બાંગ્લાદેશમાં સમાન્ય ચૂંટણી પહેલા હિંસા, તોફાનીઓએ ટ્રેન સળગાવતાં ૫ લોકોનાં મોત

Share this story

બાંગ્લાદેશમાં શુક્રવારે રાત્રે બર્નિગ ટ્રેનની ઘટના બની હતી. એક પેસેંજર ટ્રેનને કથિક રીતે બદમાશો દ્વારા આગ લગાડવામાં આવતા ઓછામાં ઓછા ૫ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે ૯:૦૮ કલાકે બની હતી જેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગઈ હતી.

આ ઘટના રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં બેનપોલ એક્સપ્રેસમાં બની હતી બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા જ આ ઘટના બની હતી. બાંગ્લાદેશમાં સાત જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. વડાપ્રધાન શેખ હસીના આ વખતે પણ દાવેદાર છે.

ગોપીબાગ વિસ્તારમાં રાત્રે લગભગ ૯ વાગ્યે આગ લાગી હતી, રાત્રે ૧૦.૨૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવા માં આવ્યો હતો. ટ્રેનમાં કેટલાક ભારતીય મુસાફરો પણ સવાર હતા. આ ટ્રેન પશ્ચિમી શહેર જેસોરથી ઢાકા જઈ રહી હતી. બદમાશોએ પહેલા એક કોચમાં આગ લગાવી પરંતુ ધીરે ધીરે આગ ૫ કોચ સુધી ફેલાઈ ગઈ હતી. અગાઉ ૧૯ ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી જેમાં 4 લોકોના મોત થયા હતા.

આ ઘટના બાદ એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. દરમિયાન ઢાકા પોલીસ કમિશનર મોઈનુદ્દીને કહ્યું કે આ એવા લોકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પહેલા જાણી જોઈને હિંસા કરવામાં આવી છે જેથી અશાંતિ ફેલાઈ શકે.

આ પણ વાંચો :-