Home Blog Page 1144

Vodafone Idea : Viની ધમાકેદાર ઑફર! 78 દિવસ સુધી ડેઇલી 6GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Vodafone Idea

  • Vodafone Idea : વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

Vi હજુ પણ 5G સેવા શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. તે જ સમયે, તેના સ્પર્ધકો Jio અને Airtel ધીમે ધીમે સમગ્ર દેશમાં 5G સેવા પ્રદાન કરી રહ્યા છે. હજુ એ જાણી શકાયું નથી કે Vi ક્યારે 5G લાવશે. દરમિયાન, વોડાફોન આઈડિયાએ બે નવા પ્રીપેડ પ્લાનની (Prepaid plan) જાહેરાત કરી છે. કંપનીએ રૂ. 289 અને રૂ. 429ના પ્લાન લોન્ચ કર્યા છે. બંને પ્લાન હવે Vi Store અને અધિકૃત Vi રિટેલ આઉટલેટ્સ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આવો જાણીએ આ બે નવા પ્લાન વિશે…

આ બે પ્લાન વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. મતલબ કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. પ્લાનમાં 6GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા, હજાર SMS અને 78 દિવસ સુધીની વેલિડિટી ઉપલબ્ધ છે. આવો જાણીએ બંને ઑફર્સ વિશે વિગતવાર…

વોડાફોન-આઇડિયા રૂ. 289 નો પ્લાન :

આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ ઑફર કરે છે. જે વોડાફોનની ટ્રુલી અનલિમિટેડ કેટેગરી હેઠળ લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 48 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. પ્લાનમાં 4GB ડેટા ઉપલબ્ધ છે. 600SMS અનલિમિટેડ કોલિંગ સાથે ઉપલબ્ધ છે.

વોડાફોન-આઇડિયા રૂ 429 નો પ્લાન :

Vodafone-Ideaનો રૂ. 429નો પ્લાન 78 દિવસની વેલિડિટી આપે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 6GB ડેટા અને હજાર SMS ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

દુલ્હનની17 કરોડની સાડી લગ્નમાં પાણીની જેમ વહાવ્યા પૈસા, સંસદમાં પણ થઈ હતી આ લગ્નની ચર્ચા

0

Money flowed like water in the bride

  • India’s Most Expensive Wedding : કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના 16 નવેમ્બર 2016માં થયેલા લગ્નની જેટલી ચર્ચા થઈ તેટલી ભાગ્યે જ કોઈ લગ્નની થઈ હશે. રેડ્ડી પરિવારના બધા સભ્યો રાજાની જેમ તૈયાર થયા અને તેમણે કરોડો રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. આ શાહી લગ્ન 5 દિવસ ચાલ્યા હતા.

ભારતમાં અનેક લગ્ન એવા છે જેમાં થયેલા ખર્ચને જાણીને લોકોની આંખો ફાટી જાય છે. હાલમાં જ બોલીવુડ સ્ટાર (Bollywood star) કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાના (Siddharth Malhotra) લગ્ને ખૂબ ચર્ચા મેળવી. પરંતુ દેશમાં કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની (Former Karnataka Minister Janardhan Reddy) પુત્રી બ્રાહ્મણીના 16 નવેમ્બર 2016માં થયેલા લગ્નની જેટલી ચર્ચા થઈ તેટલી ભાગ્યે જ કોઈ લગ્નની થઈ હશે.

જણાવવામાં આવે છે કે તે લગ્નમાં અંદાજિત 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણીએ લગ્નના દિવસે જે સાડી પહેરી હતી તેની કિંમત 17 કરોડ રૂપિયા હતી અને તેણે લગભગ 90 કરોડ રૂપિયાના ઘરેણા પહેર્યા હતા. લગ્નનું કાર્ડ પણ ખૂબ સ્પેશિયલ હતું.

ખાણ ગોટાળામાં જેલમાં જઈ આવેલ જી. જનાર્દન રેડ્ડી દ્વારા પોતાની પુત્રીના લગ્નમાં કરવામાં આવેલા અત્યંત ખર્ચને વિપક્ષે સંસદમાં પણ મુદ્દો બનાવ્યો હતો. નોટબંધી પછી થયેલા આ લગ્ન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીના નિશાના પર રહ્યા. કેમ કે જનાર્દન રેડ્ડી કર્ણાટકમાં ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. કોંગ્રેસના તત્કાલીન સાંસદ આનંદ શર્માએ સંસદમાં સરકારને પૂછ્યું કે લગ્નમાં ખર્ચ કરવા માટે 500 કરોડ રૂપિયા રેડ્ડીના પાસે ક્યાંથી આવ્યા. માયાવતી સહિત કેટલાંક અન્ય નેતાઓએ પણ લગ્નના ખર્ચ પર સવાલ ઉઠાવ્યા.

50 હજાર મહેમાન :

એક અનુમાન પ્રમાણે આ શાહી લગ્નમાં અંદાજિત 50,000થી વધારે મહેમાન પહોંચ્યા હતા. લગ્નના આમંત્રણ માટે એલસીડી સ્ક્રીન પ્લેઈંગ કાર્ડ બનાવવામાં આવ્યું હતું. તે બોક્સમાં આવે છે. જ્યારે ખોલવામાં આવે તો તેમાં રેડ્ડી પરિવાર પર ફિલ્માવવામાં આવેલ એક ગીત શરૂ થઈ જાય છે. તેમાં પરિવારના બધા લોકો પોતાના મહેમાનને લગ્ન માટે આમંત્રિત કરતા જોવા મળ્યા.

આ લગ્ન બેંગલુરુ પેલેસ ગ્રાઉન્ડમાં થયા હતા. લગ્નમાં આવનારા મહેમાનોને ગેટથી અંજર સુધી 40 લક્ઝરી બળદગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. બોલીવુડના આર્ટ ડિરેક્ટરોએ વિજય નગર સ્ટાઈલના મંદિરોમાં અનેક સેટ તૈયાર કર્યા. ડાઈનિંગ એરિયાને બેલ્લારી ગામ જેવું ડિઝાઈન કરવામાં આવ્યું. બેલ્લારી રેડ્ડીનું હોમટાઉન છે.

મહેમાનોને લાવવા માટે 15 હેલિકોપ્ટર :

લગ્નમાં આવતા મહેમાનોને લાવવા માટે 2000 કેબ અને 15 હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યા હતા. બેંગલુરુની બધી ફાઈવ અને થ્રી સ્ટાર હોટલમાં લગભગ 1500 રૂમ રે્ડડી પરિવારે બુક કરાવ્યા હતા. આયોજન સ્થળ પર લગભગ 3000 સુરક્ષા કર્મચારી તહેનાત કરવામાં આવ્યા હતા. રેડ્ડી પરિવારના બધા સભ્યો રાજાની જેમ તૈયાર થયા અને તેમણે કરોડો રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. આ શાહી લગ્ન 5 દિવસ ચાલ્યા હતા.

આ પણ વાંચો :-

Indian Railways : ટ્રેનની બહાર TTE ચેક ન કરી શકે ટિકિટ, TC પાસે હોય છે અલગ અધિકાર, જાણો બંને વચ્ચેનો તફાવત

0

TTE cannot check tickets outside the train

  • Difference Between TTE And TC : શું તમે જાણો છે કે ટિકિટ ચેક કરતાં TC અને TTE વચ્ચે મોટો તફાવત હોય છે?  તેમના અધિકારો પણ અલગ અલગ હોય છે. જો આ અંગે તમને જાણકારી નથી તો ચાલો જણાવીએ તમને તેના વિશે વિગતવાર.

શું તમે વિચાર્યું છે કે ટિકિટ ચેક (Ticket Check) કરતાં TC અને TTE વચ્ચે શું તફાવત હોય છે?  અને તેમની પાસે શું શું અધિકારો હોય છે. જો તમને નથી ખબર તો ચાલો જણાવીએ. ટ્રાવેલિંક ટિકિટ એક્ઝામિનર એટલે કે TTEની નિમણૂક વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક મેલ ટ્રેનોથી (Mail trains) લઈને એક્સપ્રેસ ટ્રેનો માટે કરવામાં આવે છે.

ટીટીઈનું કામ પ્રવાસ દરમિયાન મુસાફરોની ટિકિટ ચેક કરવાનું અને વેરિફિકેશન કરવાનું હોય છે. તેઓ પ્રીમિયમ ટ્રેનોમાં ટિકિટ પણ ચેક કરી શકે છે. જો કોઈ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરે છે તો દંડ થઈ શકે છે.

બીજી તરફ, જો કોઈ મુસાફરને સીટની જરૂર હોય અને સીટ ખાલી હોય, તો તે વાજબી ફી સાથે સીટ ફાળવી શકે છે. જો કે આ તમામ તપાસ ટ્રેનની અંદર જ થઈ શકે છે.

વાણિજ્ય વિભાગ હેઠળ ટીસીની નિમણૂક પણ કરવામાં આવે છે અને તેનું કામ ટીટીઈ જેવું જ છે. તેમને ટ્રેનની ટિકિટ ચેક કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

જો કે ટીસી ફક્ત પ્લેટફોર્મ અને એક્ઝિટ અથવા એન્ટ્રી ગેટ પર જ ટિકિટ ચેક કરી શકે છે. ટ્રેનની અંદર ટિકિટ ચેક કરવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો :-

16 માર્ચ 2023 રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપા રહેશે આ ત્રણ રાશિના જાતકો પર – વાંચો તમારું આજનું રાશિફળ

16 March 2023 Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું

વૃષભઃ
દિવસ દરમિયાન ખોટું લાગે અેવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોઅે પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક‍્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમિયાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ બનાય અેનું ધ્યાન રાખવું.

તુલાઃ
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતીથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતી બરકરાર રહેશે. સંતાન સાથએ વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતી થતી જણાય છે.

ધનઃ
માનસિક શાંતી-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યોતીષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાચવવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ
દિવસ દરમિયાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્ર વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં. આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના અેક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

ન સાત ફેરા ફર્યા કે ન તો નિકાહ કર્યા ! સ્વરા ભાસ્કરના PHOTOS થયા વાયરલ

Did not go around seven rounds or did Nikah 

  • સ્વરા ભાસ્કરે અને ફહાદ અહેમદે નિકાહ કે સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. હાલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ એમના અલગ ધર્મને કારણે માટે કોર્ટ મેરેજ કર્યા હતા.

બોલિવૂડ ફિલ્મ સ્ટાર સ્વરા ભાસ્કરે (Bollywood film star Swara Bhaskar) તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જણાવી દઈએ કે આ સ્ટાર કપલના લગ્નની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની (Pre-wedding Celebration) તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહી છે.

સાથે જ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે નજીકના સંબંધીઓ અને સગા-સંબંધીઓ વચ્ચે ધામધૂમથી લગ્ન કર્યા જેની તસવીરો અભિનેત્રી સ્વરા ભાસ્કર તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈંસ્ટા-સ્ટોરી પર શેર કરી રહી છે. સ્વરા ભાસ્કરે પોતાના લગ્નની લેટેસ્ટ તસવીરો શેર કરીને લગ્નની ઝલક બતાવી છે.

ન સાત ફેરા કે ન તો નિકાહ :

અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે ધામધૂમથી લગ્ન કર્યા. જો કે અંહિયા નવાઈની વાત એ છે કે અભિનેત્રીએ લગ્નની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી નથી. એવામાં ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ નિકાહ કે સાત ફેરા લીધા વિના લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે આ કપલ કોર્ટ મેરેજ કરી ચુક્યું છે અને હાલ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ એમના અલગ ધર્મને કારણે માટે કોર્ટ મેરેજ કર્યા હતા.

જો કે એ બાદ તેઓ બંને હલ્દી, મહેંદી અને સંગીત જેવી વિધિ ધામધૂમથી કરવા માંગતા હતા. એટલા માટે એમને હાલ એ સેલિબ્રેશન કર્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સાઉથ ઇન્ડિયન દુલ્હન બની સ્વરા ભાસ્કર :

સ્વરા ભાસ્કરે આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે મરુન અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેને હાથોમાં મહેંદી, લાલ બંગડી, નાકની વીંટી, કપાળની પટ્ટી અને વાળમાં ગજરો લગાવ્યો છે અને  સાઉથ ઇંડિયન દુલ્હન બની છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટ મેરેજ કર્યા હતા.

જો સમાચારની વાત માનીએ તો બંનેની મુલાકાત વર્ષ 2019-2020માં આંદોલન દરમિયાન થઈ હતી અને આ દરમિયાન બંને મિત્રો બન્યા હતા અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા હતા અને આજે બંને કાયમ માટે એકબીજાના બની ગયા છે.

આ પણ વાંચો :-

Whatsappમાં આવી રહ્યું છે જબરદસ્ત ફિચર, તમને થશે આ મોટો લાભ

A great feature is coming in Whatsapp 

  • મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp નો ઉપયોગ કરનારા યુઝર્સ (users) માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને પોતાનો કોન્ટેક્ટ નંબર અન્ય લોકો સાથે શેર કરવો પડે છે.

આ સિવાય ગ્રુપ એડ (Group Ed) થતાની સાથે જ ગ્રુપના તમામ સભ્યોને તેમનો નંબર દેખાવા લાગે છે. ઓછામાં ઓછું વોટ્સએપ ગ્રુપ માટે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાશે અને હવે અન્ય લોકોને ગ્રુપ ચેટ લિસ્ટમાં (Group chat list) તમારો ફોન નંબર દેખાશે નહીં. તમારું યુઝર નેઇમ તમારા નંબરને બદલે અન્ય લોકોને બતાવવામાં આવશે. આ રીતે વોટ્સએપ (WhatsApp) યુઝર્સને વધુ સારી પ્રાઈવસીનો લાભ મળવા જઈ રહ્યો છે.

ફોન નંબરને બદલે યુઝર નેઇમ બતાવવામાં આવશે :

મેટા-માલિકીની એપ્લિકેશનમાં રોલ આઉટ થતા નવા અપડેટને પગલે ગૃપના સહભાગીઓને ચેટ સૂચિમાં ફોન નંબરને બદલે યુઝર નેમ બતાવવામાં આવશે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો જ્યારે વોટ્સએપ ગ્રુપમાં કોઈ અજાણી વ્યક્તિ તરફથી મેસેજ આવે છે. ત્યારે તેનો ફોન નંબર દેખાવા લાગે છે. પરંતુ ટૂંક સમયમાં જ નંબરની જગ્યાએ યુઝર દ્વારા સેટ કરેલું યુઝરનેમ બતાવવામાં આવશે. તે જ તમારા ફોન નંબર પર લાગુ થશે અને બાકીનાને તમારા સંદેશ સાથે યુઝર્સ નેઇમ બતાવવામાં આવશે.

અજાણ્યા સંપર્કોની ઓળખ સરળ બનશે :

ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે આ ફીચરનું પરીક્ષણ શરૂ કર્યું હતું, જેની સાથે ગ્રુપ ચેટ્સના મેસેજ બબલ્સમાં ફોન નંબરને બદલે યુઝરનેમ બતાવવામાં આવી રહ્યા હતા. આ સુવિધા સાથે, ગૃપના સભ્યો અને સહભાગીઓને ઓળખવાનું સરળ બનશે જેમના સંપર્ક નંબર તમારા ઉપકરણ પર સાચવવામાં આવ્યા નથી. WABetaInfo રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારને હવે ચેટ લિસ્ટનો પણ એક ભાગ બનાવવામાં આવી રહ્યો છે અને નંબર સેવ કર્યા વગર ગ્રુપમાં ચેટ કરવાનું સરળ બનશે.

નામ ગૃપ સહભાગીઓની સૂચિમાં પણ દેખાશે :

નવા અપડેટ પછી ગ્રુપના નામ પર ટેપ કર્યા પછી દેખાતા પાર્ટિસિપન્ટ લિસ્ટમાં ફોન નંબરની જગ્યાએ માત્ર ગ્રુપ ચેટ્સ જ નહીં, યુઝરનેમ પણ બતાવવામાં આવશે. મોટા ગૃપોમાં હાજર રહેલા ઘણા સહભાગીઓની સંખ્યા સાચવવી સરળ નથી અને નવી અપડેટ આ મુશ્કેલીનો અંત લાવશે. એપ્લિકેશનના અન્ય ભાગો પણ ફોન નંબરને બદલે યુઝર નેઇમ બતાવશે. મહત્વનું છે કે તમે યુઝર નેઇમ જાતે સેટ અથવા સંપાદિત કરી શકો છો. તેથી તે દર વખતે સાચું હોવું જરૂરી નથી.

આ પણ વાંચો :-

 

કેરીના શોખીનો માટે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે સિઝન

0

Big news for mango lovers 

  • આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

કેરીને (Keri) ફળોનો રાજા કહેવાય છે. કેરી પણ એક પ્રકારની નથી હોતી. ઢગલાબંધ પ્રકારની કેરી આવે છે. દરેક કેરીનો સ્વાદ નીરાળો હોય છે. એમાંય કેરીમાં સૌથી જે ફેમસ છે તે છે કેસર કેરી (Saffron Mango). કેરીના શોખીનો આખુ વર્ષ કેરીના રાહ જોતા હોય છે.

જ્યારે સિઝન શરૂ થાય ત્યારે મનભરીને કેરીની મજા માણતા હોય છે. કેરીનો રસ પણ પીતા હોય છે. કહેવાય છે કે જો તમે સિઝનમાં સારી કેરી મનભરીને ખાઓ તો આખુ વર્ષ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

કારણ કે કેરીમાં એવો પાવર હોય છે જે નેચરલ (Natural) રીતે તમારી બોડીને તમામ પોષક તત્વો આપીને પ્રોટેક્ટ કરે છે. જોકે, આ વખતે કેરીના શોખીનો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ડિમાંડ અને સપ્લાયના નયમાનુસાર આ વખતે પણ બજાર માંગ અને જથ્થાની સ્થિતિને ધ્યાને લેતાં કેરીનો ભાવ ગત વર્ષો કરતા ઘણો ઊંચો હોવાની સંભાવના છે. જેથી કેરીના શોખીનોને સ્વાદ પુરો કરવા માટે વધારે રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.

ઉલ્લેખનીય છેકે હોળીના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ પંથકો કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થયું હતું.

જ્યારે સોમવારે ફરી પવનાના સૂસવાટા સાથે થયલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડ્યા છે. મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.

બદલાતા વાતાવરણની સીધી અસર બાગાયતી પાકો પર પણ પડે છે. ત્યારે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નિરાશા સાપડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે એક તરફ ઉનાળો શરૂ થઈ ચુક્યો છે. હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થતો હોય છે અને સારા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે.

જોકે એના બદલે આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ઠેકાણે કમોસમી વરસાદે પરિસ્થિતિ ખરાબ કરી છે. જેમાં સોસિયા, ભાંખલ કે મણારની કેસર કેરીના પાકને માઠી અસર પહોંચી છે. એજ કારણ છેકે આ વખતે સિઝનની કેરી મોડી અને મોંઘી થવાનું અનુમાન વેપારી અને ખેડૂતો બન્ને લગાવી રહ્યાં છે.

અનિયમિત વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ ઘટ થતાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી માઠી અસર પડે છે. એમાંય વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આ વખતે કેટલાંક પંથકોમાં કેરીનો પાક ખરી જતા ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી હાલ થઈ છે.

આ પણ વાંચો :-

Gold Rate : સોનાના ભાવમાં કડાકો, ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0

Gold Rate 

  • Gold Price Today : સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું.

સોનાના (Gold) ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું (Gold) આ અઠવાડિયે દબાણમાં જોવા મળી રહ્યું છે. જો કે શરાફા બજારમાં સોનું આ અઠવાડિયે તેજીમાં જોવા મળે છે. ચાંદીના હાજર ભાવમાં સતત તેજી છે. આજે 15 માર્ચ બુધવારે ગોલ્ડ ફ્યૂચર ઘટાડા (MCX Gold) સાથે ખુલ્યું. તેમાં 68 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. MCX પર ગોલ્ડ 57,415 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું.

ગોલ્ડ ફ્યૂચર ગઈ કાલે 57,483 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. સિલ્વર ફ્યૂચરમાં પણ સારો એવો ઘટાડો નોંધાયો છે. ઓપનિંગમાં MCX Silver 66,690 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું તેમાં 266 રૂપિયાનો ઘટાડો નોંધાયો. મંગળવારે મેટલ 66,956 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

શરાફા બજારમાં ભાવ :

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં મજબૂત વલણ વચ્ચે દિલ્હીમાં શરાફા બજારમાં મંગળવારે સોનાના ભાવમાં 480 રૂપિયાની તેજી હતી અને તે 10 ગ્રામના 57,380 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં સોનું પ્રતિ 10 ગ્રામ 56,900 ના ભાવ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ 2150 રૂપિયાના ઉછાળા સાથે 66,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયેલી જોવા મળી.

આ પણ વાંચો :-

 

તમારા Freezer માં પણ આ રીતે જામી જાય છે બરફ ? તો ટીપ્સ તમારા માટે છે કામની

Does the ice freeze like this  

  • Tips To Remove Excess Ice From Freezer : આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

આજના સમયમાં દરેક ઘરમાં ફ્રિજ (Freezer) હોય છે. ફ્રિજનો ઉપયોગ દરેક લોકો કરે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ફ્રિજની જરૂરિયાત વધી જાય છે. શાક, ફળને તાજા રાખવા માટે અને દૂધને ઠંડુ રાખવા માટે ફ્રિજનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ઉનાળો દરમિયાન તો બરફનો (Ice) વપરાશ પણ વધી જાય છે. પરંતુ ઘણા લોકોના ફ્રીઝરમાં બરફનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આઈસ ટ્રે ઉપરાંત આખા ફ્રિજમાં બરફના ખડકલા થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્રિજમાંથી વાસ પણ આવવા લાગે છે. જો તમારા ફ્રિજમાં પણ વારંવાર આ રીતે બરફ જામી જતો હોય તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.

ફ્રિઝરમાં વધારે પડતો બરફ જામે તેનું કારણ ભેજ હોય છે. અને આવું ત્યારે થાય છે જ્યારે તમે વારંવાર ફ્રિજ ખોલો છો. જો તમારે આ સમસ્યાથી બચવું હોય તો ફ્રિજ જરૂર હોય ત્યારે જ ખોલો. વારંવાર ફ્રિજ ખોલવાથી અંદર ગરમ હવા જાય છે અને ઠંડી હવા સાથે તે ભેજ ઉત્પન્ન કરે છે.

– આ સિવાય જો તમારા ફ્રીઝરમાં વધારે બરફ જામતો હોય તો તેનો મતલબ છે કે ફ્રીજનું ટેમ્પરેચર યોગ્ય રીતે સેટ કરેલું નથી. ફ્રીઝરનું તાપમાન – 18 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય તે જરૂરી છે. જો આ ટેમ્પરેચર સેટ નથી તો તમને સમસ્યા થઈ શકે છે.

– જો તમારું ફ્રિજ વધારે ખાલી રહેતું હોય તો તેમાં ભેજનું પ્રમાણ વધી શકે છે આ કારણથી પણ ફ્રીઝરમાં બરફ વધારે જામવા લાગે છે.

– ફ્રિજમાં પાછળની તરફ એક પાઇપ હોય છે જે પાણીને બહાર કાઢવાનું કામ કરે છે જો આ પાઇપ બંધ થઈ જાય ત્યારે પાણી બહાર નીકળતું નથી અને પરિણામે ફ્રીઝરમાં બરફ વધારે જમવા લાગે છે. તેના માટે થોડા થોડા સમયે ફ્રિજની બરાબર સાફ-સફાઈ કરવી અને પાઇપને ચેક કરતા રહેવું.

– પાણીના પાઇપ ઉપરાંત ફ્રિજની પાછળ તરફ એક કોઇલ કન્સેડર હોય છે. તેની મદદથી જ ફ્રિજ ઠંડુ હોય છે. જો તે ગંદુ થઈ જાય તો પણ ફ્રિજ બરાબર કામ કરતું નથી. તેથી તેની સફાઈ પણ કરતા રહેવું.

આ પણ વાંચો :-

MBA ચાયવાલા પછી હવે BTech પાણીપુરી વાળી થઈ રહી છે વાયરલ, અધધ છે આવક

0

After MBA Chaywala, now BTech Panipuri

  • BTech panipuri girl is becoming viral : આજે આપણે પ્રફુલ્લ બિલ્લોરની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ BTech પાણીપુરી વાલી વિશે. દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આજકાલ એક છોકરી પાણીપુરીની ગાડી ગોઠવે છે. આ છોકરી તેની પાણીપુરીની ગાડી રસ્તાના કિનારે મૂકે છે. તે પોતાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે.

MBA ચાયવાલાનું (MBA Chaywala) નામ કોણ નથી જાણતું. લોકો કદાચ પ્રફુલ્લ બિલ્લોર કરતાં MBA ચાયવાલાનું નામ વધુ જાણે છે. પ્રફુલ્લ બિલ્લોર આ MBA ચાયવાલાના માલિક છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદની (Ahmedabad) સામે ચાનો સ્ટોલ લગાવ્યો. થોડા સમય પછી MBA ચાયવાલાની દેશના ઘણા વિસ્તારોમાં ચર્ચા થવા લાગી અને હવે દેશભરમાં તેમના 200થી વધુ આઉટલેટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આઉટલેટ હવે દેશની બહાર પણ ખુલી રહ્યા છે.

આજે આપણે પ્રફુલ્લ બિલ્લોરની વાત નથી કરી રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ BTech પાણીપુરી વાલી વિશે. દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આજકાલ એક છોકરી પાણીપુરીની ગાડી ગોઠવે છે. આ છોકરી તેની પાણીપુરીની ગાડી રસ્તાના કિનારે મૂકે છે. તે પોતાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરે છે. તે અંગ્રેજીમાં વાત કરીને પણ લોકોને પ્રભાવિત કરે છે અને હવે લોકો ટ્વિટર પર તેનો વીડિયો જોઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ છોકરી બુલેટ સાથે તેની ગોલગપ્પા ગાડી લઈને તેની જગ્યાએ જાય છે અને ત્યાં કાર પાર્ક કરે છે.

વીડિયોમાં દેખાતી યુવતીનું નામ તાપસી ઉપાધ્યાય છે. તે પોતાની ઉંમર 21 વર્ષ જણાવે છે. તાપસી જણાવે છે કે તે બી.ટેક કર્યા પછી પાણીપુરી વેચી રહી છે. તેનું કહેવું છે કે લોકો તેને આ કામ કરવાની મનાઈ કરે છે. કેટલાક લોકો સમજાવે છે કે આ કામ છોકરી માટે નથી. કેટલાક લોકો ઘરે કામ કરવાની ભલામણ કરે છે. પરંતુ તાપસીનો મત અલગ છે. તે પોતાનું કામ ખુશીથી કરે છે. તાપસી કહી રહી છે કે તેની પાસે મેંદા વગરની પાણીપુરી છે. તે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ પણ સારી રીતે કરી રહી છે. આજે તેમનો ઉત્સાહ લોકોને પ્રેરણા આપી રહ્યો છે.

આ પણ વાંચો :-