Home Blog Page 1409

22 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને ગણપતિ બાપાની અસીમ કૃપાથી દરેક કાર્યમાં મળશે સફળતા

22 June 2022, horoscope Gujarat Guardian

મેષઃ- ધર્મ નીતી અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મળવી શકશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્રે સંબંધિત કાર્યોમાં સાવઘાની રાખવી હિતાવહ.

વૃષભઃ- મોજ-શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શકયતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂં. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ- દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણો નું સારૂં ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ- આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાન નો દલાલી, રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનો ની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ- ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં લસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધાંમાં નવી તક મળતી જણાય.

તુલાઃ- સંધર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવાર માં અસંતોષની ભાવના વધે. અગત્યની કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃદ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ નાના-ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ- હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ- આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ- ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

‘પુષ્પા 2’ને લઈ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ પણ, શું શ્રીવલ્લીનું થઈ જશે મોત ?

‘Pushpa 2’, will Srivalli

અલ્લૂ અર્જૂન (Allu Arjun) અને રશ્મિકા મંધાના (Rashmika Mandha) અભિનીત ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. ફિલ્મના સોંગ, હૂક સ્ટેપ અને ડાયલોગ દર્શકોના દિલ અને દિમાગમાં છવાઈ ગયા. સાઉથ જ નહીં હિન્દી વર્ઝને (Hindi version) પણ કમાણીના ઘણા રેકોર્ડ તોડી દીધા. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંધાનાની પોપ્યુલારિટી હજુ વધી ગઈ. ફિલ્મના પહેલા ભાગ બાદ તેના બીજા ભાગની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. ‘પુષ્પા 2’ જલદી જ ફ્લોર પર આવશે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં બદલાવના સમાચાર છે.

રિપોર્ટ્સ મુજબ, ‘પુષ્પા 2’મા રશ્મિકા મંધાના એટલે કે શ્રીવલ્લીની ભૂમિકા નાની કરી દેવામાં આવી છે. ફિલ્મમાં શ્રીવલ્લીનું મોત દેખાડી શકાય છે. નિશ્ચિતરૂપે રશ્મિકાના ફેન્સ તેનાથી નિરાશ થશે. સોશિયલ મીડિયા યુઝર્સ પાર્ટં 2માં ફહાદ ફાસિલ અને રશ્મિકા મંધાનાની ભૂમિકાને લઈને અટકળો લગાવી રહ્યા છે. એવા સમાચાર છે કે, ફિલ્મના વિલન (ફહાદ ફાસિલ) દ્વારા શ્રીવલ્લીને મારી નાખવામાં આવે છે, જેથી અલ્લૂ અર્જૂનનું પાત્ર ગુસ્સામાં ભરાઈ જાય છે. જોકે અત્યાર સુધી મેકર્સ તરફથી તેના પર કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ડિરેક્ટર સુકુમારની આ ફિલ્મ જુલાઇના અંતમાં ફ્લોર પર જશે. પહેલા જુલાઈની શરૂઆતમાં શૂટિંગના સમાચાર હતા. પુષ્પા જે રીતે હિટ થઈ, ત્યારબાદ મેકર્સ બીજા ભાગને લઈને કોઈ કસર છોડવા માગતા નથી. આ કારણે પણ ફિલ્મના ફ્લોરમાં જવામાં મોડું થઈ રહ્યું છે. ‘પુષ્પા 2’ને પણ પેન ઇન્ડિયાના દર્શકો માટે બનાવવામાં અવશે. અલ્લૂ અર્જૂને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બીજા ભાગને હજુ વધારે ભાષાઓમાં રીલિઝ કરવાનો પ્રયત્ન હશે, જેથી તેની ઓળખ હજુ વધે.

ફિલ્મના હિન્દી વર્ઝનને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો, તેની તેમને આશા નહોતી. આ કારણે ‘પુષ્પા 2’ને લઈને તેઓ વધુ તૈયારીઓ સાથે બોક્સ ઓફિસ પર ઉતરશે. મેકર્સ વર્ષ 2023ના મધ્ય સુધીમાં ફિલ્મને રીલિઝ કરવા માગે છે. એક રિપોર્ટ મુજબ અલ્લૂ અર્જૂનના પાત્ર પુષ્પા રાજને જંગલોથી આગળ કાઢીને પોર્ટ્સ સુધી ટ્રાવેલ કરતો દેખાડવામાં આવશે. તેની મુસાફરી લંડનની છોકરીઓની સ્મગલિંગ માટે સાઉથ ઈસ્ટ એશિયન દેશો સુધી દેખાડવામાં આવશે, જેના કારણે રશ્મિકાના પાત્ર શ્રીવલ્લીની ભૂમિકા સમેટાઈને રહી જવાની છે.

 Agnipath scheme : ભાવનગરના યુવાને રાજનાથ સિંહને લોહીથી લખ્યો પત્ર, આ ઈચ્છા વ્યક્ત કરી  

0
  • શાળામાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હતો.

અગ્નિપથ યોજનાના (Agnipath scheme) વિરોધમાં (Agnipath scheme protest) આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આખા દેશમાં અનેક રાજ્યોમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજાનાના કારણે બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાતમાં નહીંવત અસરની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) 23 વર્ષના દિપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને (defense minister Rajnath Singh) પોતાના લોહીથી પત્ર લખ્યો છે. જેમા યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે હાલ સરકારી સંપત્તિને (Government property) નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ આવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.

ગુજરાતી યુવાને લોહીથી લખ્યો પત્ર :

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલ દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાન દિપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે હાલ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.

ટીમાણા ગામના વતની દિપક ડાંગરે કહ્યું હતું કે, હાલ કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દેશદાઝની ભાવના બાળપણથી માતા-પિતા પાસેથી મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવે છે. સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.

શાળામાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હતો. તેમણે દયાપરના આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં એકઠું કરીને પત્રમાં લખાણ કર્યું હતું, જેમાં સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના ફરજ બજાવવાની તૈયારી દર્શાવી છે.

ગણદેવી અંબિકા નદી દેવધા ડેમના દરવાજા ખોલાયા. હેઠવાસ ના ગામોને એલર્ટ કરાયા

0

The gates of Ganadevi Ambika

  • ચોમાસામાં પુર સંકટ ટાળવા માટે બીલીમોરા નજીક અંબિકા નદી પરના દેવધા ડેમનાં તમામ ૪૦ દરવાજા ખોલી દેવાયા છે.

અંબિકા નદી (Ambika river) ઉપર દેવધા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદ વરસતા પાણીનો આવરો આવ્યો હતો. પરીણામે નીચાણવાળા વિસ્તારોમાં (Low lying areas) વરસાદી પાણીના પૂર ફરી વળવાની સંભાવના ઉભી થઈ હતી. જેને પગલે મંગળવાર સવારે તમામ ૪૦ દરવાજા ખોલી દેવાયા હતા. જેને કારણે ફરી અંદાજીત પાંચ એમસીએમ જેટલું શુદ્ધ જળ દરીયામાં પગ કરી ગયુ હતું.

પુર પ્રકોપ ટાળવા પ્રતિવર્ષ ચોમાસાના આગોતરા આયોજન મુજબ ડેમના દરવાજા જૂન મહિનામાં ખોલવામાં આવતા હોય છે. તમામ દરવાજા ખોલી દેવાયા બાદ પણ ડેમ માં ૧.૪૫ એમસીએમ જેટલો શુદ્ધ પાણી નો જથ્થો સંગ્રહિત રહે છે.ડેમ ના દરવાજા ખોલાતા માછીમારો ને તડાકો પડ્યો હતો. ગણદેવી ડ્રેનેજ પેટા વિભાગ ના અધિકારી ખુશ્બુ પટેલ, આર એસ પંડ્યા અને પ્રતિક પટેલ એ કામગીરી પાર પાડી હતી.

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર સંકટ, આ રહ્યું સુરત આવેલા નારાજ ધારાસભ્યોનું સંપૂર્ણ લિસ્ટ

0

Crisis on Uddhav government

  • મહારાષ્ટ્ર સરકારના ઘણા નારાજ ધારાસભ્યો મંત્રી એકનાથ શિંદે સાથે ગુજરાત આવી ગયા છે. તેની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે .

શિવસેનાના (Shiv Sena) નેતા સંજય રાઉતે (Sanjay Raute) નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં (Maharashtra) કોઈ રાજકીય ભૂકંપ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં એકા એક રાજકીય ભૂકંપ આવી છે. શિવસેનાના સીનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ઘણા ધારાસભ્યોને લઈને ગુજરાત આવી ગયા છે.

મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારમાં ભંગાણના એંઘાણ થયાં છે :

શિવસેના નેતા એકનાથ શિંદે અમૂક ધારાસભ્યો સાથે સુરતની હોટેલમાં આવ્યા છે. આ તમામ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ભૂકંપ આવશે નહીં. કેટલાક ધારાસભ્યો સુરતમાં છે. જેનો અમે સંપર્ક કર્યો હતો. આ ધારાસભ્યો પરત આવવા માગે છે, પરંતુ તેમની ઘેરાબંધી કરવામાં આવી છે. સુરત ગયેલા તમામ ધારાસભ્યો નિષ્ઠાવાન છે.

એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે – સંજય રાઉત 

શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.

કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?

  1. એકનાથ શિંદે – કાોપરી
  2. અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
  3. શંભૂરાજ દેસાઇ – સતારા
  4. સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ
  5. ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
  6. ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
  7. નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
  8. અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
  9. વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ
  10. સંજય ગાયકવાડ – બુલઢાણા
  11. સંજય રામુલકર – મેહકર
  12. મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
  13. શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
  14. પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર
  15. સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
  16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
  17. તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
  18. સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
  19. રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
  20. બાલાજી કેકનિકર
  21. ગુલાબરાવ પાટીલ
  22. શંભુરાજ દેસાઈ
  23. ચિંતામણ વણગા
  24. અનિલ બાબર
  25. જ્ઞાનેશ્વર ચૌગુલે
  26. રાયમૂલકર
  27. લતા સોનવણ
  28. યામિની જાધવ
  29. કિશોર અપ્પા પાટીલ

IND vs SA : ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી 2 ખતરનાક બોલર મળ્યા, ભારતના નવા બુમરાહ-શમી હશે

0

Team India got 2 dangerous

  • India vs South Africa: દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ભારતના 2 સ્ટાર બોલરોએ શાનદાર રમત બતાવી. આ ખેલાડીઓના કારણે ટીમ ઈન્ડિયા જીતી.

ટીમ ઈન્ડિયાએ (Team India) સાઉથ આફ્રિકા (South Africa) સામેની સિરીઝમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. જ્યારે ભારતને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર વાપસી કરી અને આગામી બે મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં 2 ખતરનાક બોલર મળ્યા છે. ભવિષ્યમાં આ બોલરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું સ્થાન લઈ શકે છે.

આ ખેલાડી ભવિષ્યમાં બુમરાહ બની શકે છે :

જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રમી રહ્યો ન હતો તેથી તેના સ્થાને ટીમમાં સામેલ હર્ષલ પટેલે શાનદાર રમત બતાવી. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારત તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 4 મેચમાં 7 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેના પ્રદર્શનના આધારે જ તેને T20 વર્લ્ડ કપ માટે જગ્યા મળી શકે છે.

આ ખેલાડીએ પોતાની તાકાત દેખાડી :

મોહમ્મદ શમીની ગેરહાજરીમાં અવેશ ખાને પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. અવેશ ધીમા બોલ પર ખૂબ જ ઝડપથી વિકેટો લે છે. હવે ટી20 ક્રિકેટમાં ભારતને એવો બોલર મળ્યો છે જે પોતાના દમ પર મેચ જીતી શકે છે. અવેશ ખાન દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ત્રણ T20 મેચમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ ચોથી મેચમાં તેણે ચાર ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

બુમરાહ-શમી બની શકે છે :

મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો જીતી છે. તે જ સમયે, હર્ષલ-આવેશની જોડી પણ ભારતીય ટીમ માટે અજાયબીઓ કરતી જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયામાં ભારતીય ઝડપી બોલરોની ફોજ તૈયાર કરવામાં આવી છે. જે વિરોધી ટીમને ખતમ કરવાની શક્તિ ધરાવે છે.

અમદાવાદમાં રહેતી યુવતી અમેરિકામાં જજ બની ! આની પર હાથ રાખી લીધાં શપથ, જાણો કોણ છે આ યુવતી

Young woman living

વિદેશની ધરતી (Foreign land) પર ભારતની વધુ એક દીકરીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જાનકી વિશ્વમોહન શર્મા જે ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) શ્રી રામ દરબાર પરિવારમાં જન્મેલી ભારતીય મહિલા છે.. જેણે અમેરિકામાં (America) સાતમાં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ (Permanent Magistrate Judge) તરીકે શપથ લીધા છે. રામ ચરિત માનસ પર હાથ મૂકીને જાનકી શર્માએ શપથ લઈને અમેરિકામાં ભારત દેશનું નામ કર્યું છે. જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ નાતો જોડાયેલો છે.

રામાયણ પ્રત્યે નાનપણથી લગાવ :

જાનકીના ભાઈએ કહ્યું શ્રી રામ દરબાર પરિવારમાં અમારો જન્મ થયો છે. મારા દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. મારા પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હોવાથી જાનકી નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ છે. જાનકી 1993થી રામાયણના પાઠ કરે છે. રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વિત્યું બાળપણ :

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં જાનકીનું બાળપણ વિત્યું છે. અને મુઝફ્ફનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પરંતુ 1995માં માતા-પિતા અને ભાઈ બહેન સાથે અમદાવાદ આવી ગયા હતા.અમદાવાદમાં જાનકીએ ધોરણ-8 થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો…અને 2001માં જાનકી અમેરિકા ગઈ હતી.અને સખત મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની…

જાનકી શર્મા દેશની દીકરી :

રામાયણ ઉપર હાથ રાખીને જાનકી અમેરિકામાં શપથ લઈ રહી હતી તે સમયે ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. જાનકીના ભાઈએ કહ્યું—અમારા પરિવારમાં તહેવાર જેવો માહોલ બની ગયો હતો. તેની આ સફળતા માત્ર અમારા માટે જ નહીં પરંતુ ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. હવેથી  જાનકી  માત્ર અમારા પરિવારની દીકરી અને બહેન નહીં પરંતુ હવેથી એ દેશની દીકરી અને બહેન છે.

મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં લીધો ભાગ , જુઓ યોગા કરતાં મંત્રીઓની તસ્વીરો 

75 ministers of Modi government

  • યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં ભારતમાં થઈ હતી અને ત્યારથી આ શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અભ્યાસે આપણને સ્વસ્થ રાખવામાં તેમજ આપણા સર્વાંગી વિકાસમાં ઘણી મદદ કરી છે. જો તમે તમારા મન અને શરીરને શાંત રાખવા માંગો છો, તો તમારે યોગ માટે સમય કાઢવો જ પડશે.

વિશ્વભરમાં યોગનું (Yoga) મહત્વ અને જાગૃતિ વધારવા માટે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે. આ અવસર પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે યોગાભ્યાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં યોગના મહત્વને જોઈને વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ વર્ષના યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ‘ (Yoga For Humanity) છે. આ થીમને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશેષ રીતે ઉજવી રહી છે. મોદી સરકારના 75 મંત્રીઓએ દેશના 75 વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગ કર્યા હતા. વળી, ગૃહમંત્રી અમિત શાહે નાસિકમાં પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં યોગ કર્યા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના કોઈમ્બતુરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યારે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર દિલ્હીના લોટસ ટેમ્પલમાં યોગ કર્યા.

રાજનાથ સિંહ (રક્ષામંત્રી)

Image

પિયુષ ગોયલ (કેન્દ્રીય મંત્રી)

Image

ડૉ.મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય મંત્રી)

Image

એમ.એલ.ખટ્ટર ( હરિયાણા CM)

Image

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
ઉલ્લેખનીય છે કે, તેની શરૂઆત વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં કરી હતી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ 11મી ડિસેમ્બર 2014ના રોજ મંજૂરી આપવામાં આવી હતી કે હવેથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જે પછી 21 જૂન 2015 ના રોજ પ્રથમવાર વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

જુઓ દુનિયાના મહાન વ્યક્તિએ કેવી રીતે ‘યોગ’ દ્વારા છોડ્યા દારુ અને ડ્રગ્સ ?

See how the greatest

રસેલ બ્રાંડ (Russell Brand) એક પ્રામાણિક અને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ તે એસિડ, હેરોઈન, ડ્રગ્સ અને આલ્કોહોલ જેવી સમસ્યાઓથી ઘેરાયેલો હતો. પરંતુ જ્યારથી તે યોગમાં જોડાયો ત્યારથી તે સમજી ગયો કે તે તેના આત્મા અને હૃદયને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે. રસેલ બ્રાંડ કહે છે કે – યોગાભ્યાસ દ્વારા, હું પ્રમાણિકતા માટે ઓળખાયો. દરેક ક્ષણે ભગવાનને મળવાથી, હું એક પ્રામાણિકતા અનુભવું છું જે મેં મારા જીવનમાં ક્યારેય અનુભવ્યું નથી.

રસેલે 23 ઓક્ટોબર 2010ના રોજ રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વમાં પ્રખ્યાત ગાયિકા કેટી પેરી સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ માનવ આત્માને મુક્તિનો માર્ગ બતાવે છે. તમને જણાવી દઈએ કે રસેલ 14 વર્ષની ઉંમરે શાકાહારી બની ગયો હતો અને તે દરરોજ કલાકો સુધી ધ્યાન કરે છે અને મંદિરોમાં ભગવાન કૃષ્ણના ભજન ગાય છે. બ્રાન્ડે માંસાહારી ખોરાક પણ છોડી દીધો છે અને સંપૂર્ણપણે શાકાહારી થઈ ગયો છે.

સર્વગ્રાહી કોમેડિયન રસેલ બ્રાંડે યોગ કરીને પોતાની જાતને પુનઃશોધ કરી છે. યોગાએ અભિનેતાને ખોટા રસ્તેથી પાછો લાવ્યો છે. રસેલ ડ્રગ્સ અને એડિક્શન જેવી બાબતો માટે સમાચારમાં હતો. પણ ત્યારથી તેણે યોગનો માર્ગ પસંદ કર્યો. તે આ બધી ખોટી બાબતોથી દૂર થઈ ગયો.

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે દેશભરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. શરીરને સ્વસ્થ અને રોગોથી મુક્ત રાખવા માટે નિયમિત રીતે યોગાસન કરવાથી ઘણો ફાયદો થાય છે. યોગથી અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનમાં સુધારો થયો છે. જે લોકો પોતાના જીવનથી નિરાશ હતા. તેમના માટે પણ યોગ વરદાન સમાન સાબિત થયો છે.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની તૈયારી, શિવસેનાના 12 ધારાસભ્યો પહોંચ્યા ગુજરાત, ઉદ્ધવે બોલાવી ઈમરજન્સી બેઠક

0

Preparations for political

  • ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર રાજકીય ઉથલપાથલના (Political upheaval) સંકેત દેખાઈ રહ્યા છે. સોમવારે એમએલસી ચૂંટણીમાં, ભાજપે શિવસેનાના (Shiv Sena) નેતૃત્વવાળા એમવીએ ગઠબંધનને ફરી એક ઝટકો આપ્યો અને મંગળવારે શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત (Gujarat) પહોંચ્યા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રમવાની તૈયારી ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે શિવસેનાના 10-12 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં છે. ગઈકાલે વિધાન પરિષદની ચૂંટણીમાં જંગી ક્રોસ વોટિંગ થયું હતું. મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટે સોમવારે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ મહા વિકાસ આઘાડી (MVA)ને ફરી એક ઝટકો લાગ્યો છે. જ્યારે ભાજપે એકલા પાંચ બેઠકો જીતી હતી, શિવસેના અને એનસીપીએ બે-બે બેઠકો જીતી હતી.

જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ રાજ્યસભાની ચૂંટણી પછી સતત બીજી વખત એમવીએના આંચકાથી ચિંતિત છે. તેમણે આજે બેઠક બોલાવી છે. ક્રોસ વોટિંગનો ડર વધી ગયો છે કારણ કે શિવસેનાને તેના 55 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને સમર્થન હોવા છતાં માત્ર 52 મત મળ્યા છે.

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સામે આવ્યું

સુરતની હોટલ ધ ગ્રાન્ડ ભગવતીમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું.

મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.