Home Blog Page 1096

Sharad Pawar : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ ! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી

0

Sharad Pawar 

  • Maharashtra Politics : મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) મહાવિકાસ આઘાડીમાં છેલ્લા કેટલાક સમયથી ખટપટ ચાલુ છે. બીજી બાજુ શરદ પવારના (Sharad Pawar) ભત્રીજા અજીત પવાર (Ajit Pawar) ભાજપ સાથે જાય તેવી પણ અટકળો છે. આ બધા વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારના એક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. શરદ પવારે એનસીપીનું (NCP) અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.

પવારના રાજીનામાં પાછળ અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા પવારની પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આવનારા 15 દિવસમાં બે ધમાકા થશે. એવું લાગે છે કે તેમનો ઈશારો આ અંગે હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં વિદેશ જેવો પ્રોજેક્ટ, હવે અકસ્માત બાદ વાહનો ખીણમાં નીચે નહિ પડે

0

A project like Videsh in Gujarat 

  • Roller crash barriers : ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો. અકસ્માત નિવારણ માટે સંભવતઃ ગુજરાતનો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર.

ડાંગ જિલ્લાના વધઈ-સાપુતારા (Vahai-Saputara) રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ (Pilot project) શરૂ કારાયો છે. હવેથી રોલર ક્રશ બેરીયર (Roller Crush Barrier) ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે.

ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમાં સંભવતઃ સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ (Dang) જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઈ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.

શું છે રોલર ક્રશ બેરીયર્સ?

રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઈવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

આ પણ વાંચો :-

રાધિકા સાનગઢીયાએ 12 સાયન્સમાં એવું તે શું કર્યું કે આખું સુરત જોતું રહી ગયું ..

0

What did Radhika Sangarhia  

  • સુરતના વરાછામાં રહેતા રત્ન કલાકારની દીકરીએ બારમા ધોરણની પરીક્ષામાં એ 1 ગ્રેડમાં પાસ થઇને સુરતનું ગૌરવ વધાર્યું છે.

હવે તેને એરોસ્પેસ ક્ષેત્રમાં (Aerospace sector) જવાની મહેચ્છા છે. બે રૂમના ભાડાના ઘરમાં રહેતા મૂળ અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા ગામના ધર્મેશભાઈ સાનગઢીયાની દીકરી સામાન્ય પરિવારમાંથી આવીને અસામાન્ય પરિણામ લાવનારી બની છે. ધર્મેશભાઇ માત્ર બારમું ધોરણ જ ભણ્યા છે. તો તો રાધિકાની મમ્મી પણ ફક્ત દસમું ધોરણ જ ભણી છે.

એમ છતાં પોતાની ધગશ અને માતા-પિતાના સથવારે રાધિકાએ ધોરણા બારમાના સાયન્સની પરીક્ષા એ વન ગ્રેડમાં પાસ કરી છે. વરાછામાં રહેતી રાધિકા મૌની ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. તેને ભણાવતા શિક્ષકોએ પણ તેનું હીર પારખી જઇને અભ્યાસમાં તમામ મદદ કરી છે.

આખું વર્ષ સખત મહેનત કરી રાધિકાએ ગુજકેટમાં પણ સારો દેખાવ કર્યો છે. તેણે ગુજકેટમાં 120 માંથી 113 માર્ક મેળવ્યા છે. તેણે કોઈ પણ ટ્યુશન વિના ગણિતમાં સોમાંથી સો માર્ક મેળવ્યા છે. જ્યારે કમ્પ્યુટર 100 માંથી 97 માર્ક મેળવ્યા છે.

આ પણ વાંચો :-

 

એવું તે શું થયું વિરાટ-ગંભીર મેદાન પર ઝઘડી પડયાં, આ અફઘાન ખેલાડી કોણ ?

0

What happened Virat-Gambir

  • Virat Kohli vs Gautam Gambhir IPL 2023 clash : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલી લડાઈમાં અફઘાની પ્લેયર નવીન ઉલ હકનું પણ નામ સામે આવ્યું છે. નવીન લખનઉની ટીમ તરફથી રમે છે. જાણો સમગ્ર કહાની

લખનઉના (Lucknow) ઈકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે જે મેચ રમાઈ ત્યારબાદ સ્ટિડેયમમાં જ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જે થયું તેણે ફરીથી દેખાડી દીધુ કે આ બંને ખેલાડીઓ વચ્ચે સ્થિતિ નોર્મલ નથી. બંને ખેલાડીઓ સેરઆમ એકબીજા સાથે બાખડી બેઠા. ત્યારબાદ બંનેની 100 ટકા મેચ ફી પણ કપાઈ ગઈ.

આ સમગ્ર વિવાદ એક મેના રોજ લખનઉ અને બેંગ્લુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ શરૂ થયો. આ મેચ આરસીબીએ જીતી લીધી. લખનઉની ટીમ આટલી લો સ્કોરિંગ મેચ અને તે પણ ઘર આંગણે હારી ગઈ. મેચ જીતવા માટે આરસીબીએ લખનઉને 127 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કેએલ રાહુલના નેતૃત્વવાળી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વાત જાણે એમ છે કે મેચ બાદ તમામ ખેલાડીઓ પરસસ્પર મળી રહ્યા હતા. ત્યારબાદ આરસીબીના વિરાટ કોહલી, લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર, લખનઉના ખેલાડી નવીન ઉલ હક પરસ્પર લડતા જોવા મળ્યા. ગૌતમ ગંભીર લખનઉ સુપર જાયન્ટસ ટીમના મેન્ટર છે.

આખરે આ સમગ્ર વિવાદમાં શું થયું… જાણો મેચ બાદ થયેલા દંગલની કહાની !

આ વિવાદ મામલે આઈપીએલ તરફથી પણ મોટી કાર્યવાહી થઈ છે. આઈપીએલએ એક પ્રેસ રિલીઝ પર બહાર પાડી છે અને વિરાટ તથા ગૌતમ ગંભીર બંને આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 2 ના દોષિત ઠર્યા છે. બંનેએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. બંનેની 100 ટકા મેચ ફી કપાઈ ગઈ છે. બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટસના નવીન ઉલ હકની પણ 50 ટકા મેચ ફી કપાઈ છે. નવીન ઉલ હક આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ 2.21ના લેવલ 1નો દોષિત ઠર્યો છે.

કયા કારણે શરૂ થયો વિવાદ?

વાત જાણે એમ છે કે ઈકાના સ્ટેડિયમના અનેક વાયરલ ફોટા સામે આવી રહ્યા છે. આ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી ફિલ્ડિંગ દરમિયાન ખુબ જોશમાં જોવા મળી રહ્યો હતો. જેવા લખનઉની ટીમના ક્રુણાલ પંડ્યા આઉટ થયો, તેણે દર્શકો તરફ ઈશારો કર્યો જે કદાચ ગૌતમ ગંભીર તરફ હોય તેવું જણાયું. ગોતમ ગંભીરે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચ બાદ દર્શકો તરફ શાંત રહેવાનો આંગળીથી ઈશારો કર્યો હતો. જ્યારે કોહલીએ લખનઉના મેદાનમાં દર્શકોને આરસીબીનો જોશ વધારવા માટે હાથથી ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો :-

વર્ષોથી ખુબ ઓડકાર આવતા હતા આ મહિલાને, ચેક કરાવ્યું તો ડોક્ટરના પણ હોશ ઉડી ગયા

This woman

  • અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે.

અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ ઓડકાર (Belch) આવતા હોય છે જે આમ જોવા જઈએ તો એક સામાન્ય સમસ્યા છે. જો કે કેટલાક લોકોને સામાન્ય કરતા વધુ અને સતત ઓડકાર આવતા હોય છે જે પેટમાં ગેસ બનવાના કારણે થતું હો છે. આવી સ્થિતિમાં ડોક્ટરો (Doctor) મોટાભાગે સલાહ આપતા હોય છે કે તેઓ પોતાની આહાર વ્યવસ્થામાં સુધાર કરે જેથી કરીને પેટની ગેસ (Stomach Gas) બનવાની સમસ્યા ઓછી થઈ શકે.

વધુ ઓડકાર આવવા એ ક્યારેક શરમિંદગીનું કારણ બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ખતરાની ઘંટી ઊભી થાય છે. એક 24 વર્ષની નર્સ બેલી મેકબ્રીનના કેસમાં વધુ ઓડકાર એક ઘાતક કેન્સરના ત્રીજા સ્ટેજ માટે પહેલી ચેતવણી બન્યું.

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નર્સ બેલી મેકબ્રીને કહ્યું કે તેને ઓછા ઓડકાર આવતા હતા. જો કે બે વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં તેને વધુ ઓડકાર આવવા લાગ્યા હતાં પરંતુ તેણે તેને નજરઅંદાજ કર્યું. ફેબ્રુઆરી 2022માં મેકગ્રીનને વધુ એસિડ રિફ્લક્સની ફરિયાદ થઈ.

જેને ડોક્ટરોએ ચિંતાનું કારણ ગણાવ્યું. જો કે જાન્યુઆરીમાં તેને અહેસાસ થયો કે કઈક અસામાન્ય છે અને તેને ખુબ દુખાવો, ભૂખ ન લાગવી અને શૌચક્રિયામાં અસમર્થતા થઈ. એક CT સ્કેન બાદ જાણવા મળ્યું કે તેના કોલનમાં ટ્યૂમર (કોલન કેન્સર) છે.

વધુ ઓડકાર  કોલન કેન્સરનું પહેલું સંકેત?

પોતાના અનુભવો શેર કરતા બેલી મેકબ્રીને કહ્યું કે વધુ ઓડકાર આવવા તે તેના માટે પહેલો સંકેત હતો. રોજ 5-10 વાર જે અસામાન્ય હતું કારણ કે તેને પહેલા આટલા ઓડકાર ક્યારેય આવતા નહતા. તેને આ ખુબ અજીબ લાગ્યું પરંતુ તેણે વધુ વિચાર્યું નહીં. સ્ટેજ 3 કેન્સર ડિટેક્ટ થયા બાદ તેને ખુબ પરેશાની થઈ. પરંતુ ધીરે ધીરે તેણે સંઘર્ષ કર્યો અને બીમારીને હરાવવા માટે લાગી ગઈ.

કોલન કેન્સરના અન્ય સંકેત :

– કારણ વગર  થાક કે નબળાઈ

મળાશયથી બ્લિડિંગ

– મળમાં લોહી આવવું

– એવું મહેસૂસ થવું કે આંતરડા બરાબર ખાલી થયા નથી

– સતત ગેસ, પેટમાં કળતર, પેટ દુખાવો

–  આંતરડાની આંદરોમાં વારંવાર પરિવર્તન જેમ કે કબજિયાત, ઝાડા

– આંતરડા સ્થિરતામાં પરિવર્તન

આ પણ વાંચો :-

 

દ્વારકાધીશ મંદિર પર મોટું સંકટ આવવાની તૈયારી ? તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો

0

Dwarkadhish temple

  • Dwarkadhish Temple : દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે.

દ્વારકાધીશ મંદિર (Dwarkadhish Temple) ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે. ત્યારે આ મંદિર પર સંકટ આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિરના શિખરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. હાલ મંદિરના પત્થરોમાં તિરાડો જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહેશે તો જગત મંદિરની જાળવણી કરવી બહુ જ મુશ્કેલ બની જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાધીશ મંદિર સ્ટ્રક્ચરની હાલત એકદમ જર્જરિત બની ગઈ છે. મંદિરમાં અનેક સ્થળોએ મોટા ગાબડા પથ્થરોના જોઈન્ટ ખુલ્લા પડી ગયા છે. આ જોઈન્ટસ ખૂલી જવાથી દિવાલોના પોપડા અને ધૂળની રજકણો પડી રહી છે.

દ્વારકામાં ત્રૈલોક્યસુંદર મંદિર હજારો વર્ષોથી અડીખમ ઉભુ રહ્યું છે. પરંતુ આ મંદિર હવે સમારકામ માંગી રહ્યું છે. તો બીજી તરફ, જીર્ણોદ્ધાર માટે આર્કિયોલોજી વિભાગ દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે સાત માળના શિખરના મોટાભનાગ પિલર, કમાન, ફ્લોરીગમાં જોઈન્ટ ખૂલી રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલા પથ્થરોમાં તિરાડો પડી રહી છે.

બીજી તરફ મંદિરમાં જીર્ણોદ્વાર માટે અનેકવાર રીપેરીંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. છતા હજી સુધી કોઈ કામગીરી આગળ વધી નથી. જો આવું ને આવું થતું રહેશે તો મંદિર પર મોટુ સંકટ આવી પડશે. ત્રણ વર્ષ પહેલા રાજકોટમાં આર્કિયોલોજી ઓફ ઈન્ડિયાની સર્કલ ઓફિસ પણ શરૂ કરાઈ છે. આ કચેરી દ્વારા મંદિર શિખરની જર્જરિત હાલત અંગે કોઈ કાર્યવાહી કરાઈ હોય તેવુ દેખાતુ નથી.

આ પણ વાંચો :-

6,6,6…સચિન પણ બની ગયો જબરા ફેન, સિક્સર કિંગ ટિમ ડેવિડને તેંડુલકરે લગાડયો ગળે, અને પછી…

0

6,6,6…

  • છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે ફટકારેલી સતત ત્રણ સિક્સે ફક્ત મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે જીત જ નથી અપાવી. ક્રિકેટના ભગવાનનું દિલ પણ જીતી લીધું.

ટિમ ડેવિડે (Tim Davide) માત્ર 14 બોલમાં અણનમ 45 રન ફટકારીને વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં પોતાનો સમાવેશ કર્યો છે. ઉંચા કદના ઓલરાઉન્ડરે બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.

છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે ફટકારેલી સતત ત્રણ સિક્સે ફક્ત મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે જીત જ નથી અપાવી. ક્રિકેટના ભગવાનનું દિલ પણ જીતી લીધું. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ટિમ ડેવિડ જ્યારે જેસન હોલ્ડરની બોલિંગનો કચ્ચરઘાણ કાઢી રહ્યો હતો.

ત્યારે સચિન તેંડુલકરની ખુશીનો પાર નહતો. ડેવિડની દરેક સિક્સર પર સચિન ખુશ થતા હતા. વાનખેડે સ્ટેડિયમમાં રેકોર્ડ 212 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ સચિન તેંડુલકર પણ સ્ટેન્ડ પરથી મેદાનમાં આવ્યા અને ટિમ ડેવિડને ગળે લગાવી લીધો.

ટિમ ડેવિડે માત્ર 14 બોલમાં અણનમ 45 રન ફટકારીને વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં પોતાનો સમાવેશ કર્યો છે. સિંગાપોરમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સે ગયા વર્ષે મેગા ઓક્શનમાં 8.25 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. જમણેરી બેટ્સમેન ડેવિડ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને થોડા બોલમાં જ રમતની દિશા બદલી નાંખી.

ગત સિઝન સુધી ટીમના મહત્વના ઓલરાઉન્ડરમાંથી એક એવા પોલાર્ડ હાલ કોચિંગ સ્ટાફનો ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે ડેથ ઓવરમાં મુંબઈને આ જ રીતે જીત અપાવતા આવ્યા છે. ડેથ ઓવરમાં તે બાઉન્ડ્રી પર પોતાની ઊંચાઈનો ઉપયોગ કરીને કેચ પકડી લતા. જે ટિમ ડેવિડ અત્યારે કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

૨૫ વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC ! ફૂલ ગરમીમાં પણ તમને નહીં થાય ગભરામણ 

AC

Solar Air Conditioner : એર કંડિશનર ગરમીથી રાહત આપે છે. પરંતુ વીજળીનું બિલ વધારે છે. AC ચલાવવાથી પણ વીજળીનું બિલ વધી જાય છે. આજે અમે તમને એક એવા AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે તમારે ૨૫ વર્ષ સુધી વીજળીના બિલની ચિંતા નહીં કરવી પડે.

ઉનાળાની (Summer) ઋતુ આવી ગઈ છે અને આ સમય દરમિયાન લોકો કુલર અને પંખા જેવા ઉપકરણોનો ઉપયોગ કરે છે. જો કે ઉનાળાની આ વધતી જતી સિઝનમાં કુલર (Cooler) અને પંખા કોઈ કામના નથી. તેથી લોકોને આ ઉનાળામાં જ એર કંડિશનરથી રાહત મળી શકે છે. એર કંડિશનર (Air conditioner) ગરમીથી રાહત આપે છે.

પરંતુ વીજળીનું બિલ વધારે છે. AC ચલાવવાથી પણ વીજળીનું બિલ વધી જાય છે. આજે અમે તમને એક એવા AC વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના કારણે તમારે 25 વર્ષ સુધી વીજળીના બિલની ચિંતા નહીં કરવી પડે.

વીજળી બિલની બચત થશે :

જો તમે સોલર એર કંડિશનર ઈન્સ્ટોલ કરો અને તેને 6 થી 8 કલાક ચલાવો, તો તે લગભગ 8 થી 10 યુનિટ વીજળી વાપરે છે, જે 1 ટન એર કંડિશનરની સમકક્ષ છે. આ આધારે, 1 યુનિટ વીજળીની કિંમત લગભગ રૂ.8 છે. જેના કારણે તમારો દૈનિક ખર્ચ રૂ. 80 આસપાસ થઈ શકે છે.

આ રીતે તમે એક દિવસમાં લગભગ 80 રૂપિયાની વીજળીનો ઉપયોગ કરો છો જે એક મહિના માટે 2400 રૂપિયા સુધી જઈ શકે છે. જો તમે સોલર એસી ખરીદો છો તો તમને દર મહિને હજારોનો ફાયદો મળશે.

કેટલો ખર્ચ થશે :

જ્યારે આપણે સોલર એસી વિશે વાત કરીએ છીએ. ત્યારે તેની કિંમત અન્ય એર કંડિશનર કરતાં થોડી વધુ હોઈ શકે છે. પરંતુ તે તેના ફાયદાના આધારે તેની કિંમતમાંથી પણ બચાવી શકે છે. સોલાર ACની કિંમત 1 ટન માટે 100,000 રૂપિયા સુધી હોઈ શકે છે. આનાથી વધુ સાઈઝના સોલર એસીની કિંમત 200,000 રૂપિયા સુધી હોઈ શકે છે.

એકવાર તમે સોલર એસી લગાવી લો પછી તમારે લગભગ 10 થી 15 વર્ષ સુધી તેના પર ખર્ચ કરવો પડશે નહીં. આનાથી તમને તમારા વીજળીના બિલમાં બચત કરવાનો ફાયદો મળે છે અને તમે જે ઊર્જાનો ઉપયોગ કરો છો તે પણ સ્વચ્છ છે. વધુમાં સોલાર એસી ઈન્સ્ટોલ કરીને તમે તમારા દેશમાં ઊર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં મદદ કરો છો. સોલાર એસીનો ઉપયોગ તમારા ઘરને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત સાથે લવચીક બનાવે છે.

આ પણ વાંચો :-

૦૨ મે ૨૦૨૩નું રાશિફળ : સંપત્તિ ખરીદવાના યોગ, નોકરીમાં પ્રગતિ : કઈ-કઈ રાશિના જાતકોનું આજે કેવું રહેશે રાશિફળ

May 02, 2023 Horoscope

મેષઃ
આવક ઓછી થવાનાં કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક બાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથે મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ. સ્મૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામો નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Palak Tiwari એરપોર્ટ પર એવા કપડામાં દેખાઈ કે જોતા જ રહી ગયા જોનારા, જુઓ તસવીરો

Palak Tiwari  

  • Palak Tiwari Hot Photo Shoot : ભોજપુરી એક્ટ્રેસ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.

કિસી કા ભાઈ કિસી કી જાન‘ ફેમ અભિનેત્રી પલક તિવારી (Palak Tiwari) આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી એરપોર્ટ (Airport) પર વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી.

બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી અભિનયની શરૂઆત કરનાર પલક તિવારીની તાજેતરની તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

ભોજપુરી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી એરપોર્ટ પર વન પીસ ડ્રેસમાં જોવા મળી હતી. પલક તિવારી ગ્રીન વન પીસ ડ્રેસ, સ્નીકર્સ અને સાઈડ બેગમાં ખૂબસૂરત લાગી રહી છે.

આ તસવીરોમાં પલક તિવારી પોતાના કિલર લુક અને સુંદરતાથી બધાનું દિલ જીતી રહી છે. તો બીજી તરફ પલક તિવારી પણ પોતાની ક્યૂટ સ્માઈલ દ્વારા ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

પલક તિવારીનો આ લેટેસ્ટ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-