HomeNationalઅક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ચારધામ યાત્રા શરૂ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા

અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ચારધામ યાત્રા શરૂ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો કેદાર નગરી પહોંચી ગયા છે. આ દરમિયાન કેદાર શહેર જય કેદારના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખૂલશે. જ્યારે બદ્રીનાથ મંદિરમાં ૧૨ મેથી દર્શન શરૂ થશે.

VIDEO : આજથી ચાર ધામ યાત્રા શરુ, હર હર મહાદેવના નાદ સાથે કેદારનાથ ધામના ખુલ્યા કપાટકપાટ ખોલ્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કેદારનાથ ધામમાં પ્રાર્થના કરી અને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ બાબા કેદારના દર્શન કરવા આવેલા ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ ૧૨મી મેના રોજ ખુલશે.

બદ્રીનાથને ચાર ધામોમાંથી એક મુખ્ય ધામ ગણવામાં આવે છે. તે હિમાલયની પર્વતમાળામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ મુખ્યત્વે ભગવાન વિષ્ણુનું મંદિર છે. અહીં નર અને નારાયણની પૂજા થાય છે. આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે – ગર્ભગૃહ, દર્શન મંડપ અને સભા મંડપ. બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ પ્રતિમાઓ છે, જેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન વિષ્ણુની પ્રતિમા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img