ઈઝરાયેલની સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહી છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદી હુમલાની વરસી પર ઈઝરાયેલે બેરૂતમાં મોટા હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ માટે જવાબદાર સુહેલ હુસૈની હુમલામાં માર્યા ગયા હતા. હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી આધુનિક શસ્ત્રો સપ્લાય કરવામાં અને પછી તેને વિવિધ હિઝબુલ્લાહ એકમોને પહોંચાડવામાં સામેલ હતો. હુસૈની જૂથની લશ્કરી પરિષદના સભ્ય હતા. ઇઝરાયલે તાજેતરના સપ્તાહોમાં હુમલા કરીને હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરાલ્લાહ સહિત ઘણા ટોચના કમાન્ડરોને મારી નાખ્યા છે.
અત્રે એ પણ જણાવી દઈએ કે અત્યાર સુધી કરવામાં આવેલા હુમલાઓમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ઈઝરાયેલી સેનાએ એમ પણ કહ્યું છે કે તે લેબનોનના દક્ષિણી કિનારે ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. ઈઝરાયેલની સેનાએ ભૂમધ્ય સમુદ્રના 60 કિલોમીટર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ અને માછીમારોને બીચથી દૂર રહેવાની ચેતવણી આપી છે. સેનાના નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયા પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવશે.
IDF અનુસાર આ હુમલાઓ પાછળનો હેતુ હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવાનો હતો. તેમજ ઈઝરાયલે આ હુમલા હિઝબુલ્લાહની કમાન્ડ અને કંટ્રોલ અને ફાયરિંગ ક્ષમતાઓને નષ્ટ કરવા માટે કર્યા હોવાની IDF જાણકારી આપી હતી. તેમજ આ હવાઈ હુમલાઓ ઈઝરાયલના ગ્રાઉન્ડ ઓપરેશનમાં સામેલ સૈનિકોને તેમના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-