Home Blog Page 1430

પોલીસ કર્મીએ પોતાનો જીવ જોખમમાં મૂકી એવું કાર્ય કરી બતાવ્યું કે, જીતી લીધા લોકોના દિલ- જુઓ વિડીયો

A policeman risked his life

અવારનવાર આપડે માનવતાંનાં અનેક વિડીયો જોતાં હોઈ છે. ત્યારે પ્રાણીઓ (Animals) કોઈને પોતાના દિલમાં જગ્યા આપે, પછી તેઓ તેમના માટે જાન પણ આપી દયે છે. આવી ઘટનાઓમાં જો કોઈ પ્રાણીનું નામ સૌથી ઉપર આવે છે તો તે કૂતરાનું (Dogs) છે. જે મનુષ્ય સાથે મિત્રતા નિભાવવામાં કોઈ કસર છોડતા નથી. પરંતુ આવું ભાગ્યે જ બને છે જ્યારે પ્રાણીઓની પ્રામાણિકતા (Honesty) માનવતા સાથે ચૂકવવામાં આવે છે. પરંતુ જે રીતે કેટલાક પોલીસકર્મીઓ (Policeman) એક કૂતરાને બચાવવા પ્રયાસ કરે છે તે પ્રશંસનીય છે.

ટ્વીટર પર હંમેશા રમુજી અને રમુજી વિડીયો શેર કરનાર @TheFigenએ આ હૃદયસ્પર્શી વિડીયો શેર કર્યો છે, આ વખતે કોલંબિયાના કેટલાક પોલીસકર્મીઓએ પાણીમાં તણાઈ જતા કૂતરાનો જીવ બચાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દીધો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં કોઈપણ માટે બચવું મુશ્કેલ હતું, પરંતુ તેઓએ તેને ત્યાંથી બહાર કાઢ્યો.

પાણીના જોરદાર પ્રવાહમાં વહેતા કૂતરાને બચાવવા પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા :

વીડિયો પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે પાણીએ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આજુબાજુનો વિસ્તાર ખડકાળ હતો, જેમાંથી કૂતરો પાણીના જોરદાર પ્રવાહમાં વહી રહ્યો હતો. ઘણા પોલીસકર્મીઓ ત્યાં પહેલેથી જ હાજર હતા. કે તરત જ કોઈની નજર ધોધ સાથે દોડતા કૂતરા પર પડી. તેણે બૂમ પાડી, તે જ્યાં હતો ત્યાંથી તેને બચાવવા દોડ્યો. પરંતુ ઘણા પ્રયાસો બાદ પણ કૂતરો હાથમાં આવ્યો ન હતો.

હકીકતમાં, પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેમાં પગ મૂકવો સરળ ન હતો. તેમ છતાં પણ કોઈએ હાર ન માની અને પ્રયત્ન ચાલુ રાખ્યા. કૂતરાને પકડવાની કોશિશ નિષ્ફળ ગઈ તો વર્દીધારી માણસ આગળ દોડ્યો અને નદીના કિનારે પહોંચી ગયો અને કૂતરાને તેમાંથી બહાર કાઢ્યો.

કુતરાને બહાર કાઢ્યા બાદ તેમનામાં કોઈ હલચલ ન જોઈને, તરત જ એક ગણવેશધારી વ્યક્તિએ તેમને તેમના મોં દ્વારા કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનું શરૂ કર્યું, જેને CPR કહેવામાં આવે છે. અને થોડી જ વારમાં તેના શરીરમાં હલનચલન જોઈને સૌના જીવમાં જીવ આવ્યો.

A policeman risked his life

સુરત ટેક્સટાઇલ માર્કેટના દુકાનદારો અને દલાલો સાથે 3.17 કરોડની છેતરપિંડી, જુઓ કેવી રીતે વેપારીએ છેતર્યા

Shopkeepers of Surat Textile Market

  • સુરતના સારોલીના કુબેરજી માર્કેટના વેપારીએ કાપડના દુકાનદારો અને દલાલો સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં (Surat Textile Market) ઠગાઇનો સિલસિલો યથાવત રીતે ચાલી રહ્યો છે. શહેરના સારોલીના કુબેરજી માર્કેટના વેપારી સામે 3.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 3.17 કરોડની છેતરપિંડી કરીને વેપારી સંજય ખત્રી પલાયન થઇ ગયો છે. વેપારીએ માર્કેટના (Merchant Market) અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે છેતરપિંડી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આરોપી વેપારી સામે ક્રાઈમ બ્રાંચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી છેતરપિંડીની (Fraud) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ક્યારેક લોન (Loan)ના નામે છેતરપિંડી તો ક્યારેક લોકોને ભોળવીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. છેતરપિંડી આચરતા આરોપીઓ લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક કિસ્સો સારોલી ટેક્સટાઇલ માર્કેટ (Saroli Textile Market) માંથી સામે આવ્યો છે.

કરોડોનું કાપડ લીધું પરંતુ એક પણ રૂપિયો કાપડના વેપારીને ન ચૂકવ્યો :

સુરતના સારોલી ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીએ માર્કેટના અનેક કાપડના દુકાનદારો તેમજ દલાલો સાથે રૂ. 3.17 કરોડની છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું છે. અહીં, રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રીએ કરોડોનું કાપડ લીધું હતું. પરંતુ તેનો એક પણ રૂપિયો કાપડના વેપારીને ચૂકવ્યો ન હતો. ઉલટામાં વેપારી સાથે 3.17 કરોડની છેતરપિંડી આચરી હતી.

સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ :

જો કે, આટલી મોટી રકમની છેતરપિંડી આચરી હોવાના કારણે વેપારીએ રુદ્રાક્ષ ટેક્સટાઇલના માલિક સંજય ખત્રી વિરુદ્ધ ઇકો સેલમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આ ફરિયાદના આધારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીને શોધવા માટે પોલીસે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આથી, ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Shopkeepers of Surat Textile Market

આ શું બોલી ગયાં ! અમારી સરકાર આવશે તો કપડાં વગર 500 મીટર દોડાવીશું : જગદીશ ઠાકોરની પોલીસને ગર્ભિત ધમકી

0

If our government will come without

  • અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર સહિત કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસ પ્રમુખે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

વિધાસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. મતદારોને પોતાના તરફ કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે ભિલોડા ખાતે આજે કોંગ્રેસ પાર્ટી (Congress Party) દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (Region President Jagdish Thakor), મધુસૂદન મિસ્ત્રી (Madhusudan Mistry) સહિત કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા.

પેપર કાંડના આરોપીઓને પાતાળમાંથી બહાર કાઢીશું : જગદીશ ઠાકોર 

આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું પેપર લીક કરવાવાળા સાતમા આસમાનમાં પેસી ગયા છે ત્યારે જો સરકાર અમારી બનશે તો આ પેપર કાંડના આરોપીઓને ભૂગર્ભમાંથી પણ શોધી લાવીશું.

અમારી સરકાર આવશે તો કપડાં વગર 500 મીટર દોડાવીશું : જગદીશ ઠાકોર 

જ્યારે પોલીસ વિભાગમાં પણ 95 ટકા સારા છે, કાયદાને સમજે છે, જાણે છે. જ્યારે 5 ટકા પોલીસવાળાઓએ ભાજપની ચડ્ડીઓ પહેરી છે. ત્યારે આવા લોકો ચેતી જાય જો અમારી કુદરતે પાંચમ લખી હશે તો છઠ્ઠ નહિ થાય પણ ખોટી રીતે હેરાન કરવાવાળાને અમારી સરકાર આવે એ દિવસે એક કલાકની 500 કિલોમીટર કપડા વગર દોડવાની તૈયારી રાખજે તેવી ગર્ભિત ધમકી આપી હતી.

ભાજપ જય બજરંગબલી બોલાવી ચૂંટણી ટાણે ભાગલા પાડે છે : જગદીશ ઠાકોર 

ભાજપ જય બજરંગબલી બોલાવી ચૂંટણી ટાણે ભાગલા પાડે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ યાદ આવે જ્યારે અમારે તો ઉઠતા વખતે રામ રામ તેવું કહી આકરા પ્રહારો કર્યા હતા.

ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જગદીશ ઠાકોરને આપ્યો જવાબ :

જગદીશ ઠાકોરના પોલીસ નિવેદનનો મામલે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે વળતો જવાબ આપ્યો છે. યમલ વ્યાસે કહ્યું કે, ગુજરાત પોલીસની દેશમાં પ્રશંસા થઇ રહી છે. ડ્રગ્સનો કારોબાર ઝડપવામાં પ્રશંસનીય કામગીરી કરી છે. હત્યાના આરોપીઓને ઝડપીને સજા અપાવી છે. પોલીસની કામગીરીને કારણે મહિલાઓ સુરક્ષિત છે. કોંગ્રેસના પ્રમુખ પોલીસની કામગીરીને વખોડી રહ્યાં છે. કોંગ્રેસમાં હતાશા જોવા મળી રહી છે. કોંગ્રેસ માટે આગામી દિવસો ખૂબ કપરા છે. આવી માનસિકતાને કારણે વયમનસ્ય ઉભુ કરી રહ્યાં છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

If our government will come without

હાર્દિકનો ભાજપ પ્રવેશ, ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’, નેતાગીરીએ કોઈ મીર માર્યો નથી!

Gujarat Guardian Nagar Charya by Manoj Mistry

આખરે હાર્દિક પટેલે ભાજપ સાથે નાતરું કરી લીધું અને ભાજપના નેતાઓએ પણ જાણે પરિવારમાં બત્રીસ લક્ષણા પુત્રનો અવતાર થયો હોય એમ ‌મિઠાઈ વહેંચીને આનંદોત્સવ મનાવ્યો. પરંતુ આ કુંવર કેટલા લક્ષણોનો છે તેનો આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. હાર્દિકને કેસરિયા કરાવવા ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ જોડાય એ સ્વભાવિક છે, પરંતુ ભાજપના નીતિનકાકા પણ હોંશે હોંશે દોડી આવ્યા. આ થોડું અચરજ પમાડનારું હતું. રાજકીય પક્ષોમાં કોઈનું આવવું અને જવું હવે નવાઈ પમાડનારું રહ્યું નથી. કારણ કે, જ્યાં નૈતિકતા જ મરી પરવારી હોય ત્યાં આવી ઘટનાઓ સહજરીતે બનતી રહેવાની.

ગઈકાલ સુધી ભાજપ નેતાગીરીને ભાંડનાર, મહિલા મુખ્યમંત્રીની ગ‌િરમા સામે કાદવ ઉછાળનારને પચાવવો ભાજપ કાર્યકરો માટે મુશ્કેલ થઈ પડશે

સત્તાનો વિસ્તાર વધારી રહેલી ભારતીય જનતાપાર્ટીમાં પણ નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ હાથમાં સુકાન સંભાળ્યા પછી જાણે આખા માપદંડ બદલાઈ ગયા છે. મોદી માટે કોઈપણ ભોગે ભાજપના હાથમાં સત્તા રાખવાનું સર્વોપરી છે. કાશ્મીર સરકારમાં ભાગીદારી કરવા તદ્દન વિરોધી વિચારધારાની મુફતી મોહંમદની પાર્ટી સાથે કરેલી ભાગીદારી ભાજપની સત્તા લાલચાનું સૌથી મોટું ઉદાહરણ હતું.

કાશ્મીરમાં મુફતી સાથેનું રાજકીય નાતરું લાંબુ ચાલ્યું નહોતું, પરંતુ કાશ્મીરમાં ભાજપને લહેરાતો કરવાની તક મળી ગઈ હતી. આવી જ રીતે દેશના ઘણાં રાજ્યોમાં ભાજપે ગણતરીની એકાદ-બે સીટ સાથે પણ સત્તામાં ભાગીદારી કરીને આજે દેશના ઘણાં રાજ્યોમાં ભાજપના પ્રભુત્ત્વવાળી સરકારો હોવાનું ચિત્ર ઊભું કર્યું છે.

ભાજપ માટે પક્ષ કોઈપણ હોય સત્તામાં ભાજપની ભાગીદારી હોય તો કોઈની પણ સાથે રહેવામાં વાંધો નથી. ઉત્તરપ્રદેશમાં એક સમયે માયાવતી સાથે પણ ભાજપે ભાગીદારી કરી હતી. ખરેખર તો માયાવતી સાથેની ભાઈબંધીથી ભાજપને ઉત્તરપ્રદેશમાં ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવામાં સફળતા મળી છે. અલબત્ત આજે માયાવતીની હાલત કેવી છે તેનો વિચાર કરવાની જરૂર નથી.

મોડે-મોડે માયાવતીને પણ આ વાત સમજાઈ હતી. પરંતુ અફસોસ કરવા સિવાય માયાવતી પાસે કોઈ સહારો નથી. સરેરાશ જોવામાં આવે તો ભાજપને સત્તા સિવાય કંઈ જ ખપતું નથી અને સત્તા માટે કોઈની પણ સાથે બેસવામાં આભડછેટ નથી. દુનિયાના બદનામ વ્યક્તિને પણ ભગવો પહેરાવવામાં વાંધો નથી.

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ભાજપની માતૃસંસ્થા આરએસએસના મુખિયાનો ભાજપ ઉપર અંકુશ હતો, પરંતુ હવે ક્રમશઃ ચિત્ર બદલાઈ ગયું છે અને હવે ભાજપનો આરએસએસ ઉપર અંકુશ આવી ગયો છે એવું કહેવામાં ખોટું નથી. પહેલાં બધો કારભાર નાગપુરથી થતો હતો, હવે મોટાભાગના નિર્ણય દિલ્હીના દરબારમાંથી લેવાય છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસથી ‘કોંગ્રેસ મુક્ત ભારત’ તેમનો નારો હતો. પરંતુ તે સમયે કોંગ્રેસીઓ મુછમાં હસતાં હતા. કોંગ્રેસ નેતાગીરીને નરેન્દ્ર મોદીની રાજકીય મુત્સદીનો અંદાજ નહોતો અને કોંગ્રેસ નેતાગીરી ઊંઘમાં જ ઘેરાઈ ગઈ. મોદીએ ચારેતરફથી ઘેરીને આગ લગાડતા આજે કોંગ્રેસીઓની હાલત તંબુમાં સળગી મરવા જેવી થવા પામી છે. કોંગ્રેસ માટે મોદી ખરેખર કાળ જેવા પુરવાર થઈ રહ્યાં છે. કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ એક-એક કોંગ્રેસીઓને ભયનો પરસેવો પડાવી રહ્યાં છે. કોણ ક્યારે અને ક્યાં કેસમાં સnAપડાઈ જશે તેનો કોઈને અંદાજ નથી. ઘણાંને તો રાતની ઊંઘમાં નરેન્દ્ર મોદી દેખાતા હશે!!

પરિણામે મોટાભાગના ખમતીધર કોંગ્રેસીઓ ક્રમશઃ ભાજપ તરફ સરકી રહ્યાં છે. ઘણાએ તો કેસરિયો પહેરીને પોતાની જાતને સલામત કરી લીધી છે. આનો મતલબ એવો નથી કે, આખી જી‍ંદગી કોંગ્રેસમાં કાઢનાર નેતાની વિચારધારા બદલાઈ ગઈ છે. પરંતુ ભાજપમાં શરણું મેળવીને ઘણાં લોકો પોતાના ભૂતકાળ ઉપર પડદો પાડી રાખવા પ્રયાસ કરી રહ્યાં છે.

અલબત્ત આ એક એક બાબતોથી નરેન્દ્ર મોદી બિલકુલ વાકેફ છે. નરેન્દ્ર મોદીને એ પણ ખબર છે કે, કોણ શા માટે ભાજપ તરફ ધસારો કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે મોદી ‘કોંગ્રેસ મુક્ત ભારત’નું મિશન પાર પાડવામાં સફળ ખેલાડી પુરવાર થઈ રહ્યાં છે.

ખેર, વિતેલા એક દાયકાનો ભારતનો રાજકીય ઈતિહાસ તાજો છે. દેશના ભૂતકાળમાં ક્યારેય પણ આટલી મોટી રાજકીય ઊથલ-પાથલો થવા પામી નથી. કોઈ આગેવાન પક્ષ છોડવાની વાત કરે તો ભૂકંપ સર્જાવા જેવી હાલત થતી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ ભારતનો રાજકીય ઇ‌િતહાસ બદલી નાંખ્યો છે. આજે સ્થિતિ એવી છે કે, લોકો સવાર-સાંજ પક્ષ બદલી રહ્યાં છે અને છતાં શરમ સંકોચ જેવું કંઈ જ નથી.

સી. આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે તેમણે એવી જાહેરાત કરી હતી કે, ભાજપને એકપણ કોંગ્રેસીની જરૂર નથી. અલબત્ત, સી. આર. પાટીલ નરેન્દ્ર મોદીને પુરેપુરા સમજી શક્યા નહીં હોય. આજે સ્થિતિ લોકોની નજર સામે છે. કોંગ્રેસીઓ લાઈન લગાવીને ઊભા છે અને ખુદ સી. આર. પાટીલ કોંગ્રેસીઓને ભાજપમાં આવકારી રહ્યાં છે! આ નરેન્દ્ર મોદીના એજન્ડાનું પરિણામ છે.

કદાચ, નરેન્દ્ર મોદીના ‘કોંગ્રેસ મુક્ત ભારત’ના અભિયાનનો એક ભાગ હશે, પરંતુ પક્ષમાં હાવી થઈ જશે તો બાવાના બેઉ બગડ્યાં જેવો ઘાટ થશે

હાર્દિક પટેલે કોંગ્રેસમાં રહીને અને પાટીદાર આંદોલન સમિતિ ‘પાસ’ના આગેવાન તરીકે નરેન્દ્ર મોદી અને ભાજપને ભાંડવામાં શું બાકી રાખ્યું હતું? અમિત શાહને જનરલ ડાયર કહ્યાં હતાં અને સાવ નિર્દોષ મુખ્યમંત્રી આનંદીબેનને ફોઈબા કહીને ઉશ્કેરણી કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલનને કારણે મુખ્યમંત્રી આનંદીબેન ઉપરાંત પાટીદાર ધારાસભ્યોને બદનામ કરવામાં કોઈ કસર છોડી નહોતી. અમરેલીના દિલીપ સંઘાણી, મહેસાણાના રજની પટેલ, અમદાવાદના મહેશ કસવાળા, સાવરકુંડલાના વી.વી. વઘાસિયા ચૂંટણી હારી ગયા હતા અને આનંદીબેન પટેલને અડધી સરકાર મુકીને ગાદી છોડવાની ફરજ પડી હતી.

આંદોલનકારીઓને કારણે જ ૧૧ પાટીદાર યુવાનોએ શહીદ થવું પડ્યું હતું. અસંખ્ય યુવાનો સામે પોલીસ કરાયા હોવાથી આજે પણ કોર્ટ કેસનો સામનો કરી રહ્યાં છે. આ પૈકીના ઘણાં યુવાનોને વિદેશમાં અભ્યાસ માટે જવાનું પણ રખડી પડ્યું છે!

બીજી તરફ જાહેર અને ખાનગી સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. પાટીદાર સમાજની ‘અનામત’ની માંગણી કદાચ વ્યાજબી હશે. પરંતુ એક સમાજની માંગણી માટે થઈને ગુજરાતનું જાહેર જીવન છીન્‍ન‌િભન્‍ન કરી નાંખનાર મુખ્ય ચહેરો હવે ભાજપનું અંગ બની ગયો છે. ગઈકાલ સુધી ભાજપ નેતાગીરીને બેફામ ગાળો ભાંડનાર આવતીકાલે ભાજપની આગલી હરોળની નેતાગીરીમાં બેસીને નિર્ણય કરતો હશે, એવું પણ બની શકે.

હાર્દિકના આવવાથી ભાજપના નહીં બલ્કે હાર્દિકના રાજકીય કદમાં વધારો થશે અને
વધારે ઘંમડી બનશે, હાર્દિકમાં એવું કોઈ જ કૌવત નથી કે ભાજપ નેતાગીરીએ આટલા માન, પાન આપવા પડે

અલબત્ત હાર્દિકના ભાજપ પ્રવેશથી એકપણ ભાજપ નેતા કે કાર્યકર ખુશ નહીં જ હોય. પરંતુ શિર્ષ નેતૃત્ત્વના નિર્ણય સામે મૌન રહેવા સિવાય કોઈ રસ્તો પણ નહીં હોવાથી આજે ચૂપ બેઠેલા કાર્યકરોના મનમાં ધુંધવાતી નારાજગી આવતીકાલે વિસ્ફોટક પણ બની શકે. કારણ કે, હાર્દિકને પચાવવાનું કાર્યકરો માટે ખુબ જ કપરું છે.

હાર્દિક પહેલા કોંગ્રેસમાંથી સ્વ.વિઠ્ઠલ રાદડિયા, પુત્ર જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિત ઘણાં ધૂરંધરોએ ભાજપમાં પ્રવેશ મેળવીને મંત્રી પણ બન્યા હતા. પરંતુ આ નેતાઓને ભાજપે અને કાર્યકરોએ સ્વીકારી લીધા હતા. થોડા મહિનાઓ પહેલા આખા મંત્રી મંડળનું વિસર્જન કરી દેવાયું ત્યારે આ લોકોએ પણ મંત્રીપદા ગુમાવ્યા હતા. પરંતુ કોઈએ પોતાની વ્યક્તિગત તાકાત હોવા છતાં બળવો કે નારાજગી વ્યક્ત કરી નહોતી.

હાર્દિક પહેલાં કોંગ્રેસમાંથી સ્વ. વિઠ્ઠલ રાદડિયા, પુત્ર જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા વગેરે ઘણાં ખમતીધર નેતા ભાજપમાં આવ્યા પરંતુ આવા તાયફા કોઈએ પણ કર્યા નહોતા

હકીકત એ પણ છે કે, હાર્દિકમાં એવું કોઈ જ કૌવત નથી કે ભાજપ માટે જડીબુટ્ટી પુરવાર થઈ શકે. કોઈના માટે વ્યંગ કરવો કે ભાંડવા સિવાય હાર્દિકની કોઈ જ વિશેષતા નથી. હકીકતમાં એ પાટીદાર સમાજના નામે એક ચહેરો બની ગયો હતો. આનાથી વિશેષ હાર્દિક પટેલમાં એવું કોઈ કૌવત નથી કે, ભાજપને મોટો ફાયદો કરાવી શકે.
ખેર, કેન્દ્રીય નેતૃત્ત્વ એટલે કે નરેન્દ્ર મોદીની ઈચ્છા વગર હાર્દિકને ભાજપમાં પ્રવેશ અપાયો નહીં હોય, મતલબ કે હાર્દિકને ‘હીરો’ બનાવવા પાછળ નરેન્દ્ર મોદીનું કોઈ ચોક્કસ ગણિત હશે.

આનંદીબેન પટેલની સરકાર ઉથલાવવા પાછળના ઘણાં સમીકરણો હતા એમાં ‘પાસ’નું આંદોલન પણ નિમિત્ત હતું પરંતુ હાર્દિકે ભજવેલી ભૂમિકા દાયકાઓ સુધી યાદ રહેશે

Gujarat Guardian Nagar Charya by Manoj Mistry

ઇ-પેપર વાંચવા માટે અહિયાં ક્લિક કરો

૨૦ રૂપિયા માટે યુવકે ગુમાવ્યો પોતાનો જીવ, માથામાં તિક્ષ્ણ હથિયારના ધા મારી મોતને ઘાટ ઉતાર્યો

Young man loses his life for 20 rupees

  • બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સરકારી આવાસ યોજના નજીક વ્હોળામાં નીચાણવાળા ભાગમાં નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

ડીસાના (Deesa) નહેરુ નગર ટેકરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક યુવકની માથામાં તિક્ષ્ણ ધા મારી હત્યા (Sharp murder) કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ પોલીસે (Police) હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને કલાકોમાં જ યુવકને મોતને ઘાટ ઉતારનાર ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સરકારી આવાસ યોજના નજીક વ્હોળામાં નીચાણવાળા ભાગમાં નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે આ યુવકની હત્યા કોને કરી અને કયા કારણોસર કરવામાં આવી તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

જે બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચાર શખ્સોને જડપી પાડયા હતા. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૃતક નવીન માજીરાણાએ તારીખ 26 ના રોજ પ્રકાશ અને પૃથ્વીરાજ પાસે 20 રૂપિયા માંગ્યા હતા અને આ બંને જણાએ મૃતક નવીન માજીરાણાને પૈસા ન આપતા મૃતક નવીન માજીરાણાએ ઉશ્કેરાઈને તેમને ભૂંડી ગાળો બોલી હતી.

આ ગાળો બોલવાની અદાવતમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો સોમાજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા તેમજ બે આરોપી કિશોર વયના આમ આ ચારેય શખ્સોએ મૃતક નવીન માજીરાણાને વ્હોળા લઈ જઈ મૃતક નવીન માજીરાણાના માથાના ભાગે બે છરા વડે ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. તેવી કબુલાત કરી હતી જે બાદ પોલીસે હત્યામાં વપરાયેલ મોટરસાયકલ અને બે છરા કબજે કરી ચારેય શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં બે આરોપી કિશોર વયના હોવાથી પાલનપુર બાળ રિમાન્ડ હોમમાં મોકલી ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ વધુ તપાસ હાથ ધરી છે.

Young man loses his life for 20 rupees

નવા અવતારમાં જોવા મળશે તમારી પ્યારી વાન, નવા લુકના થઇ જશો દિવાના

crazy with a new look

  • મારૂતિ સુઝુકીની સૌથી મોટી સસ્તી 7 સીટર કાર ઇકોને આગામી સમયમાં ડિસકંટીન્યૂ કરવામાં આવી શકે છે, એટલે કે આ કોમર્શિયલ અને પેસેન્જર્સ વ્હીકલ બંધ થઇ શકે છે. આ સમાચાર સાંભળી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી.

મારૂતિ સુઝુકીની (Maruti Suzuki) સૌથી મોટી સસ્તી 7 સીટર કાર ઇકોને આગામી સમયમાં ડિસકંટીન્યૂ કરવામાં આવી શકે છે, એટલે કે આ કોમર્શિયલ અને પેસેન્જર્સ વ્હીકલ (Commercial and Passenger Vehicle) બંધ થઇ શકે છે. આ સમાચાર સાંભળી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી.

ભારતની સૌથી મોટી વાહન નિર્માતા મારૂતિ સુઝુકી ઇન્ડીયા લિમિટેડ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2022 સુધી નવી જનરેશન ઇકો વાન (New Generation Eco Van) લોન્ચ કરવાની છે. એક મિડીયા રિપોર્ટના હવાલેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપની 11 વર્ષ બાદ ભારતની સૌથી મોટી વેચાનાર વાનને સંપૂર્ણ નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કંપની આ કારની નિર્યાત શરૂ કરી શકે છે.

મારૂતિ સુઝુકી ઇકોના નેકસ્ટ જનરેશન મોડલને આ વર્ષે ફેસ્ટિવલ સીઝન સુધી લોન્ચ કરી શકે છે. ચાલો, હવે તમને ડિટેલમાં જણાવીએ કે મારૂતિ સુઝુકીની જે કાર અને વાન દર મહિને ખૂબ વેચાય છે, તેને ડિસકંટૂન્યૂ કેમ કરવામાં આવી શકે છે?

હાલની ઇકોના ફીચર્સમાં ઘણી ઉણપ છે અને તેમાં પાવર સ્ટીયરિંગ પણ નથી. તેમાં એસી પણ ઓપ્શનલ અને એક ઓછા વેરિએન્ટમાં છે. આ કાર સ્ટાર્ડન્ડ મોડલમાં પણ ડિસેમ્બર 201 બાદ ડુઅલ એરબેગ્સ અને એબીએસ આપવામાં આવ્યા છે. નહીતર પહેલાં ફક્ત ડ્રાવિંગ સીટ સુધી એરબેગ સીમિત હતે. વર્ષ 2010 માં મારૂતિ ઓમનીને ડિસકંટીન્યૂ કરી મારૂતિ ઇકો લોન્ચ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક કોસ્મેટેટિક અને મિકેનિકલ ફેરફાર કરવામાં આવ્યા હતા.

વિદેશી માર્કેટમાં આ કારને પોપ્યુલર બનાવવા માટે કંપની નવી જનરેશન ઇકોની સાથે પાવર સ્ટેયરિંગ આપવાની છે. 2010 પહેલીવાર લોન્ચ આ વાનને લોન્ચ કરવામાં આવી હતી અને લોન્ચને બે વર્ષમાં જ તેની 1 લાખ યૂનિટ વેચવામાં સફળ રહી હતી. 2018 માં આ કારના 5 લાખ યૂનિટનું વેચાણનું આંકડા કંપનીને પુરો કરવામાં આવ્યો હતો.

31 માર્ચ 2022 ને ખતમ થયેલા નાણાકીય વર્ષમાં ઇકો 9,500 યૂનિટ કંપનીએ ઘરેલૂ માર્કેટમાં વેચી છે. તમને જણાવી દઇએ કે આ સેગમેંટમાં મારૂતિ સુઝુકી ઇકો વાનનો કોઇ સીધો મુકાબલો નથી. એવામાં તેનું વેચાણ જોરદાર થાય છે. આ ઉપરાંત ખૂબ જલદી કંપની 5 દરવાજાવાળી જિમ્મી ઓફર રોડર પણ લોન્ચ થવાની છે જે સારા લુક અને શાનદાર અંદાજમાં આવશે. આ ઉપરાંત મારૂતિસુઝુકીએ પોતાનું વઅધુ ધ્યાન સીએનજી એગમેંટ પણ લગાવ્યું છે, કંપની હાલની કારોના સીએનજી વેરિએન્ટ લોન્ચ કરી શકે છે. જેમાં વિટારા બ્રેજા સીએનજી પણ સામેલ છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

crazy with a new look

જો આ તારીખે ટ્રેન દોડાવવામાં આવી… શીખ ફોર જસ્ટિસે હરિયાણાની ખટ્ટર સરકારને આ ધમકી આપી

0

If the train was run on this date

  • શીખ ફોર જસ્ટિસની આ ધમકીને ધ્યાનમાં રાખીને સમગ્ર હરિયાણાના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને હરિયાણાના અંબાલા અને કુરુક્ષેત્રમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન (Terrorist organization banned in India) શીખ ફોર જસ્ટિસના (Sikhs for Justice) ગુરપતવંત સિંહ પન્નુએ (Gurpatwant Singh Pannu) હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને ગૃહમંત્રી અનિલ વિજને ધમકી આપી છે. જીઆરપીને આપેલી ધમકીમાં પન્નુએ કહ્યું કે 3 જૂને હરિયાણામાં કોઈ ટ્રેન દોડાવવામાં આવશે નહીં, નહીં તો કોઈપણ અકસ્માત માટે હરિયાણા સરકાર જવાબદાર રહેશે. શીખ ફોર જસ્ટિસની આ ધમકીને ધ્યાનમાં રાખીને સમગ્ર હરિયાણાના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને હરિયાણાના અંબાલા અને કુરુક્ષેત્રમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

મોહાલીમાં થયેલા હુમલાની જવાબદારી પણ SFJએ લીધી હતી :

શીખ્સ ફોર જસ્ટિસે ગયા મહિને મોહાલીમાં ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટથી ચાલતા ગ્રેનેડ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પણ પન્નુ દ્વારા એક વોઈસ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેણે હુમલાની જવાબદારી લીધી હતી. પન્નુએ કહ્યું કે તેમના દ્વારા ધર્મશાલા વિધાનસભાની બહાર ખાલિસ્તાની ઝંડા પણ લગાવવામાં આવ્યા હતા.

પન્નુએ સીએમ ઠાકુરને ધમકી આપી હતી કે તેઓ 6 જૂન, 2022 ના રોજ મતદાનના દિવસે જનમત 2020 ઉભા કરે નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. શીખ્સ ફોર જસ્ટિસે કહ્યું કે કાં તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ મોહાલીના ગ્રેનેડ હુમલાથી બોધપાઠ લેવો જોઈએ કારણ કે તે શિમલાના હેડક્વાર્ટરમાં પણ થઈ શકે છે.

પંજાબી ગાયકોને ધમકી આપવામાં આવી હતી :

આ સિવાય શીખ ફોર જસ્ટિસે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કલાકો બાદ તમામ પંજાબી ગાયકોને ધમકી આપી હતી. ગુરપતવંત પન્નુએ બધાને ખાલિસ્તાન અભિયાનને સમર્થન આપવા કહ્યું હતું. પન્નુએ કહ્યું હતું કે, ‘મૃત્યુ નિશ્ચિત છે અને હવે ખાલિસ્તાન જનમતનો સમય આવી ગયો છે. પંજાબના ડીજીપી વીકે ભંવારાની પ્રેસ કોન્ફરન્સ બાદ પન્નુએ આ ધમકી આપી હતી. ભંવરાએ કહ્યું હતું કે ગેંગની દુશ્મનાવટને કારણે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

If the train was run on this date

લક્ષ્મી માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકો પર થશે અઢળક ધનવર્ષા

Gujarat Guardian 3 June RashiFal :

મેષ :
માનસિક શાંતિનો અનુભવ થાય. કાર્યક્ષેત્રો સફળતા મળતા આવક વધતી જણાય. વાહન સુખમાં વધારો. પરિવારના સભ્યો સાથે સ્નેહ જળવાય. ભાગ્યનો સાથ મળે છે.

વૃષભ:
સ્વભાવમાં જીદ્દી પણું વર્તાય. નાના ભાઈ બહેનોની સફળતાના સાક્ષી બની શકો. કાર્યક્ષેત્રે સાનુકુળતા નવા કાર્યોની શરૂઆત થતી જણાય. ટ્રાવેલીંગના ધંધાર્થીને વિશેષ લાભ.

મિથુન:
આનંદ ઉત્સાહમાં વધારો થાય. જીવન સાથી સાથે આનંદની અનુભૂતિ થાય. નવા કપડા, નવી વસ્તુ વસાવી શકો. આવકનું પ્રમાણ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કર્ક:
દિવસની શરૂઆત માનસિક અજંપાથી થતી જણાય. ખર્ચમાં વધારો અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતાં માનસિક શાંતિ, આવક જળવાય. દામ્પત્ય ક્ષેત્રે મધુરતા અનુભવાય.

સિંહ:
બપોર સુધી આનંદ ઉત્સાહ જળવાય. આર્થિક મોરચે સંતોષ. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થીઓને સફળતા. બપોર બાદ સાવચેતી જરૂરી.

કન્યા:
નોકરીયાતને શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. જુના મિત્રોનું મિલન, મુલાકાત થાય.

તુલા:
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે સફળતા મળતી જણાય. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. પરિવારમાં આનંદ, નોકરી, ધંધા ક્ષેત્રે સફળતા મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને.

વૃશ્ચિક:
બપોર સુધી ઉદાસીનતા અનુભવાય. શરદી, ખાંસીનો અનુભવ થાય. આરોગ્ય સાચવવું. પાણીથી દૂર રહેવું. બપોર બાદ મોડેથી પરિસ્થિતિ થાળે પ઼ડતી જણાય. ભાગ્યનો સાથ મળે. આવક જળવાય.

ધન:
માન અન્માનમાં વધારો થાય. સ્ત્રી વર્ગથી ફાયદો ધંધાકીય ક્ષેત્રે સફળતા. નોકરીયાતને આનંદ નવા વાહનની ખરીદી શકય બને. મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે. નાણાંકીય બાબતોમાં સફળતા.

મકર:
બીજાને મદદ કરવાની વૃત્તિ પ્રબળ બને. નવું શીખવાના યોગ બને છે. ભાગ્ય મજબૂત. બપોર સુધી આરોગ્ય સાચવવું. પરિવારના સ્ત્રી વર્ગને વિશેષ સાવધાની જરૂરી. બપોર બાદ આનંદમાં વધારો.

કુંભ:
આવકનું પ્રમામ જળવાય છતાં ખોટા ખર્ચા ટાળવા. વિદેશ સંબંધી બાબતોથી લાભ, સંતાનો સાથે આનંદ મનમેળ વધે. વિદ્યાર્થી વર્ગને સફળતા. બપોર બાદ આરોગ્ય કથળતું જણાય.

મીન:
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહ બરકરાર રહે. આવક જળવાય. પરિવારમાં મનમેળ રહે. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. યશ, પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Gujarat Guardian 3 June RashiFal :

પ્રેગ્નેન્સી પર બનેલી આ જાહેરાત ઝડપથી વાયરલ થઈ રહી છે, મહિલાઓ જોવાનું ના ભૂલે

0

ad made on pregnancy is rapidly

  • જ્યારે મહિલાઓ માતા બનવાની હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમના આહારમાં કોઈ કમી ન રહે. આ સમય દરમિયાન, સ્ત્રીઓને મોટાભાગે આયર્નની ઉણપનો સામનો કરવો પડે છે. જો કે આયર્ન દરેક પ્રકારના દિવસોમાં મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. પરંતુ તે ગર્ભવતી મહિલાઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે. આયર્નની ઉણપનો ભોગ માત્ર માતા જ નથી, પરંતુ તેના બાળકને પણ ભોગવવું પડે છે. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓના આહારમાં આયર્નનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું (Woman’s dream) હોય છે. કોઈપણ પરિણીત મહિલા માટે આ ક્ષણ જીવવું સૌથી સુખદ માનવામાં આવે છે. આ તે સમયગાળો છે જ્યારે સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. એટલું જ નહીં, આ ખૂબ જ નાજુક સમયને કારણે, મહિલાઓને ઘણી સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવે છે.

જ્યારે મહિલાઓ માતા બનવાની હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમના આહારમાં કોઈ કમી ન રહે. આ સમય દરમિયાન, સ્ત્રીઓને મોટાભાગે આયર્નની ઉણપનો સામનો કરવો પડે છે. જો કે આયર્ન દરેક પ્રકારના દિવસોમાં મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે, પરંતુ તે ગર્ભવતી મહિલાઓ માટે સૌથી મહત્વપૂર્ણ છે. આયર્નની ઉણપનો ભોગ માત્ર માતા જ નથી, પરંતુ તેના બાળકને પણ ભોગવવું પડે છે. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓના આહારમાં આયર્નનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.

તે જ સમયે, ‘પ્રોજેક્ટ સ્ત્રીધન’ એ ભારતીય સગર્ભા સ્ત્રીઓમાં આયર્નની ઉણપ વિશે જાગૃતિ માટે એક વિશેષ જાહેરાત કરી છે. તે ગર્ભાવસ્થા દરમિયાન બેબી શાવરની વિધિ દર્શાવે છે. આ જાહેરાતમાં ગર્ભવતી મહિલાને બેબી શાવર સમયે સોનું અને ચાંદી આપવાને બદલે આયર્નની ઉણપ ધરાવતા તત્વોને ભેટ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ જાહેરાત ગર્ભવતી મહિલાઓમાં આયર્નની ઉણપને પહોંચી વળવા દબાણ કરી રહી છે. આ જાહેરાત ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે, જેને જોઈને તમારી આંખો પણ રોકાઈ જશે. આ વીડિયો સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

જાહેરાતમાં એક ગર્ભવતી મહિલા મકાઈ, ચેરી, દાડમ અને લાલ બેરી ખાતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બધી વસ્તુઓ આયર્નની ઉણપને પૂરી કરે છે. આવી સ્થિતિમાં ‘પ્રોજેક્ટ સ્ત્રીધન’ એ એક જાહેરાત દ્વારા જણાવ્યું છે કે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય, ત્યારે તેણીને બેબી શાવરમાં સોના અને ચાંદી કરતાં વધુ આયર્નની ઉણપને પુરી કરતી ફૂડ સપ્લિમેન્ટ્સ ગિફ્ટ કરો જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર, ભારતના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરના ભૂતકાળમાં બાળકો અને મહિલાઓમાં એનિમિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તે જ સમયે, વર્ષ 2019 માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર, 68.4 ટકા બાળકો અને 66.4 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. ભારતની ઘણી સ્ત્રીઓમાં આયર્નની ઉણપ જોવા મળે છે.

ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાના લક્ષણો :

– સ્ત્રીને થાક લાગશે.
– માથું દુખે છે.
– ત્વચા પીળી પડવા લાગે છે.
– શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
-કોઈ વસ્તુની તૃષ્ણા અથવા બરફ ખાવા માંગે છે.
– બ્લડ પ્રેશર ઓછું થાય છે.
– ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી.

આવી સ્થિતિમાં, આ જાહેરાતે માત્ર લોકોમાં જાગૃતિનું કામ કર્યું નથી પરંતુ ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખ્યું છે. વિડિયો જુઓ –

 

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

ad made on pregnancy is rapidly

 

સુરેશ રૈના ગદા સાથે વર્કઆઉટ કરતો જોવા મળ્યો, ચાહકોએ કહ્યું- ધોની હજુ પણ તમને ટીમમાં નહીં લેશે.

0

Suresh Raina was seen working

  • સુરેશ રૈના IPL 2022 મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહ્યા. હવે તેનો ગદા સાથે વર્કઆઉટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રૈના તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે.

વિશ્વની સૌથી વધુ જોવાયેલી લીગ IPLની 15મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનમાં મિસ્ટર આઈપીએલના નામથી ફેમસ સુરેશ રૈના (Suresh Raina) રમતા જોવા મળ્યો ન હતો. હવે રૈનાનો ગદા સાથે વર્કઆઉટ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેના પર ફેન્સે ફની રિએક્શન આપ્યા છે.

રૈના ગદા સાથે જોવા મળ્યો હતો :

ભારતના પૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગદા સાથે કસરત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે મેસ બજરંગ બલી ટાઈપ જેવી લાગે છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે કે શું હું તમારી સાથે થલાઈવા આવી શકું છું. ઘણા યુઝર્સે આ વીડિયો પર લવ ઈમોજી બનાવ્યા છે. તે જ સમયે, એક પ્રશંસકે ટિપ્પણી કરી અને લખ્યું કે હવે પણ ધોની તમને ટીમમાં લેશે નહીં.

મેગા ઓક્શનમાં અનસોલ્ડ હતા :

સુરેશ રૈનાને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યો નહોતો. આ પછી સુરેશ રૈના, જેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી, તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. જ્યારે રૈનાએ પોતાના દમ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી મેચો જીતી છે. રૈના તેની જ્વલંત બેટિંગ માટે પ્રખ્યાત છે. CSKની ટીમ IPL 2022માં સુરેશ રૈનાને ચૂકી હતી. જ્યારે ટીમ 10 મેચ હાર્યા બાદ પ્લેઓફમાં પહોંચી શકી નથી.

CSK માટે સૌથી વધુ રન બનાવ્યા :

CSK તરફથી સુરેશ રૈનાએ સૌથી વધુ રન બનાવ્યા છે. રૈનાએ IPLમાં રમાયેલી 205 મેચોમાં 32.32ની એવરેજથી 5528 રન બનાવ્યા છે. તેમાં વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા અને ડેવિડ વોર્નર આગળ છે. રૈના આ સિઝનમાં આ ખેલાડી તરીકે જોવા મળ્યો ન હતો, પરંતુ રૈનાએ કોમેન્ટ્રી દ્વારા પોતાની છાપ છોડી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Suresh Raina was seen working