- ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો હતો.
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો હતો. ઘટનાને પહલે ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. જોકે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી જેના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
ખાસ વાત છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં જર્જરિત ઈમારતોના માલિકોને મકાન ખાલી કરીને ઉતારી લેવા નોટિસ અપાય છે. પરંતુ નોટિસ આપ્યા બાદ પોતાની જવાબદારૂ પૂર્ણ થઈ ગઈ હોવાનું માનીને તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જો વાતને ગંભીરતાથી લઈને બિલ્ડિંગ ખાલી કરાવે તો આ પ્રકારની દુર્ઘટના થતા અટકાવી શકાઈ હોત.
આ પણ વાંચો :-