2000 Note : Rs. Attention depositors of 2000 notes
- જો તમે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા માટે બેંક પહોંચી રહ્યા છો તો તમને બે હજાર રૂપિયાની ૧૦ નોટ બદલાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કયા કિસ્સામાં તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે?
ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારથી લોકો તેમની ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે બેંકમાં પહોંચી રહ્યા છે. બીજી તરફ, જો તમે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા માટે બેંક પહોંચી રહ્યા છો તો તમને બે હજાર રૂપિયાની ૧૦ નોટ બદલાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે કયા કિસ્સામાં તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે? આવો જાણીએ તેના વિશે…
રૂ. ૨૦૦૦..
જો RBI દ્વારા આપવામાં આવેલી લિમિટ પ્રમાણે કોઈ લેવડ દેવડ કરતા હોય તો આવકવેરા વિભાગની નોટિસ આવતી નથી. પરંતુ જો બેંક ખાતામાં વધુ ટ્રાન્ઝેક્શન થાય છે તો આવકવેરા વિભાગ પાસેથી પ્રશ્નો પૂછી શકે છે. ટેક્સ નિષ્ણાતોના મતે જો સેવિંગ્સ એકાઉન્ટ અથવા કરન્ટ એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવવામાં આવે તો પૈસા ક્યાંથી આવ્યા તે અંગે સવાલો ઉભા થઈ શકે છે.
આવકવેરા વિભાગ :
બીજી તરફ, જો સેવિંગ ખાતામાં ૧૦ લાખ રૂપિયાથી વધુની રોકડ જમા થાય છે. તો આવકવેરા વિભાગ આ ટ્રાન્ઝેક્શન પર પ્રશ્નો પૂછી શકે છે. જો ખાતામાં રૂ. ૧૦ લાખથી વધુની રોકડ જમા થાય છે. તો તેની જાણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન (SFT) સ્ટેટમેન્ટમાં કરવામાં આવે છે. આ સિવાય જ્યારે ચાલુ બેંક ખાતામાં ૫૦ લાખ રૂપિયાથી વધુ રોકડ જમા થાય ત્યારે SFTમાં રિપોર્ટિંગ કરવામાં આવે છે.
ઈન્કમ ટેક્ષ :
બીજી બાજુ જો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે, તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે. આવકવેરા વિભાગ પૂછી શકે છે કે આ પૈસા ક્યાંથી આવ્યા? તેના વિશેની તમામ સાચી માહિતી આપવી પડશે અને પૈસાનો સ્ત્રોત જણાવવો પડશે. જો કે જો પૈસાના સ્ત્રોતનો ખુલાસો ન થાય તો કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો :-