Home Blog Page 1089

OMG ! એક્સરે જોઈને ડોક્ટરોના રૂવાડાં ઉભા થઈ ગયા, એક બે નહીં શરીરમાં હતા ડઝન કીડા

OMG! Seeing the X-ray 

  • Viral News : તાજેતરના એક કિસ્સામાં સતત ઉધરસની સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા એક માણસને તેના શરીરમાં ડઝનેક ટેપવોર્મ્સ હોવાનું જાણીને આઘાત લાગ્યો હતો. ડોક્ટરોએ દર્દીનો એક્સ-રે કર્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો.

જો તમે હેરાન અને ચોંકાવનારા સમાચાર વાંચીને ડરી જાવ છો તો આ સમાચાર તમારા માટે નથી. પરંતુ જો તમે તેને વાંચી લેશો તે તમારા માટે ફાયદાકારક રહેશે. ઘણા વર્ષોથી ઈન્ટરનેટ પર ચોંકાવનારા મેડિકલ ટેસ્ટના (Medical test) સમાચાર સામે આવે છે.

ડોકટરોએ દર્દીની આંખમાંથી જીવતો કીડો (A Living Worm) કાઢવાથી લઈને પેટમાંથી સિક્કા કાઢવા સુધીના આશ્ચર્યજનક કિસ્સાઓ જોયા છે. વિશ્વભરની હોસ્પિટલોની અંદર ઘણી વિચિત્ર બાબતોનો સામનો કરવો પડે છે. આવો જ એક અન્ય કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્કેન કર્યા બાદ એક માણસના પેટની અંદર ઘણા બધા કીડા મળી આવ્યા હતા.

દર્દીના એક્સ-રેમાં મોટો ખુલાસો :

તાજેતરના એક કિસ્સામાં સતત ઉધરસની સારવાર માટે હોસ્પિટલમાં ગયેલા એક માણસને એ જાણીને આઘાત લાગ્યો કે તેના શરીરમાં ડઝનેક ટેપવોર્મ્સ છે. ડોક્ટરોએ દર્દીનો એક્સ-રે કર્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો. બ્રાઝિલના સાઓ પાઉલોમાં હોસ્પિટલ દાસ ક્લિનિકાસ બોટુકાટુના ચિકિત્સક ડો. વિટર બોરિન પી. ડિસોઝા દ્વારા Twitter પર શેર કરવામાં આવ્યા પછી સ્કેનની તસવીરો વાયરલ થઈ નથી. પરીક્ષણો અને સ્કેનથી જાણવા મળ્યું છે કે તે વ્યક્તિ સિસ્ટીસરર્કોસીસથી પીડિત હતો. જે ડુક્કરના ટેપવોર્મના કારણે થનારો ચેપી રોગ છે.

આ કેસમાં ડોક્ટરે આ કારણ જણાવ્યું :

તે સામાન્ય રીતે માનવ મળથી દૂષિત ખોરાક અથવા પીવાના પાણી દ્વારા થાય છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) કહે છે: “આ ચેપ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ટેપવોર્મના ઈંડા ગળી જાય છે. લાર્વા સ્નાયુ અને મગજ જેવા પેશીઓમાં પ્રવેશ કરે છે અને ત્યાં કોથળીઓ બનાવે છે.” પુખ્ત કૃમિથી સંક્રમિત વ્યક્તિના મળમાં ટેપવોર્મના ઈંડા હોય છે. જેને ટેનિઆસિસ કહેવાય છે. જો કે આ એક અલગ રોગ છે અને તે ખરાબ રીતે રાંધેલા ડુક્કરનું માંસ ખાવાથી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે આ સ્થિતિ વિવિધ ટેપવોર્મ્સને કારણે થઈ શકે છે.

ડોક્ટરે Tweetમાં આ વાત લખી હતી :

ડો. ડિસોઝા દ્વારા Twitter થ્રેડમાં એવું કહેવામાં આવ્યું હતું કે ખરેખર ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે લખ્યું- “સિસ્ટીસર્કોસિસ ટેપવોર્મ ઈંડાના ઇન્જેક્શન દ્વારા  થાય છે  તેમણે વધુમાં સમજાવ્યું કે દર્દીના મગજમાં ગાંઠોનું સ્થાન તપાસવા માટે એમઆરઆઈ સ્કેન કરવામાં આવી રહ્યું છે.

જે સામાન્ય રીતે માથાના દુખાવાને કારણે થાય છે. થોડા વર્ષો પહેલાં એક વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો અને દૌરા પડવાની ફરિયાદ બાદ ઝેજિયાંગ પ્રાંતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે એક મહિના કરતાં વધુ સમયથી પીડામાં જીવી રહ્યો હતો.

ચેપી રોગોના વિભાગના ડો. વાંગ જિયાન-રોંગે દર્દીની તબીબી તપાસ કરી અને જાણવા મળ્યું કે તેને ટેનીયાસીસ બિમારી છે. જે ટેપવોર્મના ચેપને કારણે થતો પરોપજીવી રોગ છે. પરંતુ જ્યારે તેના મુખ્ય અવયવોનું સ્કેન કરવામાં આવ્યું ત્યારે પરિણામોએ હોસ્પિટલના સમગ્ર મેડિકલ સ્ટાફને ચોંકાવી દીધા. સ્કેનથી જાણવા મળ્યું કે આ વ્યક્તિના મગજ, છાતી અને ફેફસામાં 700 થી વધુ ટેપવોર્મ્સ હતા.

આ પણ વાંચો :-

 

હાર્ટએટેકના સંકેત આપતો બેલ્ટ, હૃદય પર દબાણ આવે તો તરત જાણ કરે છે

heart attack  

  • heart rate monitor : ગુજરાતમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદના એક જીમ સંચાલકે જીમમાં હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો. જે હાર્ટ પર થતા દબાણને માપે છે.

હાલ ગુજરાતમાં નવયુવાનોને હાર્ટએટેકથી (Heart attack) મોતના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં લોકોમાં ડર ભરાઈ ગયો છે. હૃદય (Heart) પર દબાણ વધતા લોકો એકાએક ઢળી પડે છે અને મોતને ભેટે છે. આવામાં હવે સતર્ક રહેવાની જરૂર છે. ત્યારે શરીર પર વધારે પડતુ દબાણ આપવુ નહિ. ખાસ કરીને જીમ જેવી એક્ટિવિટી પણ ઘાતક નીવડી શકે છે.

આવામાં કોઈપણ પ્રકારના દૈનિક શ્રમ કરતા લોકો માટે મહત્વની ખબર છે. હાર્ટ એટેકના કિસ્સા વધતા અમદાવાદમાં જિમ સંચાલકે હાર્ટ મોનીટરીંગ બેલ્ટનો ઉપયોગ શરૂ કર્યો છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના ઉપયોગથી હાર્ટ પર થતું દબાણ મેજર કરી શકાય છે.

જિમમાં કસરત કરતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. એવા કિસ્સાઓમાં આ બેલ્ટ ઉપયોગી સાબિત થઈ શકતું હોવાનો દાવો આ જીમ સંચાલક દ્વારા કરાયો છે. જીમ સંચાલક મૃણાલ વેદે કહ્યું કે હાર્ટ પર સ્ટ્રેસ વધતા આ બેલ્ટની મદદથી મળતું પરિણામ સંકેત આપે છે. જેના કારણે આપણને ક્યારે અટકવું. રોકાઈ જવું તેની સમજ પડે છે. બેલ્ટ છાતીના ભાગે પહેરવાથી હાર્ટ રેટ સહિત કસરત કરતા સમયે હાર્ટ પર પડતો સ્ટ્રેસ ટકાવારીમાં જોવા મળે છે. 90 ટકા કરતા વધુ હાર્ટ પર સ્ટ્રેસ પડતા જિમમાં ટ્રેનર જે તે વ્યક્તિને કસરત કરતા અટકાવે છે.

કેવી રીતે કામ કરે છે આ બેલ્ટ :

તેમણે કહ્યું કે હાર્ટ પર સ્ટ્રેસ પડે એટલે આ બેલ્ટ સંકેત આપે છે. જે ઘણી મદદરૂપ સાબિત થાય છે. કેટલાક કલર કોડના માધ્યમથી હાર્ટ પર સ્ટ્રેસનો અંદાજ પણ આવી જાય છે. 90 ટકા કરતા વધુ સ્ટ્રેસ હાર્ટ પર પડે એટલે રેડ કલરમાં બેલ્ટ રોકાઈ જવા માટે સંકેત આપે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટના સમગ્ર ડેટા એપ્લિકેશનના માધ્યમથી મોનીટરીંગ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સતત હાર્ટ એટેકના અચંબિતત કરે તેવા વધેલા કિસ્સાઓએ લોકોમાં ભય પેદા કર્યો છે. છેલ્લા ઘણા સમયથી અનેક એવા કેસો સામે આવ્યા છે. જેમાં જીમમાં કસરત સમયે ગરબા રમતા, ક્રિકેટ રમતા અથવા સ્ટેજ પર પરફોર્મન્સ કરતા લોકો અચાનક ઢળી પડે છે અને તેમના મોત નિપજે છે. જેની પાછળ હાર્ટ એટેક મુખ્ય કારણ હોય છે.

સમજદારીપૂર્ણ અથવા આડેધડ કસરત કરતા લોકો કે જેમને અંદાજો નથી હોતો કે તેમના હાર્ટ પર કેટલો સ્ટ્રેસ પડી રહ્યો છે. એવા કિસ્સામાં આ હાર્ટ મોનીટરીંગ બેલ્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાર્ટ મોનીટરીંગ બેલ્ટ વિશે વાત કરતા મૃણાલ વેદ કહે છે કે ૧૨ હજારની કિંમતનો આ બેલ્ટ અમે તમામને ખરીદવા કહીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં અમે લોકોને આપતા પણ હોઈએ છીએ.

6 મહિનામાં એકાદવાર સેલ બદલવાની જરૂર પડે છે. એક વર્ષની વોરંટી પણ આ બેલ્ટની હોય છે. માત્ર જીમમાં જ નહિ, પરંતુ બહાર પણ આ બેલ્ટ પહેરીને હાર્ટ પરના સ્ટ્રેસને નિયંત્રણમાં રાખી શકાય છે. સાયકલીંગ, સ્વિમિંગ કે રનિંગ કરતા સમયે પણ આ બેલ્ટનો ઘરે પણ ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો :-

શું તમને પણ ઈન્ટરનેશનલ નંબરોથી WhatsApp Calls આવી રહ્યા છે ? આ એક સ્કેમર્સ ટ્રેપ છે

WhatsApp Calls
  • WhatsApp : આ દિવસોમાં ઘણા વોટસએપ યુઝર્સ ઈન્ટરનેશનલ નંબરો પરથી વોટસએપ કોલ મેળવવાની વાત કરી રહ્યા છે. આ સ્કેમર્સનો એક ટ્રેપ છે. તેનાથી બચીને રહેજો.

સ્કેમ કોલ્સ (Scam calls) અને સ્પામ મેસેજ એ વૈશ્વિક સ્તરે અને ભારતમાં વધુ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ટેલિકોમ ઓપરેટરોએ તાજેતરમાં AI ફિલ્ટર સ્પામ (AI filter spam) રજૂ કર્યું છે જેથી વપરાશકર્તાઓને મળતા સ્પામ કોલ્સની સંખ્યા ઓછી થઈ શકે. જો કે સ્કેમર્સે હવે નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્કેમર્સ હવે લોકોને વોટસએપ (WhatsApp) પર કોલ કરી રહ્યા છે અને તે પણ આંતરરાષ્ટ્રીય નંબરોથી.

ઘણા વોટસએપ યુઝર્સે અજાણ્યા ઈન્ટરનેશનલ નંબર પરથી કોલ રીસીવ થવા વિશે જણાવ્યું છે. તેને વીડિયો અને વોઈસ બંને કોલ મળી રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓએ તેના વિશે ફરિયાદ નોંધાવી છે. એક વોટસએપ યુઝરે જણાવ્યું કે તેને એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો જેનો દેશ કોડ +7 હતો. એટલે કે આ કોલ રશિયા અને કઝાકિસ્તાનથી આવ્યો હોવો જોઈએ. આ દર્શાવે છે કે સ્કેમર્સ ભારત અને અન્ય દેશોમાં લોકોને નિશાન બનાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે.

લોકોને તેમની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સ વારંવાર SMS નો ઉપયોગ કરે છે. પરંતુ આ દિવસોમાં તેઓ મોટા પાયે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના રોબોકોલ્સ છે. કેટલાક સ્કેમર્સ યુઝર સાથે HR તરીકે વાત કરે છે અને લોકોને સારા પગાર સાથે નોકરીઓ ઓફર કરે છે.

ટ્વિટર યુઝર શ્રેયાંશ જૈને સ્કેમર તરફથી મળેલા વોટસએપ મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્કેમર યુઝરને નોકરીની ઓફર કરી રહ્યો છે. સ્કેમરે યુઝરને કહ્યું કે તેને યુટ્યુબ વિડિયો પર દરેક લાઈક સાથે 50 રૂપિયા અને દરરોજ 10000 રૂપિયા સુધી કમાવવાની તક મળી શકે છે. આ ઓફર સ્પષ્ટપણે એક સ્કેમ છે. આ એક ટ્રેપ છે અને જેવી તમે તેમની લિંક પર ક્લિક કરો છો. તમારો ફોન હેક થઈ જશે.

અહેવાલ મુજબ સ્કેમર્સ હવે વધુ ડિજિટલ બની ગયા છે. તેઓ સામાન્ય SMS અને લિંક્ડઈન મેસેજ માટે WhatsApp સંદેશાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. તેણે કહ્યું કે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આવા વોટસએપ કોલ અથવા મેસેજ આવે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ

0

A BJP leader was shot dead 

  • વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની સરેઆમ હત્યા, 2 બાઈક પર આવેલ અજાણ્યા શખ્સોએ કર્યો ગોળીબાર

ગુજરાતમાં ભાજપના (Gujarat BJP) એક નેતાની ગોળી મારીને હત્યા કરવામા આવી છે. વાપીમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ પર ફાયરિંગ કરાયુ હતું. વહેલી સવારે બનેલી ફાયરિંગની ઘટનામાં શૈલેષ પટેલનું (Shailesh Patel) મોત નિપજ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે બે બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના રાતા ગામે આ ઘટના બની હતી. શૈલેશ પટેલ વાપીમાં ભાજપના તાલુકા ઉપપ્રમુખ છે. પોતાના પરિવાર સાથે વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે પત્ની દર્શન કરતી હતી અને તેઓ નીચે રાહ જોતા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઉપ પ્રમુખ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અજાણ્યા શખ્સોએ તેમના પર ઘડાધડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી તેઓને ત્રણ ગોળી વાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસ દ્વારા મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે તમામ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા છે.

આ પણ વાંચો :-

સંદીપ શર્મા નહીં, સંજુ સેમસનની આ ૦૨ ભૂલ રાજસ્થાન રોયલ્સને પડી ભારે, જાણો શું

0

Not Sandeep Sharma

  • રાજસ્થાન રોયલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છેલ્લા બોલે મેચ હારી ગયું. જેમાં સંદીપ શર્માએ છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી. પરંતુ તે નો-બોલ હતો. જો કે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન પણ છે.

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) જે રીતે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે છેલ્લા બોલે મેચ હારી ગયું હતું એ કારણ આ મેચ આવનારા સમયમાં દરેકના મનમાં રહેશે. એ મેચની વાત કરીએ તો બધાને યાદ હશે કે સંદીપ શર્માએ (Sandeep Sharma) છેલ્લા બોલ પર વિકેટ લીધી હતી.

પરંતુ તે નો-બોલ હતો અને ત્યારબાદ ફ્રી-હિટ સિક્સર ફટકારી અને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવાઇ ગઈ હતી.  આ બધા વચ્ચે આ હારનું એક મોટું કારણ કેપ્ટન સંજુ સેમસન (Captain Sanju Samson) પણ છે જેને એક નહીં પરંતુ બે વખત આવી ભૂલો કરી હતી જેની ભરપાઈ ટીમે કરવી પડી હતી.

એ વાત તો નોંધનીય છે કે સંજુ સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાને IPL 2023ની મજબૂત શરૂઆત કરી હતી પણ હવે ધીરે ધીરે પકડ ગુમાવતાં જાય છે અને તેમાં સેમસનની પણ મોટી ભૂમિકા છે. આ સિઝનમાં પહેલેથી જ કેટલીક મેચોમાં તેણે આવી ભૂલો કરી હતી.

જેણે મેચનો નિર્ણય બદલી નાખ્યો હતો. જણાવી દઈએ કે 7મી મે રવિવારે જયપુરમાં હૈદરાબાદ સામે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

સંજુ સેમસનની બે ભૂલો :

સેમસને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 66 રનની ઝડપી ઈનિંગ રમી પરંતુ વિકેટકીપિંગમાં એ દિવસ તેના માટે સારો નહતો. તેણે બે વખત વિકેટ લેવાની તક ગુમાવી જેના કારણે ટીમને મોટું નુકસાન થયું. પહેલી તક 12મી ઓવરમાં મળી હતી.

આ ઓવરના પહેલા બોલ પર જ અભિષેક શર્માને રનઆઉટ થવાની તક મળી હતી. પણ સંજુએ ઉતાવળમાં બોલને પકડતા પહેલા જ સ્ટમ્પ પાડી દીધી હતી.એ બાદ વધુ 15 રન કરીને અભિષેક 55 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો :-

 

નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતું ગોડાઉન ઝડપાયું

0

After fake turmeric and cheese

  • Fake Spices : ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર ૪૩ માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો.

ગુજરાતીઓ (Gujarati) ખાવાના ભારે શોખીન હોય છે. વિકેન્ડમાં ગુજરાતીઓ હોટલમાં જમવાનું વધુ પસંદ કરે છે. સ્વાદના શોખીન ગુજરાતીઓનું હવે સ્વાસ્થય બગડે તેવા ખેલ થઈ રહ્યાં છે. તાજેતરમાં ગુજરાતમાં નકલી હળદર (Fake Turmeric) અને નકલી પનીર (Fake Cheese) બનાવવાનું કૌભાંડ પકડાયુ હતું. ત્યારે હવે નકલી લાલ મરચું બનાવવાનો કારોબાર ખુલ્લો પડયો છે. મહેસાણાના વિજાપુરમાં લાલ કલર કરીને મરચું બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે બે દિવસ રેકી કરીને ગોડાઉન પર રેડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા વિજાપુર હિંમતનગર હાઈવે પર લાલ કલર કરી મરચું બનાવતા ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિજાપુરમાં રેડ પાડી હતી. ટીમે બે દિવસની રેકી બાદ મોડી રાત્રે ઓપરેશન પાર પાડયું હતું. જેમાં ૭૫૮ કિલો કલર વાળું લાલ મરચું મળી આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે વિજાપુર હિંમતનગર હાઈવે ઉપર આવેલા ગોડાઉનમાં કાર્યવાહી કરી હતી. ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર ૪૩ માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો છે. તો કુલ ૦૫ લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો છે. ફૂડ ટેસ્ટિંગ કીટ FSW વાન દ્વારા સ્થળ પર લાલ મરચાની ચકાસણી કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી વી જે ચૌધરી સહિત ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હતી.

મરચામાં ભેળસેળ આ રીતે ઓળખો :

લાલ મરચાનો પાઉડરમાં પણ ખૂબ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાના પાઉડરને પીસીને લાલ ઈંટ અને ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે આવા સમયે આપ લાલ મરચાની ઓળખાણ માટે આપ તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે અને નકલી લાલ મરચું ડૂબી જશે.

આ પણ વાંચો :-

ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો

0

Geeta Rabari

  • Geeta Rabari Dayro : આણંદમાં ગીતા રબારી પર નોટોનો વરસાદ. ગીતા રબારીએ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર નિર્માણનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો.

ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના (Folk singer Geeta Rabari) ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં ડાયરાનુ આયોજન કરાયું હતું.

જેમાં લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. તો ગાયક કલાકાર ગીતા રબારીએ પ્રધાનમંત્રીના (Prime Minister) વખાણ કરતા કહ્યું રામ મંદિર બની રહ્યું છે તેનો શ્રેષ તેમને જાય છે. ૨૦૨૪માં મંદિર બનીને તૈયાર થઈ જશે. તો તમામ લોકોને એક વખત દર્શન માટે જવા અપીલ પણ કરી.

આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પર ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતા રબારીએ લોકગીતોની રમઝટ બોલાવી હતી. ગીતના રસિયાઓ દ્વારા ગીતા રબારી પર નોટો વરસાવવામા આવી હતી.

આ પ્રસંગે ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે ભગવાન શ્રી રામના મંદિરનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો.

આ પણ વાંચો :-

Vi યૂઝર્સ આનંદો, લોન્ચ થયો 45 રૂપિયાવાળો ગજબનો પ્લાન, 6 મહિના સુધી મળશે ઘણું બધું

Vi users rejoice

  • Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે.

Vodafone-Idea ભારતમાં ચાલી રહેલી 5G ની રેસમાં જિયો અને એરટેલથી પાછળ ચાલી રહી છે. કંપનીએ પોતાની 4જી સર્વિસને મજબૂત કરવા માટે નવી યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. જેથી કરીને હાલ 4જી યૂઝર જિયો અને એરટેલ પ્રત્યે સ્થિર રહી શકે. આ સાથે જ VI એ નવી મિસ્ડ કોલ અલર્ટ યોજના પણ શરૂ કરી છે જેથી કરીને કોઈ પણ કોલ છૂટવાની શક્યતા નહીં રહે.

Vi missed call alert plan Rs 45 :

VI એ ફક્ત 45 રૂપિયામાં એક મિસ્ડ કોલ અલર્ટ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે લગભગ 6 મહિના સુધીની છે. આ પ્લાનમાં કોલિંગ અને ડેટા સુવિધા હોતી નથી. કારણ કે આ ફક્ત મિસ્ડ કોલ અલર્ટ પર આધારિત પ્લાન છે. તેનો અર્થ છે કે જ્યારે તમે આ પ્લાનથી રિચાર્જ કરાવો છો ત્યાર તમારે રેગ્યુલર પ્લાનને પણ રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે.

આ પ્લાન એવા યૂઝર્સ માટે છે જે ઈચ્છે છે કે જ્યારે તેમનો ફોન નેટવર્ક કવરેજ બહાર હોય કે પછી કોઈ કારણસર સ્વિચ ઓફ થઈ જાય તો તેમને મિસ્ડ કોલની સૂચના મેસેજના માધ્યમથી મળતી રહે.

કેટલીક કંપનીઓ પોતાના સિલેક્ટેડ પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટ ફીચરને એડ ઓન કરે છે. જેનો અર્થ થાય છે કે તમારે આ માટે અલગથી રિચાર્જ કરાવવાની જરૂર રહેતી નથી. જો કે તેટલાક પ્લાનમાં મિસ્ડ કોલ અલર્ટની સુવિધા સામેલ હોતી નથી. આવા પ્લાનમાં તમારા મિસ્ડ કોલ અલર્ટ ફીચરવાળા પ્લાનને રિચાર્જ કરાવવાનું રહેશે.

આ પણ વાંચો :-

કેરળમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં 21 લોકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

0

Boat capsizes in Kerala, 21 dead so far

  • કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો.

કેરળના (Kerala) મલપ્પુરમ (Malappuram) જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ (Tuval Teram tourist spot) પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ  જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.

ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ આ ઉપરાંત સોમવારે સવારે ૬ વાગ્યાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા.

સીએમએ જતાવ્યું દુ:ખ :

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર રવિવારે શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુ:ખદ મોતથી ઊંડુ દુ:ખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

આ પણ વાંચો :-

Video Viral : નદીમાં તરતા દેખાયા ચલણી નોટોના ઢગલાબંધ બંડલ ! પૈસા લેવા નદીમાં કુદવા લાગ્યા લોકો

0

Video Viral

  • નદીમાં ચલણી નોટોના બંડલો તરતા હોવાની વાતે જોર પકડયું છે. એટલું જ નહીં આ પ્રકારનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. હાલ આની તપાસ થઈ રહી છે.

બિહારના (Bihar) સાસારામના મુફસ્સિલ થાના ક્ષેત્રમાં નદીમાં કથિત રીતે મોટી માત્રામાં ચલણી નોટો તરતી જોવા મળી હોવાની ખબર સામે આવી. એટલું જ નહીં આ ચલણી નોટોને (Currency Notes) શોધવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાનું પણ સાને આવ્યું.

આસપાસના લોકો પાણીમાં ઉતરીને નોટો શોધતા હતાં. આ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો પણ નદીમાં કુદી રહ્યાં હતાં. ખાસ કરીને નદીમાં 10 અને 100ની નોટોના બંડલ પડયાં હોવાની વાત ચર્ચામાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાને લઈને પોલીસનું કહેવું છે કે આ એક અફવાહ પણ હોઈ શકે છે. જોકે તપાસ બાદ જ સત્ય શું છે એ બહાર આવશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિવિધ પાસાઓને સાંકળીને તપાસ કરી રહી છે.

જો કે એક વાત તો છે કે નદીમાં નોટોના બંડલો તરતા હોવાની વાત વહેતી જતા લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ અત્યાર સુધી લાખો લોકોએ આ ખબર અંગે ચર્ચા કરી.

આ પણ વાંચો :-