શિવસેના નેતા સંજય રાઉત કહ્યું કે દેશમાં માત્ર બે સેના, એક સરહદ પર, બીજી શિવસેના

Share this story

શિવસેન નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે શિવાજી પાર્કમાં જે રેલી યોજાઇ રહી છે તે રેલી જ શિવસેનાની છે. તેમણે કહ્યું છે છે કે દેશમાં એક જ શિવસેના છે. તો સાથે સાથે તેમણે બાળાસાહેબ ઠાકરે દ્વારા કહેવામાં આવેલ વાત પુનઃઉચ્ચારી હતી કે શિવસેનાની સ્થાપના બાદ ૨૨૦ જેટલી સેનાઓ ફૂટી નીકળી છે. પરંતુ ભારતમાં માત્ર બે જ સેનાઓ છે. એક ભારતની સેના છે જે સરહદ પર છે અને બીજી સેના શિવસેના છે. બાકીની સેનાઓ આવી અને ગઈ.

કાર્યક્રમમાં સંજય રાઉતે RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે દુનિયામાં અને ભારતમાં કેટલાંક ળકો છે જે નથી ઇચ્છતા કે ભારત આગળ વધે. તેઓ સમાજમાં જૂથો અને સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મોહન ભાગવતના આ નિવેદનનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ વિપક્ષ તરફ સંકેત કરી રહ્યા છેઃ તો તેમણે INDIA ગઠબંધનમાં સામેલ થનાર પહેલી વ્યક્તિ હોવું જોઇએ કારણ કે આજે લોકતંત્ર જોખમમાં છે.

આ પણ વાંચો :-