HomeGujaratચૂંટણી પહેલા આપમાં ડખો, વેજલપુર બેઠકના ઉમેદવાર સામે ઉભો થયો વિવાદ

ચૂંટણી પહેલા આપમાં ડખો, વેજલપુર બેઠકના ઉમેદવાર સામે ઉભો થયો વિવાદ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

Before the elections, a controversy

  • ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ

એક તરફ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે, અને બીજી તરફ ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો શરૂ થયો. અમદાવાદ શહેર ઉપપ્રમુખે ખુલ્લેઆમ પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે.

વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલના નામની જાહેરાતને લઈને શાકિર શેખે વિરોધ દર્શાવ્યો. સાથે જ તેમણે રાજીનામુ આપવાની પણ ચીમકી આપી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 29 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ ઉર્ફે ભોળાભાઈ પટેલને ટિકિટ આપી છે.

ત્યારે કલ્પેશ પટેલની ટિકિટને લઈને અમદાવાદ શહેર ઉપપ્રમુખ શાકિર શેખે વિરોધ દર્શાવ્યો છે. તેમણે કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યું. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકોને ટીકીટ આપવાની વાત કરતી પાર્ટીએ આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. હું વર્ષ 2015 થી આપ માટે અહીંયા કામ કરી રહ્યો છું. જ્યારે કલ્પેશ પટેલ તો આ બેઠકના રહેવાસી પણ નથી.

અમદાવાદમાં જિગ્નેશ મેવાણી બચી ગયા : જાહેર મંચ પર હુમલો થતો રહી ગયો, એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો | Gujarat Guardian

તેઓ પૈસાદાર છે એટલે તેઓને ટીકીટ આપવામાં આવી છે. રૂપિયાના જોરે તેઓએ ટીકીટ મેળવી છે. મેં મારી રજૂઆત પાર્ટીમાં કરી છે પણ કોઈએ વાત સાંભળી નથી. અરવિંદ કેજરીવાલ આમાં હસ્તક્ષેપ કરે, અન્યથા હું મારા સેંકડો સમર્થકો સાથે આપમાંથી રાજીનામું આપીશ.

તો બીજી તરફ અમરેલી બગસરા તાલુકા પંચાયતના 2 સદસ્ય તેમજ 1 કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ત્રણ સભ્યોને ખેસ પહેરાવીને ત્રણેયને આવકાર્યા હતા. ત્રણ સદસ્યો કોંગ્રેસ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

કોણ કોણ ભાજપમાં જોડાયું :

  • બાબુભાઈ શામજીભાઈ બકરાણી, ગ્રામ પંચાયત સદસ્ય (હડાળા)
  • નાગજીભાઈ છગનભાઈ સિદ્ધપુરા – ગ્રામ પંચાયત સદસ્ય – નવી હળીયાદ
  • ગોપાલભાઈ બકરાણી – કોંગ્રેસ આગેવાન

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img