Home Blog Page 1105

Wrestlers : કુસ્તીબાજોનો WFI વડા સામે મોરચો ! 7 મહિલા પહેલવાનોએ નોંધાવી યૌન ઉત્પીદનની ફરિયાદ

0
Wrestlers
  • બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ફરી વિરોધ શરૂ કરી દીધો છે. સાથે જ કુસ્તીબાજો વતી પત્રકાર પરિષદ યોજીને હડતાલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

Wrestlers Protest :  ટોચના ભારતીય કુસ્તીબાજોએ (Indian wrestlers) આ વર્ષની શરૂઆતમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને અન્ય કોચ સામે મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણનો (sexual abuse) આરોપ લગાવ્યો હતો. હવે તેમણે ફરી એકવાર એકત્ર થયા છે અને નવેસરથી પોલીસ ફરિયાદ નોંધાવી છે અને દિલ્હીના (Delhi) જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. સાત મહિલા કુસ્તીબાજોએ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ (Bhushan Sharan Singh) વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર ફરી વિરોધ શરૂ કરી દીધો છે. સાથે જ કુસ્તીબાજો વતી પત્રકાર પરિષદ યોજીને હડતાલ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. રેસલર સાક્ષી મલિકે કહ્યું હતું કે અમે બે દિવસ પહેલા સીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કોઈ સુનાવણી થઈ નથી. સાત યુવતીઓએ એફઆઈઆર નોંધાવી. એક છોકરી સગીર છે અને પોસ્કોની અંદર આવે છે. અઢી મહિના વીતી ગયા છતાં કમિટી તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી.

સાક્ષી મલિકની આંખોમાં આંસુ :

સાક્ષી મલિકે કહ્યું હતું કે આ યૌન ઉત્પીડનનો મામલો છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. જ્યારે કેસની સુનાવણી ન થઈ ત્યારે અમને હાર્યા બાદ અહીં પાછા આવવાની ફરજ પડી હતી. લોકો અમને જુઠ્ઠા માનવા લાગ્યા છે. લોકોને લાગ્યું કે અમે ખોટું બોલીએ છીએ.

અમે અમારી કારકિર્દી, ભવિષ્ય અને પરિવાર દાવ પર લગાવી દીધો છે અમે જેની સામે લડી રહ્યા છીએ તે ખૂબ જ મજબૂત છે, તેમની સાથે કોણ છે, કોણ નથી, તમે વધુ સારી રીતે જાણો છો. કેટલાક ત્રણ મહિનાથી દરેક પાસેથી સમય માંગી રહ્યા છે, રમતગમત મંત્રી અને મંત્રાલય તરફથી કોઈ સુનાવણી થઈ રહી નથી. અમે સમાપ્ત થઈ ગયા તેથી જ અમે વિરોધ કરી રહ્યા છીએ. લોકો આવું કહી રહ્યા છે.

આ દરમિયાન સાક્ષી મલિક ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે અમે કુસ્તીનું ભવિષ્ય અને અમારી આગળના ખેલાડીઓના ભવિષ્યને દાવ પર લગાવી શકીએ નહીં. 7 છોકરીઓમાં ઈન્ટરનેશનલ પ્લેયર પણ છે. નામ નથી કહી શકતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે પુરાવા આપ્યા નથી. બ્રિજભૂષણ શરણ સિંહ પાસેથી પુરાવા કેમ લેવામાં ન આવ્યા. પીડિતની આખી જીંદગી હોય છે. જો છોકરી આવીને ઊભી રહે તો તેના માટે શું જીવન બચશે.

અત્યાર સુધી કાર્યવાહીના અભાવે કુસ્તીબાજ લાલઘુમ :

ઉલ્લેખનીય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. મળતી માહિતી મુજબ પાછલા પ્રદર્શન દરમિયાન ખેલાડીઓને મળેલી ખાતરી પર કાર્યવાહી ન થવાને કારણે કુસ્તીબાજો ગુસ્સે છે.

આ પણ વાંચો :-

 

 

પંડ્યા બ્રધર્સ આવ્યા સામસામે : હાર્દિકે મજાકમાં આપી ગાળ, કુણાલ લઈ ન શક્યો વિકેટ ! મેચ પછી જે કર્યું તે જોઈ ફેન્સ થયા ખુશ

0

Pandya brothers came face to face 

  • કૃણાલ પંડ્યા 135 રનના ટાર્ગેટનો પીછો કરતા ત્રીજા નંબરે ઉતર્યો હતો. હાર્દિક પંડ્યાએ મેદાન પર આવતાની સાથે જ તેની મજા લેવાનું ચાલું કર્યું. મજેદાર વીડિયો હાર્દિક પંડ્યાએ શેર કર્યો.

શનિવારે લખનૌ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટાઇટન્સે છેલ્લી ઓવરમાં 4 વિકેટ ઝડપીને જાયન્ટસના જડબામાંથી વિજય છીનવી લીધો હતો. આ મેચમાં બે ભાઈઓ સામસામે હતા. કૃણાલ પંડ્યા (Krunal Pandya) એલએસજી વતી મેદાનમાં ઉતર્યો હતો જ્યારે તેનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા (Hardik Pandya) જીટીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ક્રુણાલ 135 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ત્રીજા નંબરે ઉતર્યો હતો.

હાર્દિકે મેદાન પર આવતાની સાથે જ તેને સ્લેજ કરવાની કોશિશ કરી હતી. તો સાથે સાથે આ મેચ બાદ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે તેની જર્સી બદલી છે. જેનો વીડિયો હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટવિટર એકાઉન્ટ પર શેર કર્યો :

સામાન્ય રીતે ફૂટબોલ મેચ દરમિયાન જર્સી બદલવાની પરંપરા જોવા મળે છે. ત્યાં સ્ટાર ફૂટબોલરો મેચ પૂરી થયા બાદ તેમની જર્સી બદલતા જોવા મળે છે અને તેઓ ખેલાડીઓમાં રમતની ભાવના જાળવી રાખવા માટે આવું કરે છે. મેગા લીગની 16મી સીઝનમાં બંને ભાઈઓ પ્રથમ વખત એકબીજા સામે રમ્યા હતા. આવી સ્થિતિમાં આ ક્ષણને ખાસ બનાવવા માટે હાર્દિકે કૃણાલ પાસેથી તેની જર્સી બદલી છે.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને ભાઈઓ પહેલા હાથ મિલાવે છે અને પછી હસીને જર્સી ઉતારે છે. આ પછી બંને પોતાની જર્સી બદલીને પહેરે છે અને પછી એકબીજાને ગળે લગાડે છે. આ ઘટનાનો વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટવિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ પણ વાંચો :-

 

Banna Gupta Video : કોંગ્રેસના મંત્રી ભૂલ્યા મર્યાદા ! મહિલા સાથે કરી ‘ગંદી’ વાત, વાયરલ થયો અશ્લીલ વીડિયો

0

Banna Gupta Video 

  • Banna Gupta Video : ઝારખંડથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ઝામુમો સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાનો એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઝારખંડથી (Jharkhand) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ઝામુમો સરકારમાં મંત્રી બન્ના ગુપ્તાનો એક કથિત અશ્લીલ વીડિયો (Porn videos) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મંત્રી બન્ના ગુપ્તા (Banna Gupta) વીડિયો કોલ પર એક મહિલા સાથે કથિત રીતે અશ્લીલ વાત કરતા નજરે ચડે છે. જેને લઈને ભાજપના સાસંદ નિશિકાંત દુબેએ (Nishikant Dubey) ટવીટ પણ કરી છે.

ભાજપે મંત્રી બન્ના ગુપ્તા પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમની પાસેથી રાજીનામાંની પણ માંગણી કરી છે. જો કે મંત્રી બન્ના ગુપ્તાએ પોતાના પર લાગલા તમામ આરોપોથી ઈન્કાર કર્યો છે. મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે તેમની છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. આવો જાણીએ એક વાયરલ વીડિયોથી કઈ રીતે ઝારકંડની રાજનીતિ ગરમાઈ છે.

મંત્રીજીનો અશ્લીલ વીડિયો :

અત્રે જણાવવાનું કે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જેમાં કોંગ્રેસના નેતા અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા કથિત રીતે અશ્લીલ વાતચીત કરતા જોવા મળે છે. જેના જવાબમાં ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રીએ વાયરલ વીડિયોને ફેક અને છેડછાડવાળો ગણાવ્યો છે. મંત્રીજીએ કહ્યું કે તેમના રાજકીય વિરોધીઓએ તેમની છબી ખરાબ કરવા માટે તેને વાયરલ કર્યો છે.

વીડિયો પર મંત્રીની સ્પષ્ટતા :

ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ એમ પણ કહ્યું કે આ એક ષડયંત્રનો ભાગ છે. પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું કે મે આ અંગે એક એફઆઈઆર નોંધાવી છે. પોલીસ આ મામલે જલદી તપાસ કરશે. એ લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશે જેમણે મને ફસાવવાનો પ્રયત્ન કર્યો.

નિશિકાંત દુબેએ કર્યો કટાક્ષ :

નિશિકાંત દુબેએ 19 સેકન્ડના વીડિયો ક્લિપને ટવીટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે આ છે કોંગ્રેસનું ચરિત્ર, ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાનો આ તથાકથિત માજરો છે. મહિલાઓની ઈજ્જત સાથે રમવું. કોંગ્રેસ કાર્યકર સુશીલ શર્માનું પત્નીને તંદૂરમાં બાળવું. કાશ ગાંધી પરિવાર સમજી શક્યો હોત. જો આ સાચું હોય તો કોંગ્રસે માટે ડૂબી મરવા જેવી વાત છે.

જો કે વીડિયોની સચ્ચાઈની હજુ પુષ્ટિ થઈ શકી નથી. આ મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બન્ના ગુપ્તા કોંગ્રેસના કોટાથી રાજ્યની ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી છે.

આ પણ વાંચો :-

વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લેવાયો મોટો નિર્ણય

0

Bigha is land, but not marriageable

  • Patidar Samaj : પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી. ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે..

ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને (Patidar society) એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આણંદના ભાલેજ થાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે.

આણંદના ભાલેજ ખાતે મળેલી ચિંતન શિબિરમાં જુદા જુદા 30 સમાજના 125 જેટલા અગ્રણીઓ આવ્યા હતા. આ તમામ અગ્રણીઓએ એકમતે નક્કી કર્યું કે મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજમાં દીકરીઓની અછત છે. આ અછતને પૂરી કરવા માટે ગુજરાતના જ પાટીદારો જે વર્ષોથી ગુજરાત બહાર વસેલા છે. તેમની સાથે સંબંધ કેળવવામા આવશે. ત્યાંની દીકરીઓને ગુજરાત લાવવાની એક પહેલ કરવા ગુજરાતના પાટીદાર સમાજે નિર્ણય લીધો છે.

આ માટે એક સંપર્ક ટીમ બનાવી છએ. જે અલગ અલગ રાજ્યોમાં સંપર્ક કરીને ત્યાં વસતા પાટીદારોના આગેવાનોને મળીને ત્યાંની દીકરી-દીકરા સાથે સંપર્ક કરશે. આ નિર્ણય માટે તમામ લોકોએ સહમતી સાધી છે.

ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.

પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્નથી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ પાટીદાર કુર્મી મહાસભા દ્વારા જે સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગે મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી.

આ પણ વાંચો :-

હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની છે ? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન

0

Now Pakistan

  • મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનાના (Shiv Sena) ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર ચૂંટણી ચિન્હને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે.

વાત જાણે એમ છે કે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે. પણ ચૂંટણી પંચ એવું કરી શકે નહીં કારણ કે તે ‘મોતિયા’થી પીડિત છે.

ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે જળગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ છે કે શિવસેના કોની છે તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે.

ઉદ્ધ ઠાકરેએ એકનાથ શિંદે અને તેની સાથે શિવસેનાથી અલગ થનારા વિધાયકો પર નિશાન સાધતા કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ વિધાયકો હતા જેમના કારણે જૂન 2022માં મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી.

મહારાષ્ટ્રમાં જળગાંવ જિલ્લાના પછોરામાં જનસભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ લોકોનો આભાર જતાવ્યો. તેમણે કહ્યું કે અહીં હાજર લોકોની સંખ્યાને જોતા પાકિસ્તાન પણ જાણી જશે કે કોણ અસલ શિવસેના છે. પરંતુ ચૂંટણી પંચ નહીં. કારણ કે તે મોતિયાથી પીડિત છે.

આ સાથે જ તેમણે લોકોને કહ્યું કે મત દ્વારા મુખ્યમંત્રી શિંદે અને તેમને સમર્થન કરનારા વિધાયકો વિરુદ્ધ પણ ગુસ્સો સ્પષ્ટ કરો. તેનાથી તેમનો રાજનીતિક રીતે ખાતમો થઈ જશે. પોતાના સંબોધન દરમિયાન ઠાકરેએ હાલના શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપને રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે પડકાર પણ ફેંક્યો.

આ પણ વાંચો :-

મોટો શો રૂમ ખોલવાથી જ ધંધો ના થાય, આ વસ્તુની ખેતીથી પણ કરી શકાય છે મોટો બિઝનેસ !

Business is not done by opening

  • ALOEVERA FARMING : એલોવેરાની ખેતી કરી કમાવો 5 ગણો પ્રોફીટ, ખૂબ જ ઓછું છે ઈન્વેસ્ટમેન્ટ. જાણી લો ખેતીની પદ્ધતિ અને કઈ રીતે કરી શકાય છે ઓછા રોકાણ અને ઓછી મહેનતમાં તગડી કમાણી.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં એલોવેરાની (Aloevera) માંગ વધારે છે. તેનું મોટું કારણ તેનો ઉપયોગ છે. એલોવેરાનો ઉપયોગ મેડિકલ અને કોસ્મેટિક પ્રોડક્ટસમાં (Cosmetic products) થાય છે. ત્યારે જો તેની ખેતી કરવામાં આવે તો સારો નફો મેળવી શકાય છે. એલોવેરાની (Aloevera) ખેતીની સૌથી સારી વાત એ છે કે આ માટે માત્ર એકવાર જ રોકાણ કરવું પડશે અને તમે આ છોડમાંથી 5 વર્ષ સુધી નફો મેળવી શકો છો.

એકવાર છોડ વાવ્યા પછી તેમાંથી નીકળતા બેબી પ્લાન્ટને બીજી જગ્યા પર લગાવી શકાય છે અને તેથી તમારા છોડની સંખ્યા વધતી જાય છે. કૃષિ નિષ્ણાંતોના મતે એલોવેરાનો છોડ 3થી 4 મહિનામાં બેબી પ્લાન્ટ આપે છે. જો એક એકરમાં એલોવેરાની ખેતી કરવામાં આવે તો દર વર્ષે લગભગ 20 હજાર કિલો એલોવેરાનું ઉત્પાદન થાય છે.

એલોવેરાના તાજા પાંદડાની વેચાણ કિંમત 5થી 6 રૂપિયા પ્રતિ કિલો છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, દરેક જગ્યાએ એલોવેરાની માંગ ખૂબ જ વધારે છે. તેવામાં તમે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ અથવા કોસ્મેટિક બનાવતી કંપનીઓને એલોવેરાના પાંદડા વેચી શકો છો.

એલોવેરાની ખેતી માટે સૌથી મહત્વની બાબત એ છે કે ખેતરમાં વધુ ભેજ ન હોવો જોઈએ સાથે જ ખેતરમાં પાણી સ્થિર ન હોવું જોઈએ. રેતાળ માટી એલોવેરા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. એલોવેરાની ઘણી પ્રજાતિઓ છે. જેમાં ઈન્ડિગો સૌથી સામાન્ય છે જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે. પરંતુ એલોવેરાની બાર્બાડેન્સિસ પ્રજાતિ ખૂબ જ લોકપ્રિય છે.

ખેડૂતો બાર્બાડેન્સિસ પ્રજાતિનું વાવેતર કરવાનું પસંદ કરે છે, કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. એલોવેરાની ખેતીમાં તેની વાવણી ફેબ્રુઆરીથી ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. શિયાળામાં તેનું વાવેતર નથી થતું. રોપણી વખતે બે છોડ વચ્ચે 2 ફૂટનું અંતર રાખવું જોઈએ. છોડ રોપ્યા પછી ખેડૂતો વર્ષમાં બે વાર તેના પાંદડા લણણી કરી શકે છે અને નફો કમાઈ શકે છે.

ખેડૂતો એક વીઘા ખેતરમાં 12 હજાર એલોવેરાના છોડ વાવી શકે છે. ખેતી માટે લગાવેલા છોડની કિંમત 3થી 5 રૂપિયા સુધીની હોય છે. એલોવેરાના એક છોડમાંથી 3.5 કિલો સુધીના પાંદડા મળે છે અને એક કિલોની કિંમત 5થી 6 રૂપિયા સુધીની હોય છે.

જો કે સરેરાશ છોડના એક પાંદડા 18 રૂપિયા સુધી વેચાય છે. એટવે 40 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક ખેડૂત અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. એટલે કે એલોવેરાની ખેતીથી કુલ 5 ગણો નફો મેળવી શકાય છે.

આ પણ વાંચો :-

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડયો દમ

0

Another cheetah death in Kuno National Park

  • ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વન અધિકારીના હવાલાથી આ વાતની જાણકારી આપી છે. થોડા સમય પહેલા કુનોમાં માદા ચિત્તા શાસાનું મોત થયું હતું. ત્યારબાદ ચિત્તા પ્રોજેક્ટને વધુ એક ઝટકો લાગ્યો છે.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) વિદેશથી લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત થઈ ગયું છે. જે ચિત્તાનું મોત થયું છે તેનું નામ ઉદય છે જેને આફ્રિકાથી (Africa) કુનો લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે કુનોમાં આ બીજા ચિત્તાનું મોત થયું છે. નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. હવે 18 ચિત્તા બચ્યા છે.

એપ્રિલ મહિનામાં ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો થયા બાદ આફ્રિકી ચિત્તાને ખુલા વાડામાં છોડી દેવામાં આવ્યા હતા. સાઉથ આફ્રિકાથી 18 ફેબ્રુઆરીએ કુનો લાવવામાં આવેલા 12 ચિત્તામાંથી ત્રણ નર ચિત્તાને 17 એપ્રિલે ક્વોરેન્ટીનમાંથી છોડી દેવામાં આવ્યા હતા. તો 18 એપ્રિલ અને 19 એપ્રિલે બાકી 9 ચિત્તાને પણ વાડામાં રિલીઝ કરી દેવામાં આવ્યા હતા.

જંગલમાં છોડવામાં આવેલા ચિત્તા ત્યાં ખુદ શિકાર કરી રહ્યાં હતા. જંગલમાં ચીતલ, જૈકાલ, ખરગોશ, હરણ અને અન્ય વન્ય પ્રાણીનની ભરપૂર સંખ્યા છે. ચિત્તા પ્રોજેક્ટ તબક્કાવાર રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે. નામીબિયાથી ચિત્તાને સફળતાપૂર્વક કુનોમાં વસાવવામાં આવ્યા છે. વર્તમાનમાં ચાર ચિત્તાને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા છે.

બાકી નામીબિયા ચિત્તા મોટા વાડામાં હાજર છે. ડીએએચડી (ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબેન્ડ્રી એન્ડ ડેયરી) ની મંજૂરી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર બે દિવસમાં સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા બધા 12 ચિત્તાને મોટા વાડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ATMમાં એક નહીં, બે-બે જ AC કેમ હોય છે ? પાછળનું લોજિક જાણીને ચોંકી જશો

Why ATMs have two AC

  • ATM મશીનમાંથી સરળતાથી રોકડ મેળવી શકાય છે. તમે જોયું હશે કે ત્યાં એર કંડિશનર લાગેલું હોય છે. તો ATM સેન્ટર પર AC શા માટે લગાવવામાં આવે છે?

મોટાભાગના લોકો રોકડ મેળવવા માટે ATM સેન્ટર પર જાય છે. ATM મશીનમાંથી સરળતાથી રોક મેળવી શકાય છે. આજના સમયમાં લગભગ તમામ વિસ્તારમાં ATM મશીન હોય છે. જો તમે પણ ATM મશીનમાંથી રોકડ ઉપાડો છો. તો તમે જોયું હશે કે ત્યાં એર કંડિશનર (Air conditioner) લાગેલું હોય છે.

અનેક ATM સેન્ટમાં બે-બે એસી લગાવવામાં આવેલા હોય છે. તો તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે ગ્રાહકની સુવિધા માટે આ એર કંડિશનર લગાવવામાં આવ્યા છે. જો તમે આવું વિચારી રહ્યા છો તો એવું નથી. આ બાબત તદ્દન અલગ છે.

ગરમીના દિવસોમાં કોઈ વ્યક્તિ ATMમાંથી રોકડ લેવા જાય ત્યારે તેને આનંદ આવે છે. ATMમાં ACની ઠંડી ઠંડી હવા મળે છે. જેથી અનેક લોકોને એવું લાગે છે કે તેમના માટે જ આ AC લગાવવામાં આવ્યું છે. ATM મશીનમાં આરામ આપવા માટે AC લગાવવામાં નથી આવતું.

તમે જોયું હશે કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી અથવા ગરમ જગ્યાએ રાખવાથી તે ધીરે ધીરે ગરમ થઈ જાય છે. ATM મશીન સાથે પણ આ પ્રકારે થાય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ATM 24 કલાક ચાલુ રાખવામાં આવે છે. આ કારણોસર ATM મશીન ગરમ થઈ જાય તો તે ખરાબ થવાની સંભાવના રહે છે.

તમે પણ ATM માં પૈસા ઉપાડવા માટે જતા હશો. જ્યાં તમે જોયું હશે કે ATM મશીનને ઠંડુ રાખવા માટે અને સતત સારી સર્વિસ આપે તે માટે કેબિનમાં AC લગાવવામાં આવે છે. અનેક જગ્યાએ મશીન વધુ હોય તો વધુ AC લગાવવામાં આવે છે. ભારતમાં ATM સેન્ટર પર બે AC હોય છે. એક ACને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવે છે. બંને AC વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. જેથી ATM મશીનને 24 કલાક કૂલિંગ મળી શકે.

આ પણ વાંચો :-

Mobile પર ભારતીય મહિલા અને પુરૂષ સૌથી વધુ સર્ચ કરે છે આ વસ્તુ રિપોર્ટમાં થયો ચોંકાવનારા ખુલાસા

Indian women and men

  • મોબાઈલ ફોનનો ઉપયોગ આજકાલ બધા લોકો કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકો મોબાઇલ પર શું સર્ચ કરે છે. જાણો વિસ્તારથી.

મોબાઈલ (Moblie) આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દરેક મોબાઈલ દિવસ અને રાત્રે કંઈકને કંઈક સર્ચ કરે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે મોબાઇલમાં લોકો સૌથી વધુ શું સર્ચ કરે છે. કન્વર્સેશન મીડિયા પ્લેટફોર્મ બોબલ એઆઈ (Bobble AI)ના રિસર્ચમાં આશરે 8.5 કરોડ પુરૂષો અને મહિલાઓ પર રિસર્ચ કર્યું. જેમાં મહિલાઓએ એપ ઉપયોગનો ખુલાસો કર્યો. ભારતીય પુરૂષો અને મહિલાઓના ઈન્ટરનેટ પર સર્ચિંગ ટ્રેન્ડને લઈને ઘણા ખુસાલા થયા છે. આવો તે વિશે વિસ્તારથી જાણીએ.

મેસેજિંગ એપ ઉપયોગ કરવામાં મહિલાઓ આગળ :

જો ભારતીય પુરૂષોની વાત કરીએ તો તે મોબાઈલ પર ગેમિંગ એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. પરંતુ પુરૂષોના મુકાબલે મહિલાઓના ટ્રેન્ડ અલગ છે. મહિલાઓ મોબાઈલ પર ફુડ અને મેસેજિંગ એપનો ઉપયોગ સૌથી વધુ કરે છે. બોબલ એઆઈના રિપોર્ટ પ્રમાણે પાછલા વર્ષે સ્માર્ટફોન પર સમય પસાર કરવામાં ભારતીયોમાં 50 ટકાનો વધારો થયો છે. મહિલાઓના સ્માર્ટફોનના ઉપયોગ કરવાના સમયમાં વધારો થયો છે. તેમ છતાં 11.3 ટકા ભારતીય મહિલાઓ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે.

મહિલાઓ અને પુરૂષો મોબાઈલ પર શું કરે છે સૌથી વધુ સર્ચ :

– રિસર્ચ પ્રમાણે મોબાઈલ ફોન પર માત્ર 6.1 ટકા મહિલાઓ ગેમિંગ એપ્સનો ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓ વીડિયો એપનો ઉપયોગ કરવામાં સૌથી આગળ છે.

– વીડિયો એપના મામલામાં મહિલાઓની ભાગીદારી આશરે 21.7 ટકા છે. જ્યારે ફુડ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 23.5 ટકા છે.

– પેમેન્ટ એપ ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા છે. જ્યારે ગેમિંગ એપમાં મહિલાઓની ભાગીદારી 6.1 ટકા છે. પરંતુ પુરૂષ મહિલાઓના મુકાબલે વધુ સંખ્યામાં પેમેન્ટ એપ અને ગેમિંગ એપનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો :-

Today’s Horoscope, 24 એપ્રિલ 2023 : કોઈને પ્રેમ પાંગરશે, કોઈને લેવડ-દેવડમાં ધોખાઘડી, કઈ રાશિના જાતકોનો દિવસ મજાનો રહેશે અને કોને સજાનો ? જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope, 24 April 2023

મેષઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા આનંદ ઉત્સાહમાં વધારો થાય. નાના ભાઈ-બહેનો સાથે પ્રેમનું વાતાવરણ સર્જાશે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ જળવાશે. નોકરી-ધંધા ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય સારું રહેશે.

વૃષભઃ
કલાત્મક કૌશલ્યનો વિકાસ થાય. વ્યવહારિક અને ઉત્તેજનાપૂર્ણ વ્યક્તિત્વ રહેશે. ધગશ, ઉત્સાહમાં વધારો. થોડી સ્વાર્થવૃત્તિ વધતી જણાય. મશીનરી, દરજી, ફોટોગ્રાફીના કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓને પ્રગતિ-સફળતા મળે.

મિથુનઃ
સ્વભાવ જીદ્દી થાય. આવકમાં ઘટાડો નોંધાય. પરિવારમાં શાંતિ અને સંપની અનુભૂતિ થાય. નવા આર્થિક આયોજનો સફળ થતા જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકો. આરોગ્ય સારું રહેશે. જીવન સાથીની તબિયત સાચવવી.

કર્કઃ
દિવસ દરમ્યાન શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી રહેતી જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. ભાગ્યના બળે કાર્ય સફળ થતા જણાય. મિત્રો તરફથી સાથ-સહકાર મળતો જણાય.

સિંહઃ
નાણાંકીય બાબતોથી લાભ સંભવે. કુટુંબમાં સુખ-શાંતિ વધે. જમીન-મકાન મિલકતથી લાભ મળતો જણાય. રંગ-રસાયણ, ટાયરના ધંધાવાળા વ્યક્તિઓને માટે શુભ દિવસ. મિત્રો સાથે મનદુઃખ ન થાય એ સાચવવું.

કન્યાઃ
આજનો દિવસ આપના માટે શુભ પુરવાર થાય. ભાઈ-બહેનો તથા પુરા પરિવાર સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બને. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય. નવા કાર્યોની શરૂઆત શક્ય બને. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. પિતાની તબિયત સાચવવી.

તુલાઃ
બપોર સુધી નાણાંની ખેંચ વર્તાય. બપોર બાદ ભાગ્ય સાથ આપતું જણાય. નોકરી, ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાય. પરિવારના સભ્યો માટે ચિંતા રહે. કરેલા રોકાણોનું શુભ ફળ મળતુ જણાય. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ ફળદાયી નીવડે.

વૃશ્ચિકઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. બપોર સુધી તમામ બાબતોમાં સફળતા મળતી જણાય. બપોર બાદ માનસિક તણાવ રહે. આવક ઘટતી જણાય. શરીરમાં થાક, સુસ્તીનો અનુભવ થાય. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
ગઈકાલની માનસિક અશાંતિ દૂર થતી જણાય. આનંદ-ઉત્સાહનો અનુભવ થાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં શુભ કાર્યનું આયોજન થાય. આરોગ્ય સુધરતું જણાય. ખોટા ખર્ચ ટાળવા જરૂરી.

મકરઃ
આવક ઘટતી જણાય. બચત ઓછી થાય છતાં માનસિક સ્વસ્થતા જાળવી શકાય. વિચારોમાં શુદ્ધતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી ઉઠાવવી પડે. આદ્યાત્મિક પ્રગતિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન શક્તિ-સ્ફૂર્તિનો અનુભવ થાય. આવક વધતી જણાય. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસનું વાતાવરણ સર્જાય. નવા રોકાણોથી લાભ થાય. જુના રોકાણોમાંથી આવક વધતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
માનસિક શાંતિ જળવાશે. આવકનું પ્રમાણ વધશે. નોકરીમાં ઈન્સેન્ટીવની પ્રાપ્તિ શક્ય બને. ધંધામાં પ્રગતિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સ્ત્રીવર્ગ તરફથી લાભ મેળવી શકાય. પત્નિને ગળાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-