નવરાત્રિમાં વિલન બની વરસાદ પાડશે ખેલૈયાઓના ખેલમાં ખલેલ ! ગરબાના રંગમાં ભંગની અંબાલાલની આગાહી

Share this story
  • ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે.

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે.

૭ ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. ૭ ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

નવરાત્રિમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલની આગાહી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. વરસાદ વિલન બનીને ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે. ગુજરાતમાં વરસાદની આગાહી માટે અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે.

તેમણે કહ્યું કે, ૨૩ સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે.

નવરાત્રિમાં ક્યારે પડી શકે છે ભારે વરસાદ ?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૨૮ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ વધુ બનશે, જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ૨જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ ૧૯-૨૦ ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. ૧૬મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

આ પણ વાંચો :-