અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત

Share this story

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. અકસ્મતાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

હજુ ગઈકાલે જ પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર ૭ લોકોમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-