HomeNationalસુરત-ઇન્દોર બાદ પુરીમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, જાણો આ છે કારણ...

સુરત-ઇન્દોર બાદ પુરીમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, જાણો આ છે કારણ ?

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

સુરતઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી. પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. તમને જણાવી દઈએ કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.

Imageઓડિશા ટીવીના અહેવાલ મુજબ, કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ ફંડ ન મળવાની પોતાની સમસ્યા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું ચૂંટણી અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ભંડોળ આપવાનો ઇનકાર કર્યો છે. AICC ઓડિશાના પ્રભારી ડૉ. અજોય કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે હું પ્રચારની તમામની જવાબદારી ઉઠાવીશ

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં આપણું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને કહ્યું તો તેમણે કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.

કોંગ્રેસના ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું પોતાના દમ પર પૈસા ભેગા કરી શકી નહતી, માટે મે તમામ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખખડાવ્યા અને પુરી સંસદીય બેઠક પર ચૂંટણી કેમ્પેઇન માટે જરૂરી ફંડ આપવાનો આગ્રહ કર્યો હતો પણ મને કોઇ સહયોગ મળ્યો નહતો. સુચારિતાએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે માત્ર ફંડની કમી અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img