સુરતમાં ધોરણ ૧૨ના છાત્રનું અચાનક મોત, દીકરાના મોતથી પરિવારમાં માતમ

Share this story

સુરત ભીમરાડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પટેલ કન્ટ્રાકશનના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેઓનો ૧૮ વર્ષીય પુત્ર દેવ ઘોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો. મંગલવારે દેવ ઘરમાં બેસેલો હતો તે સમયે અચાનક તેને છાતીમાં તેમજ માથામાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેની તબિયત લથડી હતી. તે બેભાન થઈ જતાં પરિવારજનોતેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું, વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દેવનું હદયરોગના હુમલામાં મોત થયું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો દેવનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી છે દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોડ બે વર્ષથી સુરતની સાથે રાજયભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે.

આ પણ વાંચો :-