ગીર સોમનાથમાં આજે ભૂંકપના આંચકા આવ્યા હતા. ૪ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો ૩.૭ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની નોંધાઈ હતી. તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા.
આજે તાલાલા તાલુકામાં બપોરનાં ૩:૧૪ કલાકે અને ૩:૧૮ કલાકે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. તાલાલાથી ૧૨ અને ૧૩ કિલો મીટરનાં અંતરે ભૂંકપનાં આંચકા આવ્યાં હતાં. એક આંચકાની તીવ્રતા ૩.૭ અને બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની હતી. તેમજ ઉંચાઇ ૬.૩ કિમી અને ૭.૦ કિમી હતી. આ ભૂંકપની વિગત સિસ્મોલોજી વિભાગે જાહેર કરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને તાલાલાના આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ચાર મિનિટના અંતરમાં બે આંચકા આવ્યા આવ્યાં હતાં.
- ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
- જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.