Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ શહેરમાં બે દિવસ રહેશે વીજકાપ

Share this story

Gujarat

  • ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે ભાવનગરમાં (Bhavnagar) આજે અને આવતીકાલે વીજકાપ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.

આજે સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી ૬૬-કે.વી હડદડમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિહોર પંથકમાં આવતા ધાંધળી-૩માં આવતા ગામોમાં અને સીટી નજીક આવેલ સિદસર સબ સ્ટેશન હેઠળ આવતા ગામોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

તો આવતીકાલે સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી રતનપર સબ સ્ટેશનમાં આવતા ગામડામાં વીજ કાપ રહેશે. એક તરફ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે ૪૨ ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય છે ત્યારે આવા સમયે વીજ કાપ કરવામાં આવતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. બે દિવસ માટે વીજ કાપ જાહેર કરતા ગ્રામ્ય પંથકમાં ૫૦ હજારથી વધુ ઘરોમાં અસર થશે.

આ પણ વાંચો :-