અંબાલાલ પટેલનું મોટું અનુમાન, આ તારીખ પછી રાજ્યની કેટલીક નદીઓમાં થશે પૂર જેવી

Share this story

Ambalal Patel’s big prediction 

  • અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટક્યું હતું. ભારે પવન અને વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણું નુકસાન થયું છે. હવે બિપોરજોય વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે હવે પવનની ગતિ ઘટી છે.

ગુજરાત (Gujarat) બાદ બિપોરજોય વાવાઝોડની અસર હવે ઉત્તર ભારતમાં જોવા મળશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું મોટું અનુમાન સામે આવ્યું છે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. વાવાઝોડા બાદ હવે ચોમાસું ગતિ પકડવાની પણ તેમણે આગાહી કરી છે.

સાથે જ તેમણે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ થવાનું જણાવ્યું છે. ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ જેટલું મોડું બેસવાનું અનુમાન પણ વ્યક્ત કર્યું છે. 25થી 27 તારીખે ગુજરાતમાં ચોમાસું બેસશે.

27થી 30 તારીખે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલે ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ થવાની આગાહી પણ કરી છે. રાજ્યની દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવશે અને પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.

આ પણ વાંચો :-