હિમાચલ પ્રદેશમાં વધુ એક આફત આવી છે. આભ ફાટ્યાની ઘટના બાદ ભૂસ્ખલન થયું હતું. જેના બાદ હવે આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી અનુસાર લાહોલ સ્પીતિમાં ધરતીકંપ આવતા પહેલાથી જ તકલીફ સહન કરી રહેલા લોકો વધુ ડરી ગયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા 3.2 મપાઈ હતી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર આ ભૂકંપ 5 કિલોમીટર ઊંડે મપાયું હતું. જોકે અહેવાલ લખવા સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છેકે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે 7 લોકોના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 50 લોકો ગુમ થયા છે. વાદળ ફાટ્યા પછી, ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બચાવ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચવું એક મોટો પડકાર છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોનો સામનો કરી રહેલા હિમાચલ પ્રદેશમાં હવે ભૂકંપના આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
આ પણ વાંચો :-