ધરમપુર વિસ્તારમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે વિલ્સન હિલ જતાં માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ છે, જેના કારણે માર્ગનો એક ભાગ ધસી ગયો છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ધરમપુર વિસ્તારમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી, જેમાં માર્ગનો એક ભાગ ધસી ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થળ પર પહોંચી ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું તેમજ માર્ગની વહેલી તકે મરામત, સુરક્ષા વ્યવસ્થા અને વાહનવ્યવહારને સુરક્ષિત… pic.twitter.com/vRg1KBpqol
અધિકારીઓએ માર્ગની વહેલી તકે મરામત, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ વાહનવ્યવહાર સુરક્ષિત રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. પ્રશાસને નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વિદ્યાર્થી આંદોલનને લઈને કેન્દ્ર સરકારે સમાધાન તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મોડી રાત્રે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સાથે થયેલી બેઠક બાદ આજે (બુધવારે) CJPના પ્રતિનિધિઓ સાથે વધુ એક તબક્કાની ચર્ચા યોજાવાની છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો ઉકેલ શોધવા માટે સરકાર સકારાત્મક વલણ અપનાવી રહી છે અને ચર્ચા દ્વારા રસ્તો નીકળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ CJPના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ બેઠક પહેલાં મંગળવારે રાત્રે તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મળીને મેદાંતા હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની મુલાકાત લીધી હતી. ભૂખ હડતાળ બાદ તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી આંદોલન અંગે સંસદમાં ચર્ચા કરાવવાની માંગ બેઠક દરમિયાન મુખ્ય મુદ્દો રહી હતી. સરકાર આ મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવાનું માનવામાં આવે છે. જો આ અંગે સહમતિ બને તો સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ સમાપ્ત થવાની શક્યતા વધી શકે છે.
કેન્દ્ર સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે વિદ્યાર્થીઓ સાથે સંવાદ માટે તૈયાર છે અને તેમની ચિંતાઓનું ચર્ચા દ્વારા નિરાકરણ લાવવા ઇચ્છે છે. બીજી તરફ, સંસદના ચાલુ સત્ર દરમિયાન પણ આ મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિરોધ પક્ષના અનેક નેતાઓએ વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે તેમને થોડા સમય માટે અટકાયત કર્યા બાદ મુક્ત કર્યા હતા. હવે સરકાર અને CJP વચ્ચેની આજની બેઠક પર સૌની નજર ટકેલી છે, કારણ કે તે આ સમગ્ર વિવાદના ઉકેલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ; અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસતા વરસાદને કારણે નદીઓ, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં 16 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. વલસાડ જિલ્લાના પારડી અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વલસાડ: મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક. 6 દરવાજા 1 મીટર ખોલી દમણગંગા નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડાયું. વાપી પાસે વિયર ઓવરફ્લો. સેલવાસ, વાપી અને દમણના નદીકાંઠાના લોકોને નદી કિનારે ન જવા તંત્રની સૂચના.#Valsad#MadhubanDam#Damanganga#Vapi… pic.twitter.com/2DTuvwID3Z
— NEWS SERVICE OF GUJARAT (@NewsServiceGuj) July 21, 2026
વલસાડ, વાપી અને ખેરગામમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે. ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો છે. બીજી તરફ વધઈ, ધરમપુર અને બારડોલીમાં 6 થી 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ઉમરગામ, ડાંગ અને ગણદેવી વિસ્તારમાં 5 થી સાડા 5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેર, પલસાણા અને અંબિકા વિસ્તારમાં 4 થી સાડા 4 ઇંચ વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. નદી-નાળાઓની નજીક ન જવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી આગામી કલાકો મહત્વના માનવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હીમાં CJP (કોકરોચ જનતા પાર્ટી)ના ‘સંસદ ચલો’ પ્રદર્શન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસના નેતાઓએ મંગળવારે પ્રધાનમંત્રીના સત્તાવાર આવાસ તરફ કૂચ કરી ધરણું શરૂ કર્યું હતું.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો PM આવાસ નજીક ધરણા પર બેઠા હતા. જોકે, સુરક્ષા કારણોસર દિલ્હી પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને બાદમાં રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓને અટકાયત કરી પોલીસ બસમાં બેસાડી સ્થળ પરથી લઈ ગઈ.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે CJPના પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને કાર્યકરો પર થયેલી પોલીસ કાર્યવાહી લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે અને સરકાર વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હી પોલીસે જણાવ્યું કે પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રદર્શનની મંજૂરી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી.
Delhi: Pictures of Lok Sabha LoP Rahul Gandhi, protesting with Opposition leaders and workers at Lok Kalyan Marg being detained by Delhi Police.
ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ફરી તેજ બનવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોના વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 24 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી તરફથી આવતી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ગોધરા, દાહોદ અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જુલાઈના અંતિમ દિવસો દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થવાની શક્યતા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળામાં પાણીની આવક વધી શકે છે. ખેડૂતોને પણ ખેતરોમાં પાણી ન ભરાય તે માટે અગાઉથી યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે હાલ સક્રિય ચોમાસાની સ્થિતિને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે અને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે સાવચેતી રાખવી જરૂરી છે.
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીના જંતર-મંતર પર ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રદર્શન સ્થળ પર ફરીથી મંચ તૈયાર કરવામાં આવ્યો છે અને આયોજકોના જણાવ્યા અનુસાર, આ વિરોધમાં 15 હજારથી વધુ લોકો જોડાયા છે. લોકો વિવિધ માંગણીઓને લઈને અહીં એકત્ર થયા છે અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે. જંતર-મંતર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને.
આ અગાઉ CJPના સંસદ માર્ચ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન લાઠીચાર્જ અને ભીડને નિયંત્રિત કરવાની કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ હતી. ત્યારબાદ હવે ફરી એકવાર જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
Viral video from Jantar Mantar clearly shows police personnel being attacked by rioters/protesters right in front of Abhijeet Dipke.
Some handles are deliberately sharing cropped videos to create a false agenda against the Delhi Police.
CJP સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું છે કે તેઓ પોતાની માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખશે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે આ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
હાલ જંતર-મંતર પર સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા એજન્સીઓ સતત સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે. લોકોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રવિવારે (19 જુલાઈ) શહેરના ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઉદ્યોગપતિ અને સમાજસેવક ગોવિંદ ધોળકિયાની નજર રસ્તાની અત્યંત ખરાબ હાલત પર પડી હતી. વરસાદ બાદ રસ્તા પર કાદવ, કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય જોઈ તેઓ ભારે નારાજ થયા હતા. તેમણે પોતાની કારમાંથી જ વીડિયો બનાવી શહેરની હાલત પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “આ સુરત માટે શરમજનક સ્થિતિ છે, છતાં કોઈના પેટનું પાણી નથી હલતું.” તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
સુરતમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને લોકોને પડતી મુશ્કેલીઓ વચ્ચે ગોવિંદભાઈએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
#Gujarat A video showing BJP Rajya Sabha MP @GovindLDholakia expressing anger over #Surat's dilapidated roads has gone viral. His aide clarified that clip was privately sent to authorities on Sunday to push for urgent civic action, not for public circulation.@NewIndianXpresspic.twitter.com/9yDQyH7vJR
ગોવિંદભાઈએ જણાવ્યું કે, “સુરત જેવી સ્માર્ટ સિટી ગણાતી જગ્યાએ દર વર્ષે વરસાદ પડતા જ આવી સ્થિતિ સર્જાય છે, છતાં કોઈના પેટનું પાણી નથી હલતું. કરોડો રૂપિયાના વિકાસના દાવા થાય છે, પરંતુ સામાન્ય નાગરિકોને આજે પણ પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવાની ફરજ પડે છે. આ સ્થિતિ અત્યંત શરમજનક છે.”
તેમણે વધુમાં કહ્યું કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓએ માત્ર કાગળ પરની કામગીરી નહીં, પરંતુ સ્થળ પર ઉતરીને કાયમી ઉકેલ લાવવો જોઈએ.
ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયા પર પણ સુરતના વિવિધ વિસ્તારોના પાણી ભરાયેલા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. નાગરિકો દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં મનપા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ આ અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ ફેરફારમાં વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વિવિધ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવાના હેતુથી આ બદલી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજ્યના અનેક જિલ્લાઓ અને મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.IAS અધિકારીઓની બદલીમાં સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરો અને વિભાગોમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.
સરકારે કરેલા આ વહીવટી ફેરફાર બાદ હવે નવા અધિકારીઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળશે. આ બદલીઓ રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.
દિલ્હીમાં CJP દ્વારા આયોજિત સંસદ માર્ચ દરમિયાન પોલીસ લાઠીચાર્જની ઘટનાની વચ્ચે પાર્ટીની પ્રવક્તા વિજેતા દહિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ રેસ્ટોરન્ટમાં બર્ગર ખાતા હોવાનું જોવા મળતા તેમના પર અનેક સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને વિરોધીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન કર્યો કે લોકોને પ્રદર્શન માટે બોલાવ્યા બાદ તેઓ પોતે સ્થળ પર કેમ હાજર ન રહ્યા. સાથે જ પ્રેમાનંદ મહારાજ અંગે કરાયેલી તેમની અગાઉની ટિપ્પણીઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
Vijeta Dahiya skipped today's march to Parliament and chose to eat BURGER while Sonam Wangchuk , Abhijeet Dipke and Neha Bora were doing Hunger Strike .
વિવાદ વધતા વિજેતા દહિયાએ એક ડિજિટલ પ્લેટફોર્મ સાથે વાતચીતમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમના જણાવ્યા મુજબ, તેઓ માર્ચની શરૂઆતમાં હાજર હતા. જોકે, ઇન્ટરનેટ સેવા બંધ થવાથી અને કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હોવાની માહિતી મળતાં તેઓ ઘરે પરત ફર્યા હતા જેથી થોડો આરામ કરીને જરૂર પડે તો ફરી જોડાઈ શકે. બર્ગર ખાતા જોવા મળવાના મુદ્દે તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસથી સતત વ્યસ્ત હોવાને કારણે તેમને ભારે ભૂખ લાગી હતી અને સામાન્ય રીતે ભોજન કરવું કોઈ ગુનો નથી.
Clown Dahiya, after instigating children to riot on the streets, left to eat a burger.
Now he says, “It is not my responsibility to be at the protest. You people have not elected me”
They are openly mocking the students who supported them, calling them fools, and still some… pic.twitter.com/FKhFq5eveh
માર્ચની સફળતા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દહિયાએ કહ્યું કે કોઈપણ જનઆંદોલનનું મૂલ્યાંકન માત્ર સંસદ સુધી પહોંચવાથી થતું નથી. તેમના મતે મુખ્ય મુદ્દો એ છે કે સરકાર લોકોની માંગણીઓ સાંભળે છે કે નહીં. તેમણે દાવો કર્યો કે લાઠીચાર્જ દરમિયાન તેમની ટીમના કેટલાક સભ્યોને ઈજા પહોંચી હતી અને કેટલાક સાથે દુર્વ્યવહાર પણ થયો હતો.
— Office Of Vijay Patel (@VijayGajeraO) July 20, 2026
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા અંગે તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનાથી તેઓ કોઈ વ્યક્તિગત સ્વાર્થ વગર આ અભિયાન સાથે જોડાયેલા છે અને આ દરમિયાન તેમનું વ્યક્તિગત કામકાજ પણ પ્રભાવિત થયું છે. દહિયાએ કહ્યું કે કોઈ કાર્યકર ભોજન કરે તો તેને વિવાદનું કારણ બનાવવું યોગ્ય નથી. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા હજુ પણ ચાલુ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલવાડ થવા દેશે નહીં. એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે પેપર લીક માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર વિષય છે. તેથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કાયદા મુજબ કઠોર સજા અપાશે.
વડાપ્રધાને જણાવ્યું કે પેપર લીકની ઘટના સામે આવતા જ સરકારે તાત્કાલિક પગલાં લીધાં હતા. વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી અને તેની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના હિતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યવસ્થામાં વધુ મજબૂતી લાવવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે પેપર લીકની સમસ્યા માત્ર કેન્દ્ર સરકારની જવાબદારી નથી. રાજ્યો, તપાસ એજન્સીઓ અને સંબંધિત તમામ સંસ્થાઓએ મળીને આવા ગુનાઓ સામે લડવું પડશે. પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જળવાઈ રહે અને યુવાનોનો વિશ્વાસ અડગ રહે તે માટે દરેક સ્તરે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન અને સંસદ તરફ માર્ચ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક સ્થળોએ અથડામણની ઘટનાઓ પણ સામે આવી હતી. બીજી તરફ, વિરોધ પ્રદર્શનના પ્રતિનિધિઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને મળીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સરકારે લેખિત રજૂઆત સ્વીકારી હોવા છતાં માંગણીઓ અંગે કોઈ સત્તાવાર ખાતરી આપવામાં આવી નથી. જોકે, સરકારે વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.