રોહિત શર્માની નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનશે આ ખતરનાક ખેલાડી !

Share this story

After the retirement

  • રોહિત શર્મા પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા 2023 વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે કે નહીં.

રોહિત શર્મા (Rohit Sharma) પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે હવે બહુ ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતમાં રમાનારા 2023 વર્લ્ડ કપ બાદ કોઈને ખબર નથી કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન રહેશે કે નહીં. રોહિત શર્માની ઉંમર હવે 36 વર્ષ થઈ ગઈ છે. 36 વર્ષના રોહિત શર્મા માટે હવે લાંબા સમય સુધી ભારતની કેપ્ટનશીપ સંભાળવી શક્ય નહીં રહે.

2023 વનડે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમને નવા કેપ્ટનની શોધ રહેશે. 36 વર્ષના રોહિત શર્મા હવે વધુ દિવસ માટે ભારતના કેપ્ટન રહી શકશે નહીં. અત્રે જણાવવાનું કે એક એવો ખેલાડી છે જે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાનો કાયમી ટેસ્ટ વનડે અને ટી20 કેપ્ટન બની શકે છે. મેદાન પર આ ખેલાડીનો ખુબ જ આક્રમક અંદાજ છે.

કાયમી કેપ્ટન બની શકે છે આ ખેલાડી :

ઋષભ પંત ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઋષભ પંતે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ કારણ છે કે તેનું ત્રણેય ફોર્મેટમાં જગ્યા પાક્કી થયેલી છે. ઋષભ પંત પાસે એક સ્માર્ટ દિમાગ છે. પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણ પણ રહેલા છે.

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પંતે શાનદાર કામ કરેલું છે. ઋષભ પંત હાલ એક્સિડન્ટમાં ઘાયલ થવાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. પરંતુ તેઓ જલદી ટીમ ઈન્ડિયામાં પાછા ફરી શકે છે.

કેપ્ટનશીપમાં ખુબ ચતુર :

ઋષભ પંત આવનારા સમયમાં ભારતના ટોપ કેપ્ટનોમાંથી એક હોઈ શકે છે. ઋષભ પંત શીખવામાં ખુબ ચતુર છે. પંતમાં એ ચિંગારી જોવા મળે છે જે આગળ જઈને એક ધધગતી આગ બની શકે છે. પંતની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરેલું છે. ઋષભ પંતમાં એક ચિંગારી છે જેને જો નેચરલ રીતે આગળ વધવા દેવાય તો તે એક આગ બની શકે છે.

પંતની એક પોતાની જ સ્ટાઈલ છે અને તેઓ યુનિક બ્રાન્ડની ક્રિકેટ રમે છે. ઋષભ પંતની બેટિંગથી ખુબ એન્ટરટેઈનમેન્ટ થાય છે. દરેક કંડિશનમાં આ યુવા બેટરનો જલવો જોવા મળતો હોય છે. વિકેટકિપિંગમાં પણ ઋષભ પંતનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. પંતની બેટિંગની સ્ટાઈલ પણ ખુબ આક્રમક છે. પંતથી બેસ્ટ કઢાવવાનો એક જ રસ્તો છે કે તેમને એ કરવા દેવામાં આવે જે તેઓ કરવા માંગે છે.

આ પણ વાંચો :-