અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદર સ્વર્ગ જેવી થાય છે અનુભૂતિ

Share this story
  • અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ૮મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ગુજરાત ગાર્ડિયન પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ૧૨ વર્ષોમાં સમગ્ર યુએસમાંથી ૧૨,૫૦૦ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર ૧૮૩ એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર ૧૦,૦૦૦ પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે.

મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી ૧૮ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.

૧૨મી સદીમાં કંબોડિયાના અંકોરવાટમાં બનેલુ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે ૫૦૦ એકરમાં ફેલાયેલું છે. તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયું છે. નવી દિલ્હીમાં બનાવેયાલું અક્ષરધામ મંદિર ૧૦૦ એકરમાં બનાવાયેલું છે.

આ મંદિર ઔપચારિક રીતે ૮ ઓક્ટોબરના રોજ ઉદઘાટન કરવામાં આવશે. પરંતુ ૧૮ ઓક્ટોબરથી તે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.

આ પણ વાંચો :-