નવસારી : પરિવારે બાથરૂમનો દરવાજો નહીં ખૂલતાં દરવાજો તોડ્યો અને અંદર જોયું તો…

Share this story
  • નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

નવસારીમાં એક ૧૯ વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધાની ઘટના બની છે. આ યુવતીએ ૧૯ વર્ષની નાની ઉંમરે પોતાનો જીવ ટુંકાવ્યાની ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવતીના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નવસારીના ગણદેવી રોડ પર આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષની યુવતી ભૂમિકા ચૌધરીએ પોતાના ઘરે આપઘાત કરવા જેવું ગંભીર પગલું લીધું હતું. તેણે પોતાના ઘરના બાથરૂમમાં આપઘાત કરી લીધો હતો. જોકે પરિવાર આ ઘટનાથી અજાણ હતો.

અડધા કલાકથી વધુ સમય સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતાં દરવાજો ન ખૂલતાં પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. બનાવની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.

મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે. પી.એમ. રિપોર્ટ આવ્યા પછી પરિવારને અંતિમ વિધિ માટે સોંપવામાં આવશે. ચૌધરી પરિવારની ચાર બહેનોમાં સૌથી નાની ભૂમિકા ચૌધરીએ આપઘાત કરવાનું કારણ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-