HomeSurat Cityસુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

સુરતમાં રખડતાં શ્વાનનો આતંક એક જ દિવસમાં ૧૦થી વધુને ભર્યા બચકાં

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક ૧૦ જેટલા લોકો એનો ભોગ બન્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી ૧૦ જેટલા લોકો રસી મુકાવવા માટે આવ્યા હતા. આ સાથે અન્ય ડોઝ લેવા પણ લોકો આવતાં રસી લેવા લાઈન લાગી ગઈ હતી. બાળકથી લઈ આધેડ વયના લોકોને રખડતા કૂતરાઓએ બચકાં ભર્યાં છે, જ્યારે એક કિશોરને કૂતરાએ બચકું ભર્યું તો તેની માતા તેને સિવિલ લાવી હતી અને અહીં રડી પડી હતી.

પાંડેસરા વિસ્તારમાં માતા સાથે નીકળેલા ૧૦ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. પગની પીંડિના ભાગે બચકું ભરી લેતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જો કે, શ્વાનના વધતાં જતાં હુમલાને લઈને સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

પાંડેસરા વિસ્તારમાં હવે શ્વાનનો આતંક સામે આવ્યો છે. ૧૪ વર્ષીય ગણેશ કહારને શ્વાન કરડ્યું હતું. ગણેશ કહાર ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ગણેશ કહાર સવારે સબંધીના ઘરે માતા સાથે જઇ રહ્યું હતું. તે સમયે શ્વાને બચકાં ભર્યાં હતાં. જેથી માતા અને બાળક ડરી ગયાં હતાં. જેથી તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. જ્યાં બાળકની સારવાર તબીબોએ કરી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img