સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ટ્રેનો પર પડી અસર, જાણો કેટલી ટ્રેનો થઈ રદ્દ

Share this story
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે વરસાદને લઈ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહનવ્યવહાર અને રેલવે તંત્ર પર પણ ભારે અસર પડી છે. પશ્ચિમ રેલવે પર ભારે અસર પડી છે. જેને કારણે ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મીટરગેજ વિભાગમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો તા.૧૯.૦૭.૨૦૨૩ના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. અને કેટલીક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો :

ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)

રાજ્યમાં વરસાદને લઈ આટલા રસ્તાઓ બંધ  ;

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ ૬૫ રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૫૨ રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઈવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઈવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઈવે બંધ થયા છે.

રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે ૬ NDRFની ટીમ મોકલવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRFની ટીમ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-