સ્માર્ટ ફોન સાથે આ 5 ભૂલો કરશો તો બોમ્બની જેમ ફાટશે મોબાઈલ, ક્યારેય ના કરતા આ ભૂલો

Share this story

If you do these 5 mistakes with the smart phone

  • સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે.

સ્માર્ટ ફોનમાં (smart phone) આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં (Mobile battery) આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની બેટરીમાં આગ (Fire) લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે.

પહેલું કારણ છે ઓવરહીટિંગ

સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે. વધુ ગરમી પકડી લેતા બેટરી સેલ્સ અનસ્ટેબલ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે આગ લાગી શકે છે.

બીજું કારણ થર્ડ પાર્ટી ચાર્જર –

હંમેશા પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી આપના સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને વધુ ગરમ કરી શકે છે અને બેટરીમાં શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે.

ત્રીજું કારણ વધુ પડતો વપરાશ –

સ્માર્ટ ફોનનો રફ યૂઝ ન માત્ર મોબાઈલની બોડી પરંતુ બેટરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડેમેજ બેટરીના મેકેનિકલ કે કેમિકલ કેન્પોનેન્ટસને હેમ્પર કરી શકે છે. અસંતુલનથી શોર્ટ સર્કિટ, ઓવરહિટીંગ અને અન્ય કારણ થઈ શકે છે જેનાથી સ્માર્ટફોનમાં વિસ્ફોટ થઈ શકે છે કે આગ લાગી શકે છે.

આ પણ વાંચો :-