HomeGujaratસાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯...

સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

Date:

Related stories

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...
spot_img
  • આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે ૩૯ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ  :

ઓડમાં બિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિમય માહોલ  :

૧૦ માસના ટૂંકા ગાળામાં ૩૯ ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે ઓડ ગામમાં આ મૂર્તિના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

 

 

 

Subscribe

Latest stories

spot_img