Thursday, Jul 30, 2026

‘રામાયણ’નો ધમાકેદાર ટ્રેલર રિલીઝ: શ્રીરામ તરીકે રણબીર કપૂરે જીત્યું દિલ, રાવણના રોલમાં યશનો ખૂંખાર અવતાર છવાયો

2 Min Read

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નો ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયો છે. ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, શક્તિશાળી બેકગ્રાઉન્ડ સ્કોર અને કલાકારોના અભિનયને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામના પાત્રમાં શાંત, સૌમ્ય અને પ્રભાવશાળી અંદાજમાં જોવા મળે છે. જ્યારે યશ રાવણના પાત્રમાં પોતાના ખૂંખાર અને શક્તિશાળી લુકથી સમગ્ર લાઇમલાઇટ ચોરી લે છે. સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં ખૂબ જ સુંદર અને અસરકારક લાગી રહી છે.

ટ્રેલરની શરૂઆત રાવણના શક્તિશાળી સંવાદથી થાય છે, જેમાં તે પોતાને ત્રણેય લોકનો સ્વામી ગણાવે છે. રાવણના અત્યાચાર વધતા ભગવાન વિષ્ણુ શ્રીરામ તરીકે અવતાર ધારણ કરે છે અને અધર્મના અંત માટે ધર્મયુદ્ધની શરૂઆત થાય છે. ત્યારબાદ શ્રીરામનું બાળપણ, માતા સીતાસાથેનું લગ્ન, 14 વર્ષનો વનવાસ અને અંતે સીતાહરણ બાદ લંકા સામેના મહાયુદ્ધની ઝલક દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને કાજલ અગ્રવાલ મંદોદરીના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત સની દેઓલ, રકુલ પ્રીત સિંહ અને અરુણ ગોવિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ બની રહેલી ‘રામાયણ’ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ આ વર્ષની દિવાળી પર સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થશે. મીડિયા અહેવાલો મુજબ, બંને ભાગનો અંદાજિત બજેટ લગભગ ₹4,000 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

Share This Article