BCCI took a big decision
- WTC Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૦૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.
ભારત (India) અને ઓસ્ટ્રેલિયાની (Australia) વચ્ચે ૦૭ જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન (Oval Ground) પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. ટીમ ઈન્ડિયાની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ છે. WTC Final ૨૦૧૯-૨૧ના ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને ૦૮ વિકેટથી હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના સામે થવા જઈ રહેલી ફાઈનલ પહેલા જ ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. જેમાં વિરાટ કોહલી. ચેતેશ્વર પુજારા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન શામેલ છે. ત્યાં જ ટીમ ઈન્ડિયામાં એક સ્ટાર ખેલાડીની એન્ટ્રી થઈ છે.
#TeamIndia Head Coach Mr. Rahul Dravid had a very insightful interaction with the Senior Women cricketers at NCA, Bangalore. They got a new perspective on preparation, the need for constant improvement and the process of chasing excellence 👌🏻👌🏻
We thank Mr. Rahul Dravid for… pic.twitter.com/0DRkEem1hP
— BCCI (@BCCI) May 24, 2023
આ પ્લેયરને મળી તક :
એક રિપોર્ટ અનુસાર યુવા બેટસમેન યશસ્વી જાયસવાલને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે સ્ટેડ બાય ખેલાડીના રૂપમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યા પર ભારતીય ટીમમાં તક મળી છે. ગાયકવાડે ક્રિકેટ બોર્ડને સુચિત કરી દીધુ છે કે તેમના લગ્ન ૩-૪ જૂને થશે.
જાસવાલે કર્યુ ધમાકેદાર પ્રદર્શન :
યશસ્વી જાયસવાલે છેલ્લા થોડા સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે તેમણે રાજસ્થાન રોયલ્સ માટે રમતા ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તેમણે રાજસ્થાન માટે IPL ૨૦૨૩ના ૧૪ મેચમાં ૬૨૫ રન બનાવ્યા છે. જેમાં એક સેન્ચુરી શામેલ છે. તેના ઉપરાંત તેમણે ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે રણજી ટ્રોફીના પાંચ મેચોમાં ૪૦૪ રન બનાવ્યા છે.
આ પણ વાંચો :-