ના મૂર્તિ, ના ફોટો, આ સ્થળે કોને ચઢે છે પાણીનો પ્રસાદ ? જાણો મિનરલ મંદિરની કહાની

Share this story
  • સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ.

શ્રદ્ધા હોય ત્યાં પથ્થર પણ ભગવાન થઈને પુજાતા હોય છે. દેશ અને દુનિયાભરમાં આવા અનેક ઉદાહરણો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા પણ અનેકવિધ એવા મંદિરો છે જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે લોકોની મનોકામના પુરી થતી હોય છે.

ત્યારે લોકો ભગવાન કે માતાજીને ભાવતો પ્રસાદ ધરવીને તેમની આરાધના કરતા હોય છે. માનતા પુરી કરતા હોય છે. શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જ્યાં બીજી કોઈ વસ્તુ નહીં પણ ચઢે છે પાણીની પ્રસાદી. જીહાં એ પણ સામાન્ય પાણી નહીં આ મંદિરે ચઢાવવામાં આવે છે મિનરલ વોટર.

સ્થાનિકોની એવી માન્યતા છે કે અહીં મિનરલ વોટર ચઢાવવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ ! આ મંદિર આવેલું છે રાજ્યના પાટણ જિલ્લામાં. મહત્ત્વનું છે કે ગુજરાતમાં અનેક એવા શ્રદ્ધાવાળા સ્થળો છે કે જ્યાં વિશિષ્ટ પ્રકારની ખાસિયતો ધરાવે છે અને આસ્થા તેમજ  શ્રદ્ધા હોય ત્યાં સૌ કોઈ નમસ્તક થાય છે. પાટણ જિલ્લામાં પણ આવુ જ એક સ્થળ છે, જ્યાં નથી કોઈ ભગવાન કે નથી દેવી દેવતાનો ફોટો.

છતાં પણ સમગ્ર રાજ્યના અનેક લોકો અહીં શ્રદ્ધાથી આવે છે.. માનતા માને છે અને માનતા પુરી થયા બાદ અહીં પ્રસાદી ચઢાવીને જાય છે. પરંતુ અહીંયા જે માનતા માં પ્રસાદી ચઢાવવામાં આવે છે તેમાં પેડા કે અન્ય મીઠાઈ નહીં પણ અહીં મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલોને પ્રસાદી તરીકે ચઢાવવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ. જોતજોતામાં આસ્થાનું અને માનતાનું પવિત્ર સ્થળ બની ગયું.

વર્ષો પહેલા ચાણસ્મા-મોઢેરા હાઈ-વેના આ સ્થળ પર ખતરનાક અકસ્માત થયો હતો અને જે અકસ્માતમાં બાળકો સ્થળ પર જ પાણી પાણીની ચીસો પાડતા રહ્યા અને તેમનું મોત થઇ ગયું. પાણી ના મળવાના કારણે તડપીને થયેલ મોત બાદ સૌ કોઈ લોકોને મનમાં જે એક્સિડન્ટની ઘટનામાં બાળકોનું મોત થયું હતું. તેમના પ્રત્યે સહાનુભૂતિ સ્રજાયી અને ત્યારથી આજદિન સુધી અહીંયા મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલો અહીંયા ચઢાવવામાં આવે છે. અહીં માત્ર ઈંટોની ગોખ બનાવી તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે. જે આજે આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે.

સમય ધીરે ધીરે આગળ વધતો રહ્યો અને એક્સિડન્ટ થયેલ ગોજારી જગ્યા આસ્થાના સ્વરૂપે પ્રખ્યાત થવા લાગી. જેમના કામ ના થતા હોય તેવા અનેક લોકો આ જગ્યા પર આવીને શ્રદ્ધાથી માનતા માનવા લાગ્યા અને માનતા પુરી થયા બાદ પ્રસાદી તરીકે મિનરલ વોટર ચઢાવવા લાગ્યા. આજે પણ અહીંયા એક ઝાડ નીચે થોડીક ઈંટો મૂકીને શ્રદ્ધાળુઓ માનતા પુરી થયા બાદ અહીંયા દીવો કરે છે પગે પડે છે અને બાધા છોડે છે .

અલગ અલગ ધર્મ અને અલગ અલગ દેવી દેવતાઓને શ્રદ્ધાથી પેડા, શ્રીફળ કે મીઠાઈ ચઢાવવામાં આવતી હોય છે. પરંતુ પાટણ જિલ્લાનું ચાણસ્મા-મોઢેરા હાઈવે પર વર્ષો પહેલા થયેલ અકસ્માત બાદ મિનરલ વોટર ચઢાવીને માનતાઓ પુરી કરવામાં આવે છે. એ શ્રદ્ધા અલગ જ આસ્થા ધરાવે છે.

આ પણ વાંચો :-