આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય! વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Share this story

દેશમાં ગટરની સફાઈ દરમિયાન મૃત્યુની ઘટનાઓને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૩૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે ગટર સાફ કરતી વખતે કાયમી અપંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ.૨૦ લાખ ચૂકવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.

સફાઈ કામદાર અન્ય વિકલાંગતાથી પીડિત હોય તો અધિકારીઓએ ૧૦ લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી સૂચનાઓ જારી કરી હતી, જેને વાંચવામાં આવી ન હતી. બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માટે સરકારી એજન્સીઓએ સંકલન કરવું જોઈએ અને વધુમાં હાઈકોર્ટને ગટર મૃત્યુ સંબંધિત કેસોની દેખરેખ કરતા અટકાવવી જોઈએ નહી. ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા ૩૪૭ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં 40 ટકા મૃત્યુ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયા છે.

એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. ગયા વર્ષે ગટરની અંદર મૃત્યુ પામેલા બે લોકોના પરિવારો પ્રત્યે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના સંપૂર્ણપણે અસંવેદનશીલ વલણ પર ખેદ વ્યક્ત કરતા દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, શરમથી મારુ માથું ઝુકી ગયું છું. હાઈકોર્ટ તેના ૬ ઓક્ટોબર, ૨૦૨૨ના આદેશનું પાલન ન કરવા બદલ ગુસ્સે થઈ હતી. તે આદેશમાં ડીડીએને મૃતકોના પરિવારોને વળતર તરીકે ૧૦-૧૦ લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-