World Cup 2023 : ભારત સામે પાકિસ્તાનનું સરેન્ડર, હવે ભારત સરકારના હાથમાં બાજી

Share this story

World Cup 2023

  • એશિયા કપને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે, જ્યાં પીસીબીએ છેલ્લા કેટલાક મહિનામાં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. કદાચ હવે પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે આ શક્ય નથી.

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ (ODI World Cup) માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) આગમન અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. થોડા સમય પહેલાં ભારતમાં નહીં આવવાની ધમકી આપનાર પાકિસ્તાનને હવે વાસ્તવિકતાનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન (Pakistan) માત્ર વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર નથી. પરંતુ તેણે બે શહેરોની પણ ઓળખ કરી છે જ્યાં તે તેની તમામ મેચ રમવા માંગે છે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના નિવેદનથી થઈ હતી. ત્યારથી પીસીબીના અધિકારીઓ પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા હતા.

પાકિસ્તાનની નજર કોલકાતા અને ચેન્નાઈ પર  :

પાકિસ્તાનની ધમકીની બીસીસીઆઈ અને આઈસીસી પર કોઈ અસર થતી નથી તે જોઈને હવે પીસીબી ઘૂંટણિયે પડીને ભારત આવીને રમવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ માટે નક્કી કરાયેલા 12 સ્થળોમાં પાકિસ્તાને બે એવા શહેરોની ઓળખ કરી છે. જ્યાં તે પોતાની તમામ મેચ રમવા માંગે છે. રિપોર્ટમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લીગ તબક્કાની તેની તમામ 9 મેચ ચેન્નાઈ અને કોલકાતામાં જ રમવા માંગે છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોર્ડના અધિકારીઓ આ મુદ્દા પર ICC અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે. જો કે ICC અને BCCI નક્કી કરશે કે કઈ ટીમ ક્યાં રમશે. પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની તમામ મેચો માત્ર કોલકાતા અને ચેન્નાઈમાં જ રમવાનું પસંદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ટીમ બંને શહેરોમાં વધુ સુરક્ષિત અનુભવે છે.

કોલકાતા અને ચેન્નાઈ સાથે જોડાણ શા માટે?

પાકિસ્તાને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 2016 T20 વર્લ્ડમાં ભારત સામે તેની મેચ રમી હતી. જો કે મેચ ધર્મશાલામાં યોજાવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોલકાતા ખસેડવામાં આવી હતી. સાથે જ 1999માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનને ઘણો પ્રેમ મળ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાની મેચ આ બે શહેરોમાં રમવા માંગે છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું BCCI અને ભારત સરકાર પર પણ નિર્ભર રહેશે.

આ પણ વાંચો :-