળે છે રૂપિયા ? નામ જાણી ચોંકી જશો

Taarak Mehta ka Ooltah Chashmah : 

  • Taarak Mehta ka Ooltah Chashmah Cast Salary Per Episode : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ શોના પાત્રો પોતાની ફીને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકોને હસાવવા માટે આ કલાકારો તગડી રકમ વસૂલે છે.

Taarak Mehta ka Ooltah Chashmah Cast Salary Per Episode : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ શોના પાત્રો પોતાની ફીને લઈને પણ ચર્ચામાં રહે છે. લોકોને હસાવવા માટે આ કલાકારો તગડી રકમ વસૂલે છે. હાઈએસ્ટ પેઈડ એક્ટરની (Highest paid actor) વાત કરીએ તો આ લિસ્ટમાં સૌથી ઉપર કોનું નામ આવે છે તે જાણીને તમે દંગ રહી જશો.

શોના કલાકારોનો પગાર :

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી વધુ જે રકમ વસૂલે છે તે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી છે. એવું કહેવાય છે કે તેઓ આ પાત્ર ભજવવા માટે દર મહિને લાખોની કમાણી કરે છે. કારણ કે તેમના એક એપિસોડની કિંમત 1.50 લાખ રૂપિયા છે.

જેઠાલાલ બાદ જેમને સૌથી વધુ પગાર મળતો હતો તે દિશા વાકાણી હતી. જો કે હવે દિશા આ શોનો ભાગ નથી. પરંતુ તેના ગયા બાદ સેકન્ડ હાઈએસ્ટ પેઈડ અભિનેતા શૈલેષ લોઢા બન્યા હતા. તેમને મહેતાજીનું પાત્ર ભજવવા માટે એપિસોડ દીઠ એક લાખ રૂપિયા મળતા હતા.

પરંતુ હવે તેઓ પણ શોને અલવિદા કરી ચૂક્યા છે. તેમની જગ્યાએ સચિન શ્રોફ મહેતાજીનું પાત્ર ભજવે છે. હાલ જો કે સચિનને એટલી ફી નથી મળતી. આવામાં હવે શો સાથે જોડાયલા એક જૂના કલાકારને હવે ચાંદી થઈ ગઈ છે.

આ અભિનેતા બન્યા ત્રીજા સૌથી વધુ પગાર મેળવતા કલાકાર :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમિત ભટ્ટ હવે શોમાં સૌથી વધુ ફી વસૂલનારા કલાકારોમાં ત્રીજા નંબરે છે. જેઠાલાલ બાદ માસ્ટર ભીડેનો નંબર આવે છે જેમને એપિસોડ દીઠ 80000 રૂપિયા મળે છે. જ્યારે અમિત ભટ્ટ એક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા લે છે. આ અગાઉ તેમનો નંબર આ યાદીમાં ઘણો પાછળ હતો.

શો સાથે જોડાયા નવા કલાકારો :

છેલ્લા 15 વર્ષમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને અનેક કલાકારો અલવિદા કરી ચૂક્યા છે. આવામાં જ્યારે હવે શો સાથે નવા ચહેરા જોડાયા છે તો જે કલાકારો આ ખાલી જગ્યા ભરી રહ્યા છે તેમની ફી અંગે માહિતી હજુ સામે આવી નથી.

આ પણ વાંચો :-

સ્પીડમાં BMW હંકારીને અકસ્માત કરનાર નબીરાની ગાડીમાંથી ભાજપનો ખેસ મળ્યો

0

BJP’s case was found in the car of Nabira

  • BMW Hit And Run : અમદાવાદમાં દારૂના નશામાં BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત. બેફામ રીતે કાર ચલાવી સિમ્સ હોસ્પિટલ પાસે દંપતિને મારી ટક્કર. અકસ્માત કર્યા બાદ કાર ચાલક થયો ફરાર.

અમદાવાદમાં (Ahmedabad) હિટ એન્ડ રનની વધુ એક ઘટનાએ અમદાવાદ પોલીસના નાકે દમ કર્યો છે. BMW કાર ચાલકે દારૂના નશામાં દંપતીને અડફેટે લીધા હતા. સિમ્સ હોસ્પિટલથી (Sims Hospital) ઝાયડસ જવાના રસ્તે આ અકસ્માત સર્જીને BMW કાર ચાલક દોઢ કિ.મી. દૂર કાર મૂકીને ફરાર થયો હતો.

આ યુવક અમદાવાદના વગદાર પરિવારનો નબીરો હોવાનું સામે આવ્યું છે. કાર સત્યમ શર્મા નામનો માલેતુજાર પરિવારનો દીકરો ચલાવતો હતો. જેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો.

કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી. તો સાથે જ ચોંકવનારી વાત એ છે કે તેની કારમાંથી ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. આ ઘટના બાદથી માલેતુજાર પરિવાર રાતોરાત ગાયબ થઈ ગયો છે.

ઝાડના હિસાબે દંપતી બચ્યું, BMW એ ચાર લોકોને અડફેટે લીધા  :

બન્યું એમ હતું કે બુધવારે રાતે 9.45 વાગ્યાના સુમારે બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં સીમ્સ હોસ્પિટલ રોડ સોલા વિસ્તારમાં યુવકે પોતાની કાર નંબર GJ-01-KV-1008 ની પુરઝડપે બેદરકારી તેમજ ગફલતભરી રીતે ચલાવી હતી.

બી.આર.પાર્ક પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં ચાલીને પસાર થતા તેણે અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉ.વ.૪૪ ધંધો વેપાર રહેવાસી) અને તેમના પત્ની સાહેદ મેઘાબેન (ઉ.વ.૪૦) ને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને પગલે અમીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચી છે.

ગાડીમાંથી ભાજપનો ખેસ અને દારૂની બોટલ મળી :

BMW કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી હતી. તેમજ કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે શુ આ માલેતુજાર પરિવારનો ભાજપ સાથે કોઈ નાતો છે કે નહિ તે પણ ચર્ચામાં આવ્યું છે.

અકસ્માતના જાણ થતા બાદ પોલીસ કાર માલિકના ઘરે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ કાર માલિક પરિવાર સાથે ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું. BMW કારનો માલિક શ્રીક્રિષ્ના શર્મા છે. શ્રીક્રિષ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા છે. આ BMW કાર સત્યમ શર્મા ચલાવે છે.

ઘરમાં કામ કરતા કુકે જણાવ્યું કે કાર માલિક પરિવાર બિઝનેસમેન છે. શર્મા પરિવાર મૂળ ગ્વાલિયાનો છે. તેમની આનંદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે. પુત્ર સત્યમે સોશિયલ મીડિયા પર પુરઝડપે કાર હંકારતો અને પૈસા સાથેના રિલ અપલોડ કર્યા છે.

આ પણ વાંચો :-