Home Blog Page 1421

વેકેશન પૂરું / સોમવારથી ‘સ્કૂલ ચલે હમ…’: કોરોના વધ્યો હોવાથી તંત્ર સૌથી પહેલા કરશે આ કામ  

0

Vacation ends / ‘School chale hum …’ from Monday:

  • કોરોના કેસોમાં વધારો આવતો હોવાથી અમદાવાદ મનપા દ્વારા સ્કૂલો શરૂ થવાની સાથે જ સર્વે કરી બાળકોના વેકસીનેશન અભિયાનને વેગવંતુ બનાવવામાં આવશે.

ઉનાળુ વેકેશન (Summer vacation) પૂરું થવાને આરે છે. લાંબી રજાઓ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે. બીજી તરફ કોરોનાના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓનો ફરીથી સર્વે કરીને વેક્સિનની કામગીરી પર ભર મૂકવામાં આવશે આ અંગે વાલીઓને પણ જાગૃત કરવામાં આવશે.

ઘરમાં પડેલી વાસી રોટલી દાનમાં આપતા હોવ તો ખાસ જાણી લેજો, આ વસ્તુઓ આપવાથી પુણ્યની જગ્યાએ થશે નુકસાન

0

If you donate stale bread lying

  • દેવી-દેવતાઓની કૃપા રાખવા માટે માણસ વારંવાર ધાર્મિક ગ્રંથોમાં લખેલી ચીજ વસ્તુઓનું અનુસરણ કરે છે. પોતાના આરાધ્ય દેવી-દેવતાનો પૂજા-પાઠ કરે છે. વ્રત રાખે છે અને આ સાથે દાન વગેરે કરે છે. જેને કારણે દેવી-દેવતાની કૃપા જળવાઈ રહે.

જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) દાનને લઇને અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં અમુક વસ્તુઓનું દાન માણસને મોંઘુ પડી શકે છે. ઘરમાં કંકાશ-કલેશ (Conflict) વધારી શકે છે. તેથી અમુક વસ્તુઓનુ દાન ભૂલથી પણ ના કરવુ જોઈએ.

ભૂલથી પણ દાનમાં ના આપશો આ વસ્તુઓ :

સ્ટીલના વાસણ :

પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે વારંવાર લોકો એવી ચીજ વસ્તુઓનું દાન કરે છે, જે જ્યોતિષ મુજબ ભૂલથી પણ ના કરવુ જોઈએ. જેમાંથી એક સ્ટીલનુ વાસણ પણ છે. કહેવાય છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી માણસના પરિવાર અને સુખ-સમૃદ્ધી પર ઊંડો પ્રભાવ પડે છે.

ગ્રંથનુ દાન :

અધૂરી જાણકારીથી પુણ્યનુ કામ કરવુ પણ ઘણી વખત હાનિકારક બની શકે છે. માન્યતા છે કે કોઈ પણ જરૂરીયાતમંદને બુક, ચોપડી અને ગ્રંથ વગેરે દાન કરવુ ખૂબ શુભ હોય છે. પરંતુ દાન કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તે બુક ફાટેલી ના હોવી જોઈએ ત્યારે આ દાનનું મહત્વ છે. દાન કરતી વખતે માણસના વિચાર સ્પષ્ટ હોવા જોઈએ ત્યારે પુણ્યનું ફળ મળશે. નહીંતર માણસને દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે.

12 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોના તમામ કષ્ટો કરશે દુર

12 June 2022, horoscope Gujarat Guardian

મેષઃ-

બપોર સુધી માન‌િસક સ્વસ્થતા જળવાશે. આવક ની પરિસ્થિતિ સારી રહેશે. પરિવાર માં આનંદ જણવાશે. કાર્ય માં સફળતા મ‍ળતી જણાય. નોકરી ધંધા માં લાભ. બપોર બાદ આવક ધટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવન માં સંતોષ.

વૃષભઃ-

બપોર સુધી આપની તથા પરિવારના સ્ભયોની તબિયત ની કાળજી રાખવ જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે બપોર પછી પરિસ્થિતિ માં સુધારો થતો જણાય થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખ માં પણ વૃઘ્ધિ થાય.

મિથુનઃ-

આર્થિક દરમ્યાન બાબતો અંગે સારો દિવસ. પરિવાર માં પણ શાંતિ રહે. રોકામો માંથી લાભ. નોકરી-ધંધા માં સફળતા. સંતાન સુખ માં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિ માં ધટાડો થતો જણાય. આવક ધટે, નોકરી માં ચિંતા તથા આરોગ્ય સાચવવું.

કર્કઃ-

દિવસ દરમ્યાન શુભ ફળ નો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને, નવું જાણવાનો યોગ બને. ધંધા માં લાભ. મિત્રો નો સહકાર મળે.

સિંહઃ-

થોડા નકારાત્મક વિચારો સતાવે, છતાં આવક વધતી જણાય. કુટુંભ માં સંપ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્તાવર જંગમ મિલકત થી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારું રહે. દામ્પત્ય જીવન માં મધુરતા રહે.

કન્યાઃ-

નાણાં ની વૃઘ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેન ની સફળતા થી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી માતાની  તબિયત નું ધ્યાન રાખવું.આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.

તુલાઃ-

જુસ્સો, ચાણક્ય નીતી સાચું ખોટંુ  પારખવાની કુદરતી શકિત માં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવક નો નવો સ્ત્રાેત ખુલતો જણાય. ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર કાચ. પ્લાસ્ટિક ના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.

વૃશ્ચિકઃ-

બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવક માં ધટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સા માં વધારો થાય. ન્યાયી વલણો રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બૅંકીંગ,શિક્ષણ, ઇન્કમટેકક્ષ, સેલ્સટેક્ષ ના ધંધાવાળા માટે પ્રગતિ.

ધનઃ-

બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રો નો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ધટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું.ખર્ચ ધટાડવો.

મકરઃ-

આનંદ ની અનુભૂતી થાય. નિર્ણય શકિત વધે. પૈસા નો બગાડ અટકાવવો,નોકરી-ધંધા માં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મલે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.

કુંભઃ-

ભાગ્યમાં વૃઘ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ નું આયોજન શકય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃઘ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.

મીનઃ-

દિવસ ની શરૂઆતમાં તબિયત માં ઢીલાસ રહે. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્ય નો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આધાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે હિંસા, દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

0

West Bengal : Violence for the second

  • નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ બંગાળમાં સતત બીજા દિવસે હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

નુપુર શર્માની (Nupur Sharma) વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ બંગાળમાં (West Bengal) સતત બીજા દિવસે હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો (Stoned) કર્યો હતો. જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડીને ભીડને વિખેરી નાખી હતી. મળતી માહિતી મુજબ, નવીનતમ વિકાસ હાવડાના પંચલા બજારનો છે. અહીં પોલીસ અને પ્રદર્શનકારીઓ (Demonstrator) વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

હિંસાને પગલે હાવડાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે સ્ટેશનોના ભાગોમાં અને તેની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે કલમ 144 15 જૂન સુધી લાગુ રહેશે.

#જુઓ | પશ્ચિમ બંગાળ: હાવડાના પંચલા બજારમાં પોલીસ અને વિરોધીઓના જૂથ સાથે તાજી અથડામણ થઈ. દેખાવકારોએ પથ્થરમારો કરતાં પોલીસ તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરે છે.

 

ગઈકાલે પણ ઘણી જગ્યાએ આગચંપી થઈ હતી :

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં શુક્રવારની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના સભ્યોએ પ્રદર્શન કર્યું. શુક્રવારની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા અને નુપુર શર્માની ધરપકડની માંગ કરી. આ સિવાય પશ્ચિમ બંગાળના હાવડામાં પણ ભારે હંગામો થયો હતો. શુક્રવારની નમાજ પછી, મોટી સંખ્યામાં નમાઝીઓએ હાવડામાં નેશનલ હાઈવે 116 બ્લોક કરી દીધો અને આગ લગાવી દીધી. આ દરમિયાન વાહનો, એમ્બ્યુલન્સ, પોલીસ વાહનો, ફાયર ટેન્ડર અને ટ્રક વગેરે ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. સીએમ મમતા બેનર્જીએ પ્રદર્શનકારીઓને રસ્તો સાફ કરવાની અપીલ કરી હતી. લગભગ 10 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘાતક બોલરને ટીમમાંથી બહાર કરીને પંતે કરી મોટી ભૂલ, બીજી T20માં રમવાનો નિર્ણય કર્યો !

0

This deadly bowler out of the tea

  • IND vs SA T20 શ્રેણી : બીજી T20 મેચમાં, ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઘાતક ફાસ્ટ બોલરની એન્ટ્રી થઈ શકે છે. આ બોલર તેની ઝડપી ગતિ માટે જાણીતો છે.

IND vs SA T20 સિરીઝ : ટીમ ઈન્ડિયા (Team India) 12 જૂને દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની પ્રથમ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સીરીઝની પ્રથમ મેચ હારી ગઈ છે. બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયામાં યુવા ફાસ્ટ બોલરને (Young fast bowler) સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડી તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે.

આ ઘાતક બોલરની એન્ટ્રી થશે :

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં અવેશ ખાન સિવાય તમામ બોલરોએ 10ની ઇકોનોમીમાં 10 કે તેથી વધુ રન ખર્ચ્યા હતા. આવી સ્થિતિમાં બીજી ટી20 મેચમાં ભારતના સૌથી ઝડપી બોલરોમાંથી એક ઉમરાન મલિક પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. IPL 2022 પછી, ઉમરાન મલિકની ચર્ચા દરેક જગ્યાએ છે. તે પોતાની ઝડપી ગતિથી તમામ બેટ્સમેનો માટે આફત બની ગયો છે.

ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે :

ઉમરાન મલિકે IPLમાં પોતાની ગતિએ બેટ્સમેનોને પરસેવો છૂટવા મજબૂર કરી દીધા હતા. તેઓ આ શ્રેણીમાં પ્રથમ તકની રાહ જોઈ રહ્યા છે. તેણે આ IPL સિઝનમાં 157 KMPHની ઝડપે બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા હતા. ઉમરાન સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. તેની ઝડપ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે, જે મેચ પણ જીતી શકે છે.

આફ્રિકન છાવણીમાં ડર :

ઉમરાન મલિકે IPL 2022ની 14 મેચમાં 22 વિકેટ લીધી હતી. આ સીરીઝની શરૂઆત પહેલા જ આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ટીમ ઈન્ડિયા માટે ઉમરાન જેવો બોલર હોવો રોમાંચક છે. કોઈપણ બેટ્સમેન એવા બોલરનો સામનો કરવા માંગતો નથી જે 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરે છે. તે ટીમ ઈન્ડિયા માટે એક મોટી શોધ છે.’

 

સરકારની યોજના માટેના સોગંદનામાને લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે નહીં આપવા પડે 300-500 રૂપિયા

0

For government schemes

  • મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી.’

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) વડોદરામાં (Vadodara) સરકારની યોજનાને લઇને સૌથી મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં સરકારની યોજનાને (Government plan) લઇને રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારની (Government of Gujarat) યોજના માટે હવે સોગંદનામાની જરૂર નથી. લોકોને સેલ્ફ ડેક્લેરેશન કરવું પડશે. મને કોઇએ કીધું કે, સોગંદનામાના બહાને ઓફિસ બહાર 300-500 રૂપિયા લેવાય છે. આથી હવે સોગંદનામા માટે કોઈ રૂપિયા ન આપતા. કલેક્ટરને પણ આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપી છે. આગામી 15 દિવસમાં કલેક્ટર પણ આ મામલે કાર્યવાહી કરશે.’

નર્મદા ભવન બહાર સોગંદનામાના બહાને આજે પણ લેવાય છે 300-500 રૂપિયા

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એવાં નિર્ણયો લીધા છે કે જેમાં પહેલાં આપણે સોગંદનામા કરવા પડા હતા, મને કોઇએ કીધું હતું કે, હજુ પણ કલેક્ટર ઓફિસની બહાર અથવા તો નર્મદા ભવનમાં ત્યાં કેટલાંક લોકો સોગંદનામું કરવું પડે એમ કહીને 300 રૂપિયા-500 રૂપિયા લે છે. પણ હવેથી સોગંદનામા કરવાના નથી. આ નિર્ણયને માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રીએ અનુમતિ આપી દીધી. જેનાથી લાખો લોકોને ફાયદો.

ગુજરાત સરકારની યોજનાની અંદર કરવામાં આવતા સોગંદનામા હવે નાબૂદ થયા છે. કલેક્ટરે પણ હમણાં મને માહિતી આપી કે ત્યાં આગળ જે કંઇ તકલીફો છે તે તકલીફો 15 દિવસ પછી એટલે કે કલેક્ટરે આ અંગે આયોજન કરી દીધું છે પરંતુ તેઓનું આયોજન જાહેર નથી કરવું. કારણ કે એમનો નંબર પછી આ નિર્ણયમાં પહેલો નહીં આવે. કોઇ બીજું તુરંત તેમનું જોઇને આવું કરશે. પરંતુ 15 દિવસ બાદ જ્યારે પાછા મળીએ ત્યારે યાદ કરાવજો કે પેલી વાતનું શું થયું ?

ધરમ કરતા ધાડ પડી ! એક પક્ષી માટે બે પરોપકારી લોકોએ હોમી દીધું પોતાનું જીવન, જુઓ હૃદયદ્રાવક વીડિયો

0

Two philanthropists gave their lives

  • બાન્દ્રા-વરલી સી લિંક ઘાયલ થયેલા એક પક્ષીને બચાવવા માટે કારમાંથી ઉતરેલા બે લોકો પર પાછળથી આવતી કાર ફરી વળી હતી.

પરોપકારી લોકો તો પોતાના જીવનો ભોગ આપીને પણ બીજાને બચાવતા હોય છે. મનુષ્ય તો શું એક પક્ષીને બચાવવા માટે મુંબઈના બે વ્યક્તિઓ તેમનું જીવન ન્યોચ્છાવર કર્યું હોવાની એક હૃદયદ્રાવક ઘટના મુંબઈમાં (Mumbai) બની છે જેમાં બાંદ્રા-વરલી સી લિંક (Bandra-Worli Sea Link) પર એક ઘાયલ પક્ષીને બચાવવા માટે પોતાની કારમાંથી નીચે ઉતરેલા બે લોકો પર પાછળથી આવતી કાર ફરી વળી હતી જેમાં બન્નેના મોત થયા હતા.

પોતાની કારની ટક્કરથી પક્ષી થયું હતું ઘાયલ, તેને બચાવવા રસ્તા પર ઉતર્યાં  :

બાંદ્રા-વરલી સી લિંક પર એક ઘાયલ પક્ષીને બચાવવા માટે પોતાની કારમાંથી નીચે ઉતરેલા 43 વર્ષીય ઉદ્યોગપતિ અને તેના ડ્રાઇવરનું 30 મેના રોજ ટેક્સી સાથે અથડાયા બાદ મોત નીપજ્યું હતું.

ઘટનાનો વીડિયો થયો વાયરલ :

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે 30 મેના રોજ બપોરે આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે નેપીંસી રોડનો રહેવાસી ઉદ્યોગપતિ અમર મનીષ જરીવાલા મલાડ તરફ જઇ રહ્યો હતો.બાંદ્રા વરલી સી લિંક પર રસ્તામાં, એક પક્ષીને તેમની કારે ટક્કર મારી હતી, જેના પગલે જરીવાલા ઘાયલ પક્ષીને બચાવવા નીચે ઉતર્યા હતા. એક ઝડપી ટેક્સીએ જરીવાલા અને તેના ડ્રાઇવર શ્યામ સુંદર કામતને ટક્કર મારી હતી.

મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિરોધમાં આવતીકાલે બારડોલીથી અમદાવાદ ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’, PAASનું સમર્થન

0

Tomorrow in protest of the renaming of Motera Stadium

  • મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિરોધમાં બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજાશે.

  • બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા

PAAS દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને સમર્થન આપવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) યાત્રામાં જોડાવા જાહેરાત કરી છે. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) નું નામ બદલવાના વિરોધમાં તેઓ યાત્રા કરશે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ કરાશે. સ્ટેડિયમનું નામ ફરીવાર સરદાર પટેલ કરવાની માંગ કરવામાં આવશે. બારડોલીથી ‘સરદાર સંકલ્પ યાત્રા’ કાઢી આ મુદ્દે વિરોધ કરાશે. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા નીકાળવામાં આવશે. યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે પહોંચશે.

‘મોટેરા સ્ટેડિયમ’નું નામ બદલવા 12મી જૂનથી શરૂ થશે ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’

તમને જણાવી દઇએ કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ નામ બદલાવતા જ પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સરદાર પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે ‘સરદાર સંકલ્પ આંદોલન સમિતિ’ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

જેને લઈને આગામી 12 જૂને ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજાશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાશે. આ યાત્રામાં કોંગ્રેસ ભાજપ નહીં પરંતુ પાટીદાર સમાજના તમામ લોકો જોડાય એવી અપીલ કરવામાં આવી છે. તો હવે તેઓની સાથે PAAS દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને સમર્થન આપવામાં આવ્યું છે.

બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન :

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આગામી 12 જૂનથી સરદાર ‘સન્માન સંકલ્પ’ થકી અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે ચળવળ શરૂ કરવામાં આવશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ આપવામાં આવ્યું હતું. જેને લઇને આ વિવાદ સર્જાયો છે.

સાઉદી અને કુવૈતથી ભારતને પેટ્રોલ નહીં મળવાની ‘અફવા’ બાદ સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા લોકો

0

No petrol to India from Saudi and Kuwait

  • અફવાએ જોર પકડતા અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર લોકોએ વાહનોમાં ઈંધણ પુરાવવા દોટ મૂકી હતી.

અમરેલીના (Amreli) સાવરકુંડલામાં (Savarkundla) પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી (Saudi Arabia and Kuwa) ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.

પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા :

IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, ઓછા ખર્ચમાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો ડિટેલ્સ

0

IRCTC brings special tour package

  • કેદારનાથ ધામની પવિત્ર યાત્રા આજથી શરૂ થઈ રહી છે. ત્યાં જ બદ્રીનાથ ધામના કપાટ 8 મેથી ખુલી જશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર 10 જૂનથી શરૂ થશે.

બદ્રીનાથ ધામની (Badrinath Dham) પવિત્ર યાત્રા 8 મેથી શરૂ થઈ રહી છે. જ્યારે કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે. જો તમે પણ ચારધામ યાત્રા (Chardham Yatra) પર જવા માંગો છો તો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ચાર ધામ યાત્રા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવી રહ્યું છે. આ ટૂર પેકેજમાં શ્રદ્ધાળુઓને દરેક મહત્વપૂર્ણ તીર્થોના દર્શન કરવાનો મોકો મળશે. શ્રદ્ધાળુઓને (Devout) એક નક્કી રકમમાં યાત્રા વખતે રહેવા, ભોજન અને ટ્રાવેલ કરવા માટે પ્લેન અને ગાડીઓની સુવિધા આપવામાં આવશે.

કેટલા દિવસની છે ટૂર ? 

11 રાત્રી અને 12 દિવસનું આ ટૂર 10 જૂન 2022એ ઓડિશાના ભુવનેશ્વરથી શરૂ થશે અને 21 જૂને સમાપ્ત થશે. ભુવનેશ્વરથી શ્રદ્ધાળુઓને પ્લેન દ્વારા નવી દિલ્હી લઈ જવામાં આવશે. આ યાત્રામાં ભક્તોને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રીની સાથે જ ગુપ્તકાશી, બરકોટ, હરિદ્વાર, સોનપ્રયોગ વગેરે સુંદર અને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે.

જાણો કેટલો થશે ખર્ચ :

આ ટૂર પેકેજનો ખર્ચ 60,000 રૂપિયાથી શરૂ થશે. તેની બુકિંગ IRCTCની વેબસાઈટ  irctctourism.com પર જઈને કરી શકાય છે.  IRCTCના કાર્યાલયોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

મળશે આ સુવિધાઓ :

એક રિપોર્ટ અનુસાર આ પેકેજમાં મુસાફરોને વિમાનમાં ભુવનેશ્વરથી દિલ્હી લાવવામાં આવશે અને પાછા લઈ જવામાં આવશે. તીર્થયાત્રીઓને 11 રાત માટે ડીલક્સ હોટેલ અથવા રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને AC વાહનમાં ચારધામ લઈ જવામાં આવશે.

IRCTC તમામ સ્થળોની મુલાકાત લેવા માટે ગાડી ઉપલબ્ધ કરાવશે. સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરો માટે નાસ્તો અને રાત્રિભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવશે. IRCTC ટૂર મેનેજર સમગ્ર પ્રવાસ દરમિયાન મુસાફરોની સાથે રહેશે. મુસાફરોએ પાર્કિંગ ચાર્જ, ટોલ ટેક્સ અને અન્ય કોઈ ખર્ચો ચૂકવવા પડશે નહીં.