ગુજરાત સરકારે બોર્ડ નિગમના કર્મચારીઓના પેન્શનમાં વધારો કર્યો

Share this story

 દિવાળીના તહેવારો વાદ હવે બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જોકે કર્મચારીઓએ પેન્શન વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે.

રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૨૧-૦૩-૨૦૨૦નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન ૧૦૦ ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

આ પણ વાંચો :-