એશિયા કપથી આવ્યા મોટા ખબર, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ…

Share this story

Big news from Asia Cup 

  • એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખબર એશિયા કપ અંગે જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરાઈ છે.

ભારત – પાકિસ્તાન મેચ રદ્દ થઈ :

હોંગકોંગમાં (Hong Kong) ચાલી રહેલા વિમેન એમર્જિંગ એશિયા કપથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરાઈ છે. આ મેચ શનિવારે 17 જૂનના રોજ બપોરે 1.30 વાગે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને મેચ રદ્દ કરવી પડી. બીસીસીઆઈ વિમેને પોતે આ અંગે ટવીટ કરીને જાણકારી આપી.

સેમીફાઈનલમાં પહોંચી ટીમ :

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક જ મેચ રમી છે. જ્યારે બે મેચ વરસાદના કારણે રમાઈ નથી. મેજબાન હોંગકોંગ વિરુદધ રમાયેલી પહેલી મેચમાં ભારતે 9 વિકેટથી જીત મેળવીને ટુર્નામેન્ટમાં જીતથી શરૂઆત કરી હતી. ત્યારબાદ નેપાળ અને હવે પાકિસ્તાન સામે રમાનારી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. અત્રે જણાવવાનું કે આ છેલ્લી લીગ સ્ટેજ મેચ હતી. ટીમ ઈન્ડિયાએ 4 અંક સાથે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

આ ટીમો વચ્ચે ખિતાબ જીતવા માટે જંગ :

આ ટુર્નામેન્ટની ખિતાબી મેચ 21 જૂનના રોજ રમાશે. ગ્રુપ એ માં ભારત અને પાકિસ્તાનની ટીમ ટોપ-2માં છે. જ્યારે ગ્રુપ-2માં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ ટોપ-2નમાં જગ્યા બનાવી છે. હવે ભારતનો મુકાબલો સેમીફાઈનલમાં ગ્રુપ-બીની બીજા નંબરની ટીમ શ્રીલંકા સાથે થશે.

જ્યારે પાકિસ્તાન ગ્રુપ-બીની નંબર 1 ટીમ બાંગ્લાદેશ સામે રમશે. આ બંને મેચમાંથી જે ટીમો જીતશે તે ફાઈનલમાં આમને સામને ટકરાશે. આવામાં ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો :-