ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ આ અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આ ફેરફારમાં વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્વના હોદ્દાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વિવિધ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવાના હેતુથી આ બદલી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. રાજ્યના અનેક જિલ્લાઓ અને મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે.IAS અધિકારીઓની બદલીમાં સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરો અને વિભાગોમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.


સરકારે કરેલા આ વહીવટી ફેરફાર બાદ હવે નવા અધિકારીઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળશે. આ બદલીઓ રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.