Taarak Mehta ka ooltah chashmah : શોનું મુખ્ય પાત્ર લેવા જઈ રહ્યું છે બ્રેક, નામ જાણીને તમને પણ લાગશે ઝટકો

Share this story
  • છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઈ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી.

ટીવીના પોપ્યૂલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ને લઈને એક મોટી ખબર સામે આવી છે. આ શોને લઈને સમાચાર મળ્યા છે કે છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોમાંથી એક મુખ્ય પાત્ર બ્રેક પર જઈ રહ્યું છે. આ કેરેક્ટરનું નામ જાણીને ફેન્સને જરૂર આંચકો લાગશે, કેમ કે આ કેરેક્ટર છે દિલિપ જોષી, એટલે કે જેઠાલાલ. જેઠાલાલ હવે આ શોમાંથી ગાયબ થવા જઈ રહ્યાં છે.

એક્ટરનું નામ સાંભળીને તમને ઊંડો આંચકો લાગશે કારણ કે આ એક્ટર બીજું કોઈ નહીં પણ બધાના ફેવરિટ જેઠાલાલ છે. દિલીપ જોષીએ ખુદ સોશ્યલ મીડિયા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે.

વાસ્તવમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની આ ધાર્મિક યાત્રા વિશે વાત કરતા દેખાઈ રહ્યાં છે.