મેષઃ-
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબુત મનોબળમાં વધારો જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ,છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામાત્ય સુખમાં આનંદ.
વૃષભઃ-
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવાર માં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રો થી સહકાર મળે.
મિથુનઃ-
મનનું સિધ્ધાંતવાદી વલણ રહે.આવક જળવાશે.પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જૂના રોકાણો થી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.
કર્કઃ-
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો રૂળદાયી નીવડે, નવા વાહન ની ખરીદી શક્ય બને નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.
સિંહઃ-
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું
કન્યાઃ-
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજભુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.
તુલાઃ-
સૌદઇ, કલા અને રસીક તત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્ધત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય,કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબુત બનતું જણાય. પ્રિય પાત્ર નું મિલન શક્ચ બને. ભાગ્યનો સાથ મળતો નથી આથી નોકરી,ધંધા માં શાંતિ રાખવી.
ધનઃ-
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એંનું ધ્યાન રાખવું, મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે, ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.
મકરઃ-
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને, ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગ ના ધંધામાં વિશેષ લાભ.
કુંભઃ-
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનત વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો, શેર બજાર,સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિ ના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.
મીનઃ-
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય, આવકવનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી.માથાનો દુઃખાવો, પડ્યા- વાગ્યાથી સાચવવું સંતાન સુખ સારૂં.
આ પણ વાંચો :-
• અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે શું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું
• અનુરાગ ઠાકુરએ OTT એપ્સ માટે કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલ રજુ કર્યું