New Parliament Building : મધ્ય પ્રદેશના આ મંદિરની ડિઝાઈન પરથી તૈયાર કરાયું છે નવું સંસદ ભવન, જુઓ તસવીરો

Share this story

New Parliament Building 

  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલી ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેમાં મધ્યપ્રદેશના એક મંદિરની ઝલક જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રોજેક્ટની ડિઝાઈન વિદિશાના વિજય મંદિરને જોઈને કરવામાં આવી છે.

નવા સંસદ ભવનનું નિર્માણ મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) આવેલાં પ્રસિદ્ધ મંદિર પરથી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના મુરૈના ચૌસઠ યોગિની મંદિરની (Chausat Yogini Temple) આબેહૂબ ડિઝાઈન અને તેની તર્જ પર જ સંસદ ભવનનું નિર્માણ કરાયું છે.આ મંદિર મધ્યપ્રદેશના (Madhya Pradesh) વિદિશામાં આવેલું છે. ઈતિહાસકારોના મતે વિજય મંદિરની (Victory Temple) ગણના દેશના સૌથી મોટા મંદિરોમાં થાય છે. આક્રમણકારો દ્વારા તેને ઘણી વખત લૂંટવામાં આવી છે.

વિજય મંદિરના ઊંચા પાયાને જોતા તેનું કદ અને સંસદનો આકાર સમાન છે. અહીં તમે નવી સંસદ ભવનનો પ્રોજેક્ટ અને મંદિરની તસવીર જોઈને ખ્યાલ મેળવી શકો છો.

વિજય મંદિર અનેક વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ ચૂક્યું છે. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે. પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. જે મસ્જિદના રૂપમાં બનાવવામાં આવ્યા હતા.

વિજય મંદિર અનેક વખત તોડવામાં આવ્યું છે અને લૂંટાઈ ચૂક્યું છે. આ મંદિર મોહમ્મદ ઘોરીના ગુલામ અલ્તમશથી લઈને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકોનો શિકાર બન્યું છે. પરંતુ તેનું નિર્માણ પણ વારંવાર થયું હતું. વિજય મંદિરની પાછળ ચાર મિનારા દેખાય છે. જે મસ્જિદના રૂપમાં બનાવવામાં આવ્યા હતા.

મંદિરનું વિજય મંદિર નિર્માણ ચાલુક્યવંશી રાજાએ વિદિશા વિજયને સ્થાયી બનાવવા માટે અહીં ભેલીસ્વામીન (સૂર્ય)નું મંદિર બનાવ્યું હતું. ૧૦મી અને ૧૧મી સદીમાં પરમાર કાળ દરમિયાન પરમાર રાજાઓ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મુઘલ શાસક ઔરંગઝેબે આ મંદિરને તોડી પાડ્યું હતું. આ પછી મઠ રાજાઓએ તેનું નિર્માણ કરાવ્યું હતું.

દેશની વર્તમાન સંસદની ઈમારતની ડિઝાઈન પણ મધ્યપ્રદેશના મોરેનામાં આવેલા ચૌસથ યોગિની મંદિર જેવી જ છે. જેનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે નવા સંસદ ભવનનું નિર્માણ પણ મધ્યપ્રદેશના વિજય મંદિર જેવું જ છે. એટલે કે ભારતની સૌથી શક્તિશાળી ઈમારતનો ઈતિહાસ આઝાદી પહેલા મધ્યપ્રદેશ સાથે જોડાયેલો છે અને આગળ પણ જોડાયેલ રહેશે.

આ પણ વાંચો :-