બેટરીમાં પાણી નાખતી વેળાએ ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો ઈન્વર્ટર ખતમ !

Share this story
  • આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી. ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો તમારી પાસે ઈન્વર્ટર હશે, તો તમે તેની બેટરીમાં પાણી રીફિલ કરતા હશો. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બેટરીમાં પાણી નાખતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આજના સમયમાં ઈન્વર્ટર એક તાતી જરૂરિયાત બની ગઈ છે. વીજળીની તકલીફ હોય ત્યાં ઈન્વર્ટર વગર કામ થઈ શકતું નથી.

ઈન્વર્ટરના પર્ફોર્મન્સમાં ગરબડ ના આવે તે માટે બેટરીના પાણીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્વર્ટર બેટરીમાં પાણી રિફિલ કરતા સમયે અનેક લોકો કેટલીક નાની નાની ભૂલ કરી બેસે છે. બેટરી માટે લાપરવાહી દાખવવાને કારણે ઈન્વર્ટર ખરાબ થઈ શકે છે. બેટરીમાં પાણી ભરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ચેક કરતા રહેવું જોઈએ –

જો બેટરીમાં પાણી સુકાઈ ગયું હોય તો તો બેટરીને નુકસાન થઈ શકે છે. જેના કારણે આગ પણ લાગી શકે છે. બેટરીનો ઉપયોગ કરવાની સાથે પાણી પણ ઓછું થઈ જાય છે. બેટરીનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોય તો ૪૫ દિવસે બેટરી ચેક કરતા રહેવું જોઈએ.

ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ – ઈન્વર્ટરની બેટરી ભરવા માટે ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ કરવો જોઈએ. આરઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલ પાણીમાં પણ અશુદ્ધિઓ હોઈ શકે છે, જેના કારણે બેટરી લાઈફ ઓછી થઈ શકે છે.

ઓવરફિલ ના કરવી – બેટરીમાં પાણી વધારે ભરાઈ જાય તો પણ નુકસાન થઈ શકે છે. બેટરી પર પાણીનું લેવલ દર્શાવતું નિશાન હોય છે, જો તમે તે લેવલ કરતા વધુ પાણી ભરો તો ઈન્વર્ટરનું એસિડ વધુ પતલું થઈ શકે છે.

વાયરિંગ ચેક કરવું જરૂરી – ઈન્વર્ટરનું વાયરિંગ ચેક કરતા રહેવું જોઈએ. ખરાબ વાયરિંગના કારણે આગ લાગવાનું અને શોર્ટ સર્કિટ થવાનું જોખમ રહે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

આ પણ વાંચો :-