HomeHealth & Fitnessમાત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ...

માત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ 4 Tips કરશે જાદુ જેવું કામ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

Spend only 10 rupees and get permanent freedom

  • વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે. તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ.

કદાચ જ એવું કોઈ ઘર હોય જ્યાં વંદાની સમસ્યા (Cockroaches) ન હોય. જેથી વંદા એવા હોય છે જે રસોડા સહિત આખા ઘરમાં ફરતા રહે છે અને સરળતાથી પીછો છોડતા નથી. રસોડામાં (Kitchen) રાખેલી વસ્તુઓની પણ વંદા ખરાબ કરી નાખે છે. વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે.

તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ. તો આજે તમને વંદાને ઘરમાંથી ભગાડવાના સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વંદા તમારું ઘર છોડીને ભાગી જશે.

તમાલપત્રનો કરો ઉપયોગ :

રસોડામાંથી વંદાને ભગાડવા હોય તો બેથી ત્રણ તમાલપત્ર લઈને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરને એવી જગ્યા પર મૂકવો જ્યાંથી વાંદા નીકળતા હોય. તમાલ પત્રની તીવ્ર સુગંધ વંદા સહન કરી શકતા નથી અને ત્યાં આવતા નથી.

કેરોસીન :

ઘરમાંથી વંદાને ભગાડવા હોય તો કેરોસીન નો ઉપયોગ પણ કરી શકાય છે. કેરોસીનને એક સ્પ્રે ની બોટલમાં ભરીને એ બધી જ જગ્યા ઉપર સ્પ્રે કરી દો જ્યાં વાંદા આવતા હોય. કેરોસીન છાંટ્યા પછી વંદા ત્યાંથી છુંમંતર થઈ જશે.

બેકિંગ સોડા ભગાડશે વંદા :

રસોડામાંથી વંદા ભગાડવા માટે બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે. તેના માટે બેકિંગ સોડામાં થોડી ખાંડ ઉમેરીને આ મિશ્રણને વંદા નીકળતા હોય તે જગ્યા પાસે છાંટી દો. આ મિશ્રણ લગાવ્યા પછી વંદા ક્યારે નીકળશે નહીં.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img