ટ્રુડો ભારત આવ્યા ત્યારે પ્લેનમાં કોકેન હતું ! પૂર્વ ડિપ્લોમેટના દાવાથી કેનેડામાં મચી ગયો હડકંપ

Share this story
  • સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શોમાં આરોપ લગાવ્યો હતો કે “વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું.”

ભારત અને કેનેડાના સંબંધ દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યા છે. એક તરફ તો કેનેડા આતંકી હરદીર સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કથિત આરોપો પર હજુ સુધી કોઈ પુરાવા નથી આપી શક્યા. આ વચ્ચે આરોપ લગ્યા છે કે આજ મહિને જ્યારે ટ્રૂડો જી ૨૦ શિખર સમ્મેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. ત્યારે તેમનું પ્લેનમાં કોકીન ભરેલું હતું.

સૂડાનમાં ભારતના પૂર્વ રાજદૂત દિપક વોહરાએ એક ન્યૂઝ શોમાં આરોપ લગાવ્યો હતો કે “વિશ્વસનીય અફવાહો હતી કે ડોગ સ્વોડને તેમના વિમાનમાં કોકેઈન મળ્યું હતું.” વોહરાએ એવું પણ જણાવ્યું કે જ્યારે ટ્રૂડોનું વિમાન ખરાબ થયું હતું.

ત્યારે તે બે દિવસ સુધી હોટલના રૂમમાંથી બહાર ન હતા આવ્યા. વોહરાએ એવો પણ દાવો કર્યો કે વિશ્વસ્ત સૂત્રોથી જાણવા મળ્યું હતું કે જસ્ટિન ટ્રૂડો ભાનમાં ન હતા માટે તે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આમંત્રીત કરવામાં આવેલા રાત્રી ભોજનમાં શામેલ ન હતા થયા.

વોહરાએએ આગળ કહ્યું કે, “ટ્રૂડો ફ્રસ્ટેટેડ અને તણાવમાં હતા કારણ કે ૧૦ દિવસ પહેલા તેમની પત્ની તેમને છોડીને જતી રહી હતી. તેના ઉપરાંત કેનેડાની ઈકોનોમી ડગમગી રહી છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે કેનેડાના પ્રધાનમંત્રીની હરકતો સમજની બહાર છે. કારણ કે તે ગભરાયેલા છે. “

ભારતીય મીડિયામાં આ પ્રકારની ખબર આવ્યા બાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના કાર્યાલયે આ દાવાનું ખંડન કર્યું છે કે જ્યારે તે આ મહિને જી-૨૦ બેઠક માટે ભારત આવ્યા હતા તો તેમનું વિમાન “કોકીનથી ભરેલું હતું”. એક રિપોર્ટ અનુસાર ટ્રૂડોની ઓફિસે એક ટીવી ડીબેટ વખતે એક સેવાનિવૃત્ત ભારતીય રાજદ્વારી દ્વારા કરવામાં આવેલા દાવાને ખારીજ કરતા કહ્યું કે તે પાયાવિહોણા અને ખોટા છે.

આ પણ વાંચો :-