HomePoliticsશું ડિલીટ કરાયા મહત્વના પુરાવા? સૌરવ દાસ સામે કોર્ટમાં ગંભીર દાવો

શું ડિલીટ કરાયા મહત્વના પુરાવા? સૌરવ દાસ સામે કોર્ટમાં ગંભીર દાવો

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા ફોજદારી અવમાનના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. CJP (કોકરોચ જનતા પાર્ટી)ના નેતા અને પૂર્વ પત્રકાર સૌરવ દાસ સામે માત્ર ન્યાયાધીશને સોશિયલ મીડિયા પર કથિત રીતે બદનામ કરવાની ઝુંબેશનો જ નહીં, પરંતુ કેસ સાથે સંબંધિત ઇલેક્ટ્રોનિક પુરાવા ડિલીટ કરવાનો પણ આરોપ સામે આવ્યો છે. આ દાવા બાદ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે અને આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.

દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિંદર દુડેજાની બેન્ચે સૌરવ દાસ અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય સહિત અન્ય પ્રતિવાદીઓને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહને પણ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આરોપ છે કે સોશિયલ મીડિયા મારફતે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કથિત અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન વકીલ અશોક ચૈતન્યે કોર્ટમાં અલગ અરજી કરીને દાવો કર્યો કે કેટલાક આરોપીઓએ કેસ સાથે જોડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે તે પોસ્ટ્સના ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખ્યા છે અને કોર્ટ સમક્ષ ઇલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરવાની મંજૂરી માંગી હતી, જેને કોર્ટએ સ્વીકારી છે.

બીજી તરફ, સૌરવ દાસે X પર તમામ આરોપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમણે કોઈ પોસ્ટ કે ટિપ્પણી ડિલીટ કરી નથી અને તેમની અગાઉની રિપોર્ટિંગ આરટીઆઈના દસ્તાવેજો તથા જાહેરમાં ઉપલબ્ધ માહિતી પર આધારિત હતી. તેમણે અરજીકર્તાના આરોપોને પણ નકારી કાઢ્યા છે. હાલ મામલો કોર્ટમાં વિચારાધીન છે અને આગામી સુનાવણી 21 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાવાની છે.

Subscribe

Latest stories